ETV Bharat / state

પોરબંદરના સ્થાનિકોએ રસ્તા અને ગટર બાબતે પાલિકાને કરી રજૂઆત

પોરબંદરના મેમણ વાડા અને વિરડી પ્લોટ વિસ્તારમાં રહેતા લોકોને રોડ અને ગટરોનું કામ ન થતા અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આ બાબતે ગુરુવારે લોકોએ નગરપાલિકા કચેરી જઇ આ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી.

author img

By

Published : Jun 11, 2020, 11:01 PM IST

municipality regarding roads and sewerage
પોરબંદરના વીરડી પ્લોટ તેમજ મેમણવાડા વિસ્તારના લોકોએ રસ્તા અને ગટર બાબતે પાલિકાને કરી રજૂઆત

પોરબંદરઃ જિલ્લામાં મેમણ વાડા અને વિરડી પ્લોટ વિસ્તારમાં રહેતા લોકોને રોડ અને ગટરોનું કામ ન થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આ બાબતે ગુરુવારે લોકોએ નગરપાલિકા કચેરી જઇ આ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી.

પોરબંદરના વીરડી પ્લોટ તેમજ મેમણવાડા વિસ્તારના લોકોએ રસ્તા અને ગટર બાબતે પાલિકાને કરી રજૂઆત

મેમણવાડા અને વીરડી પ્લોટ વિસ્તારમાં રસ્તા, ગટર, સફાઈ સહિતની સમસ્યાનું નિવારણ ન થતા ગુરુવારે સ્થાનિક રહેવાસીઓએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું હતું. જેમાં લોકો એ જણાવ્યું હતું કે, રસ્તાઓ ન બનાવવામાં આવતા વાહનો ચલાવવામાં અનેક મુશ્કેલીઓ પડી રહી છે જેથી અકસ્માત નો પણ ભય રહે છે. જ્યારે ગટરો સાફ ન થતા ગંદકીને કારણે બીમારી પણ ફેલાય છે જેના કારણે અનેક લોકો માંદગીના બિછાને પડે છે. ત્યારે આ બાબતે અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા માત્રને માત્ર આશ્વાસન આપવામાં આવે છે તેમજ કોઈ નક્કર પગલાં ભરી તાત્કાલીક કાર્ય કરવામાં આવતું નથી.

આ વિસ્તારના લોકો તંત્રના આ વલણના કારણે અનેક મુશ્કેલીમાં મૂકાઇ છે ત્યારે તેમણે તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા સ્થાનિકોએ ઉગ્ર માગ કરી છે.

પોરબંદરઃ જિલ્લામાં મેમણ વાડા અને વિરડી પ્લોટ વિસ્તારમાં રહેતા લોકોને રોડ અને ગટરોનું કામ ન થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આ બાબતે ગુરુવારે લોકોએ નગરપાલિકા કચેરી જઇ આ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી.

પોરબંદરના વીરડી પ્લોટ તેમજ મેમણવાડા વિસ્તારના લોકોએ રસ્તા અને ગટર બાબતે પાલિકાને કરી રજૂઆત

મેમણવાડા અને વીરડી પ્લોટ વિસ્તારમાં રસ્તા, ગટર, સફાઈ સહિતની સમસ્યાનું નિવારણ ન થતા ગુરુવારે સ્થાનિક રહેવાસીઓએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું હતું. જેમાં લોકો એ જણાવ્યું હતું કે, રસ્તાઓ ન બનાવવામાં આવતા વાહનો ચલાવવામાં અનેક મુશ્કેલીઓ પડી રહી છે જેથી અકસ્માત નો પણ ભય રહે છે. જ્યારે ગટરો સાફ ન થતા ગંદકીને કારણે બીમારી પણ ફેલાય છે જેના કારણે અનેક લોકો માંદગીના બિછાને પડે છે. ત્યારે આ બાબતે અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા માત્રને માત્ર આશ્વાસન આપવામાં આવે છે તેમજ કોઈ નક્કર પગલાં ભરી તાત્કાલીક કાર્ય કરવામાં આવતું નથી.

આ વિસ્તારના લોકો તંત્રના આ વલણના કારણે અનેક મુશ્કેલીમાં મૂકાઇ છે ત્યારે તેમણે તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા સ્થાનિકોએ ઉગ્ર માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.