ETV Bharat / state

પોરબંદર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા અરેરાટી

author img

By

Published : Sep 29, 2019, 6:53 PM IST

પોરબંદર: જિલ્લાની નવોદય વિદ્યાલયમાં શનિવારની રાત્રે ગર્લ્સ હોસ્ટેલના 3 રૂમ નંબરમાં માધુપુરની એક વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જોકે અત્યાર સુધી કોઈ સ્યુસાઈડ નોટ પણ મળી ન હોવાથી પોલીસે આ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા અરેરાટી

પોરબંદરની નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલના જણાવ્યાં અનુસાર અહીંની ગર્લ્સ હોસ્ટેલમા માધવપુર ગામે રહેતી 16 વર્ષની માનસી પરસોત્તમભાઈ માવદીયા નામની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તમામ ઘટના બની ત્યારે તે રૂમમાં ૧૧ જેટલી અન્ય વિદ્યાર્થીઓ પણ સુતી હતી. પરંતુ, તેઓને આ અંગે કોઈ જાણ ન હતી. હાલ માનસી માવદીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડેલ છે.

ઘટનાસ્થળ ઉપરથી સ્યુસાઇડ નોટ પોલીસને હજુ સુધી મળી નથી. આથી પરીક્ષાના ટેન્શનના કારણે સ્યુસાઇડ કર્યુ હોવાનું પ્રાથમિક કારણ મનાઇ રહ્યું છે. પરંતુ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ હકીકતની જાણ થશે. પોરબંદર પોલીસે આ બાબતે આગની વધુ તપાસ હાથ ધરી છે. માનસી માવદીયા છેલ્લા છ વર્ષથી નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરી રહી હતી અને તેના પિતા પરશોત્તમભાઈ માધવપુરમાં મજુરી કામ કરી રહ્યા છે, ત્યારે માનસીના મૃત્યુથી પરિવારમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું.

પોરબંદરની નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલના જણાવ્યાં અનુસાર અહીંની ગર્લ્સ હોસ્ટેલમા માધવપુર ગામે રહેતી 16 વર્ષની માનસી પરસોત્તમભાઈ માવદીયા નામની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તમામ ઘટના બની ત્યારે તે રૂમમાં ૧૧ જેટલી અન્ય વિદ્યાર્થીઓ પણ સુતી હતી. પરંતુ, તેઓને આ અંગે કોઈ જાણ ન હતી. હાલ માનસી માવદીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડેલ છે.

ઘટનાસ્થળ ઉપરથી સ્યુસાઇડ નોટ પોલીસને હજુ સુધી મળી નથી. આથી પરીક્ષાના ટેન્શનના કારણે સ્યુસાઇડ કર્યુ હોવાનું પ્રાથમિક કારણ મનાઇ રહ્યું છે. પરંતુ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ હકીકતની જાણ થશે. પોરબંદર પોલીસે આ બાબતે આગની વધુ તપાસ હાથ ધરી છે. માનસી માવદીયા છેલ્લા છ વર્ષથી નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરી રહી હતી અને તેના પિતા પરશોત્તમભાઈ માધવપુરમાં મજુરી કામ કરી રહ્યા છે, ત્યારે માનસીના મૃત્યુથી પરિવારમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું.

Intro:પોરબંદર નવોદય વિદ્યાલય માં અભ્યાસ કરતી માધવપુર ની વિદ્યાર્થીની એ ગળે ફાંસો ખાધો


પોરબંદરમાં આવેલ નવોદય વિદ્યાલય માં ગઈકાલ રાત્રિના ગર્લ્સ હોસ્ટેલ ના નંબર 3 રૂમમાં માધુપુર ની એક વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું જોકે અત્યાર સુધી કોઈ સુસાઈડ નોટ પણ મળેલ ન હોવાથી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છેBody:પોરબંદરમાં આવેલ નવોદય વિદ્યાલય ના પ્રિન્સિપાલ ના જણાવ્યાનુસાર અહીંની ગર્લ્સ હોસ્ટેલ નંબર ત્રણમાં પોરબંદર નજીકના માધવપુર ગામે રહેતી માનસી પરસોત્તમભાઈ માવદીયા ઉ16
એ ગઈકાલે રાત્રે 12થી 3 વચ્ચે પોતાની જાતને છત પરના સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી જ્યારે તમામ ઘટના બની ત્યારે તે રૂમમાં ૧૧ જેટલી અન્ય વિદ્યાર્થીઓ પણ સુતી હતી પરંતુ તેઓને આ અંગે કોઈ જાણ ન હતી હાલ માનસી માવદીયા ના મૃતદેહને પીએમ અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે અને ઘટનાસ્થળ ઉપર થી સુસાઇડ નોટ પોલીસને હજુ સુધી મળેલ નથી આથી પરીક્ષાના ટેન્શનના કારણે સુસાઇડ હોવાનું પ્રાથમિક કારણ હોવાનું મનાઇ રહ્યું છે પરંતુ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ હકીકત ની જાણ થશે પોરબંદર પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે માનસી માવદીયા છેલ્લા છ વર્ષથી નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરી રહી હતી અને તેના પિતા પરશોત્તમભાઈ માધવપુરમાં મજુરી કામ કરી રહ્યા છે ત્યારે માનસીના મૃત્યુથી પરિવારમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છેConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.