ETV Bharat / state

પોરબંદરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે કતલખાના બંધ રાખવા શિવસેનાએ કરી માગ

author img

By

Published : Mar 11, 2021, 8:00 PM IST

મહાશિવરાત્રીના પર્વને લઈને વિવિધ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં છે. આ વર્ષે કોરોના વૈશ્વિક મહામારીને પગલે કેટલાક મંદિરોમાં નિયમો બદલાયા છે. તો કેટલાક મંદિરોમાં આ વખતે સાદગીપૂર્ણ પૂજાના કાર્યક્રમો આયોજિત કરાયા છે. આ વચ્ચે પોરબંદરમાં શિવસેના દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે તલખાના બંધ કરાવવાની માગ કરી હતી.

પોરબંદરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે કતલખાના બંધ રાખવા શિવસેનાએ કરી માગ
પોરબંદરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે કતલખાના બંધ રાખવા શિવસેનાએ કરી માગ
  • મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવાલયો હર હર મહાદેવનાં નાદથી ગૂંજ્યા
  • એક દિવસ માટે કતલખાના બંધ રાખવા શિવસેનાએ કરી માગ
  • અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કરી રજૂઆત

પોરબંદર: મહાશિવરાત્રીના પર્વને લઈને વિવિધ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં છે. આ વર્ષે કોરોના વૈશ્વિક મહામારીને પગલે કેટલાક મંદિરોમાં નિયમો બદલાયા છે. તો કેટલાક મંદિરોમાં આ વખતે સાદગીપૂર્ણ પૂજાના કાર્યક્રમો આયોજિત કરાયા છે. આ વચ્ચે પોરબંદરમાં શિવસેના દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે તલખાના બંધ કરાવવાની માગ કરી હતી.

અધિક જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

મહાશિવરાત્રી હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર હોવાથી આ પાવન દિવસે કતલખાના બંધ રાખવામાં આવે અને શહેરમાં માસ, મચ્છી, મટન સહિતની વસ્તુઓના વેચાણ પર જિલ્લા કલેક્ટર દ્વારા આ પ્રતિબંધ ફરમાવવામાં આવે તેવી માગ પોરબંદર શિવસેનાનાં યુવાસેનાનાં પ્રમુખ વિજયભાઈ ખૂટીએ કરી હતી. કલેકટર કચેરીએ શિવસેનાના પ્રમુખ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને આ બાબતે અધિક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું.

  • મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવાલયો હર હર મહાદેવનાં નાદથી ગૂંજ્યા
  • એક દિવસ માટે કતલખાના બંધ રાખવા શિવસેનાએ કરી માગ
  • અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કરી રજૂઆત

પોરબંદર: મહાશિવરાત્રીના પર્વને લઈને વિવિધ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં છે. આ વર્ષે કોરોના વૈશ્વિક મહામારીને પગલે કેટલાક મંદિરોમાં નિયમો બદલાયા છે. તો કેટલાક મંદિરોમાં આ વખતે સાદગીપૂર્ણ પૂજાના કાર્યક્રમો આયોજિત કરાયા છે. આ વચ્ચે પોરબંદરમાં શિવસેના દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે તલખાના બંધ કરાવવાની માગ કરી હતી.

અધિક જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

મહાશિવરાત્રી હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર હોવાથી આ પાવન દિવસે કતલખાના બંધ રાખવામાં આવે અને શહેરમાં માસ, મચ્છી, મટન સહિતની વસ્તુઓના વેચાણ પર જિલ્લા કલેક્ટર દ્વારા આ પ્રતિબંધ ફરમાવવામાં આવે તેવી માગ પોરબંદર શિવસેનાનાં યુવાસેનાનાં પ્રમુખ વિજયભાઈ ખૂટીએ કરી હતી. કલેકટર કચેરીએ શિવસેનાના પ્રમુખ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને આ બાબતે અધિક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.