ETV Bharat / state

મારામારીના ગુનામાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી પોરબંદર પોલીસના સંકજામાં

author img

By

Published : Jun 13, 2020, 4:19 AM IST

2018માં રાણાવાવ પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાયો હતો. જેમાં નાસતો ફરતો આરોપી વિજય ઉર્ફે મુન્નો દેવાભાઈ સરવૈયા (ઉમર વર્ષ-29)ને માધવપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાંધલની મદદથી જૂનાગઢથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધું તપાસ હાથ ધરી છે.

પોરબંદર પોલીસ
પોરબંદર પોલીસ

પોરબંદર: જિલ્લામાં ગુના કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને શોધીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીએ સુચના આપી હતી.

પોરબંદર પોલીસ
પોલીસે આરોપીની ધરપકડ કરી વધું તપાસ હાથ ધરી
આ અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. એસ. ઝાલા તથા સ્ટાફના સી. ટી. પટેલ, રણજિતભાઈ ડાંગર, હિમાંશુભાઈ મક્કા, સંજયભાઈ બાબરીયા, ઉદયભાઈ વરુ, કાનાભાઇ કરંગીયા, પરબતભાઇ લક્ષ્મણભાઈ વગેરે સ્ટાફ આ બાબતને ગંભીરતાથી લઈને કામગીરી શરૂ કરી હતી.

2018માં રાણાવાવ પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાયો જેમાં એક આરોપીનું નામ ફક્ત જૂનાગઢ મુન્નો રહેવાસી એટલી જ હતી. જે બાબતે ખુબ મહેનત અને ગહન તપાસ કરી માધવપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાંધલની મદદથી જૂનાગઢ મુકામેથી આ ગુનામાં નાસતો ફરતો આરોપી વિજય ઉર્ફે મુન્નો દેવાભાઈ સરવૈયા ઉંમર વર્ષ 29 રહેવાસી દોલતપરા જૂનાગઢ વાળાને ઝડપી લીધો હતો.

આ ગુનામાં સંડોવાયેલો હોવાની પાકી તપાસ-ખાતરી કરી આરોપીને પોલીસ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ મક્કા તથા ઉદયભાઈ વરુ દ્વારા જૂનાગઢથી શોધીને પકડી લાવતા રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર બી. એસ. ઝાલા, રાઇટર સવદાસભાઈ ઓડેદરા અને અશોકભાઈ ચુડાસમા દ્વારા આરોપીને ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોરબંદર: જિલ્લામાં ગુના કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને શોધીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીએ સુચના આપી હતી.

પોરબંદર પોલીસ
પોલીસે આરોપીની ધરપકડ કરી વધું તપાસ હાથ ધરી
આ અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. એસ. ઝાલા તથા સ્ટાફના સી. ટી. પટેલ, રણજિતભાઈ ડાંગર, હિમાંશુભાઈ મક્કા, સંજયભાઈ બાબરીયા, ઉદયભાઈ વરુ, કાનાભાઇ કરંગીયા, પરબતભાઇ લક્ષ્મણભાઈ વગેરે સ્ટાફ આ બાબતને ગંભીરતાથી લઈને કામગીરી શરૂ કરી હતી.

2018માં રાણાવાવ પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાયો જેમાં એક આરોપીનું નામ ફક્ત જૂનાગઢ મુન્નો રહેવાસી એટલી જ હતી. જે બાબતે ખુબ મહેનત અને ગહન તપાસ કરી માધવપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાંધલની મદદથી જૂનાગઢ મુકામેથી આ ગુનામાં નાસતો ફરતો આરોપી વિજય ઉર્ફે મુન્નો દેવાભાઈ સરવૈયા ઉંમર વર્ષ 29 રહેવાસી દોલતપરા જૂનાગઢ વાળાને ઝડપી લીધો હતો.

આ ગુનામાં સંડોવાયેલો હોવાની પાકી તપાસ-ખાતરી કરી આરોપીને પોલીસ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ મક્કા તથા ઉદયભાઈ વરુ દ્વારા જૂનાગઢથી શોધીને પકડી લાવતા રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર બી. એસ. ઝાલા, રાઇટર સવદાસભાઈ ઓડેદરા અને અશોકભાઈ ચુડાસમા દ્વારા આરોપીને ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.