પુર્વજોએ આપેલા લોકશાહીના સંમૃધ વારસાથી યુવાપેઢી વાકેફ થાય, ૧૮ વર્ષ પુર્ણ કરેલા યુવાનો મતદાર યાદીમા નામ નોંધાવે : જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એન.મોદી
મતદાન કરવુ એ આપણા હક્ક ઉપરાંત ફરજ પણ છે : જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી
ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિથી પર થઇને આપણે મતદાન કરવુ જોઇએ : ઇતિહાસકાર નરોતમભાઇ પલાણ
પોરબંદરઃ ૨૫મી જાન્યુઆરી ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે, ભારત સરકાર દ્રારા વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત, પ્રોત્સાહિત તથા મતદાનની પ્રણાલીમાં જોડવાના ઉદેશથી દર વર્ષે ૨૫મી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
પોરબંદર ખાતે જિલ્લાકક્ષાની રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ વિદ્યાર્થીઓને સંબોધીને કહ્યુ કે, વિશ્વમાં સૌથી જુની લોકશાહીનાં મૂળ ભારતમાં જોવા મળે છે. બંધારણે આપણને આપેલા હક્ક ફરજ વગર અધુરા છે, મતદાન અધિકારની સાથે ફરજ પણ છે, આપણા પુર્વજોએ આપેલા લોકશાહીના સંમૃધ વારસાથી યુવા પેઢી વાકેફ થાય તેમ કહીં ૧૮ વર્ષ પુર્ણ કરેલા વિદ્યાર્થીઓને મતદાર યાદીમાં નામ નોંધાવવાની સાથે વ્યસનમૂક્ત બનવાની સલાહ આપી વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી કરી હતી.
પોરબંદર ખાતે જિલ્લાકક્ષાની રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણીએ કહ્યુ કે, પ્રજાએ બનાવેલુ બંધારણ પ્રજા માટે છે. મતદાન કરવુ એ આપણા હક્ક ઉપરાંત ફરજ પણ છે, માટે આ ફરજ આપણે નિભાવવી જોઇએ. ઇતિહાસકાર નરોતમભાઇ પલાણે કહ્યુ કે, ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિથી પર થઇને આપણે મતદાન કરવુ જોઇએ. જેથી આપણી આદર્શ લોકશાહીને વધુને વધુ મજબુત બનાવી છેવાડાના માણસનાં અધિકારોનુ જતન કરી મનુષ્ય તરીકેના આપણા અવતારને ચરિતાર્થ કરીએ.
પોરબંદર ખાતે જિલ્લાકક્ષાની રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સ્વામી ભાનુપ્રકાશદાસએ ૧૮૫૭નાં સ્વાતંત્ર્ય સંગ્રામના બળવાને યાદ કરવાની સાથે દરેક મતદાતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જણાવ્યુ હતું.રાષ્ટ્રીય મતદાતા દિવસમાં જિલ્લાકક્ષાની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા તમામ અધિકારીઓ, મહેમાનો, શિક્ષકો તથા વિધાર્થીઓએ દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મૂક્ત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમા જાળવવા, ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઇપણ પ્રલોભનથી પ્રભાવિત થયા વગર મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.આ પ્રસંગે યુવા મતદાર મહોત્સવમાં પોસ્ટર ડીઝાઇન, જીંગલ કેટેગરીમાં વિજેતા વિદ્યાર્થીઓ અને યુવાનોને ચેક અર્પણ કરીને સન્માનિત કરાયા હતા, મતદારયાદી સતત સુધારણા કાર્યક્રમ તથા ઇ.વી.પી. અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વિવિધ કોલેજના કેમ્પસ એમ્બેસેડરને તથા વર્ષભર મતદારયાદી કાર્યક્રમ અંતર્ગત પોરબંદર જિલ્લામા શ્રેષ્ઠ કામગીરી કરેલ બી.એલ.ઓ સુપરવાઇઝરને સન્માનિત કરવામાં આવ્યા હતા. કે.બી.જોષી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મતદાર જાગૃતિ અંગેનું નાટક ભજવ્યુ હતુ.નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે.વી.બાટીએ કાર્યક્રમની આભારવિધી કરી હતી. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં પોરબંદર જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.