ETV Bharat / state

પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દર્દીઓમાં રોગચાળો ફેલાવાની ભીતિ - પોરબંદરની સરકારી હોસ્પિટલ

પોરબંદરઃ શું તેમે દર્દીઓને હોસ્પિટલથી દૂર ભાગતા જોયા છે?... આ વાત તમને થોડી વિચિત્ર લાગશે. પણ આ  હકીકત છે, જે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં જોવા મળે છે. રાજાશાહી શાસનમાં બનેલી આ હોસ્પિટલમાંથી આજે દર્દીઓ ભાગી રહ્યાં છે. કારણ કે, આ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર થવાને બદલે તેમને વધુ એક બિમારી ભેટમાં મળી રહી છે. જેથી દર્દીઓ હોસ્પિટલમાં આવતા ડરી રહ્યાં છે.

પોરબંદરની સરકારી હૉસ્પિટલથી દૂર ભાગતાં દર્દીઓ..
author img

By

Published : Sep 13, 2019, 6:31 PM IST

Updated : Sep 13, 2019, 7:59 PM IST

શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલથી દર્દીઓ દૂર ભાગી રહ્યાં છે. આ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર કરાવવા માટે તો આવે છે. પણ સ્વસ્થ્ય થવાને બદલે ભેટમાં વધુ બે-ત્રણ બિમારી સાથે લઈને જાય છે. કારણ કે, આ હોસ્પિટલમાં વાયરસના કારણે લોકોને ભંયકર બીમારી થઈ રહી છે. જેથી હોસ્પિટલમાં દાખલ થયેલાં દર્દીઓને પણ અન્ય હોસ્પિટલમાં સારવાર લેવા માટે મજબૂર થયા છે.

પોરબંદરના રાજા ભાવસિંહના શાસનમાં બનેલી હોસ્પિટલ જે-તે સમયને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી હતી. જેના બાંધકામમાં વર્ષો બાદ પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેના કારણે દર્દીઓથી ખીચખીચ ભરેલી હોસ્પિટલમાં શાકમાર્કેટ જેવી લાગે છે.

પોરબંદરની સરકારી હૉસ્પિટલથી દૂર ભાગતાં દર્દીઓ..

હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી. તો સફાઈ કામગીરીનો તો જાણે દૂર-દૂર સુધી કોઈ સંબધ જોવા મળતો નથી. જેના કારણે હોસ્પિટલમાં ગંભીર રોગચાળો ફેલાઈ રહ્યો છે. દર્દીઓ શ્વાસની ભયાનક બીમારીઓને ભોગ બની રહ્યાં છે. છતાં હોસ્પિટલના તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.

આ અંગે સમાજિક કાર્યકર બાબુભાઈ પાંડાવદરાના જણાવ્યાનુસાર, વર્ષો બાદ પણ હોસ્પિટલના બાંધકામમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેના કારણે દર્દીઓને નીચે બેસીને સારવાર માટે રાહ જોવી પડે છે. વળી, હોસ્પિટલમાં 11 તબીબોમાંથી માત્ર 5 તબીબો જ હાજર રહે છે. છેલ્લા કેટલાય સમયથી ફુલટાઇમ સર્જન, બાળરોગ નિષ્ણાંત અને ફિઝિશિયન હોસ્પિટલમાં જોવા મળતાં નથી.

આમ, ખાનગી હોસ્પિટલો દર્દીઓની સારવાર માટે નહીં પણ બિઝનેસના હેતુથી બનાવવામાં આવે છે. જેમાં દર્દીઓની સેવા ઓછી અને આર્થિક લાભને વધુ મહત્વ આપવામાં આવે છે. સરકારી હોસ્પિટલમાં દર્દી સારવારની આશાએ જાય છે.

શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલથી દર્દીઓ દૂર ભાગી રહ્યાં છે. આ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર કરાવવા માટે તો આવે છે. પણ સ્વસ્થ્ય થવાને બદલે ભેટમાં વધુ બે-ત્રણ બિમારી સાથે લઈને જાય છે. કારણ કે, આ હોસ્પિટલમાં વાયરસના કારણે લોકોને ભંયકર બીમારી થઈ રહી છે. જેથી હોસ્પિટલમાં દાખલ થયેલાં દર્દીઓને પણ અન્ય હોસ્પિટલમાં સારવાર લેવા માટે મજબૂર થયા છે.

પોરબંદરના રાજા ભાવસિંહના શાસનમાં બનેલી હોસ્પિટલ જે-તે સમયને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી હતી. જેના બાંધકામમાં વર્ષો બાદ પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેના કારણે દર્દીઓથી ખીચખીચ ભરેલી હોસ્પિટલમાં શાકમાર્કેટ જેવી લાગે છે.

પોરબંદરની સરકારી હૉસ્પિટલથી દૂર ભાગતાં દર્દીઓ..

હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી. તો સફાઈ કામગીરીનો તો જાણે દૂર-દૂર સુધી કોઈ સંબધ જોવા મળતો નથી. જેના કારણે હોસ્પિટલમાં ગંભીર રોગચાળો ફેલાઈ રહ્યો છે. દર્દીઓ શ્વાસની ભયાનક બીમારીઓને ભોગ બની રહ્યાં છે. છતાં હોસ્પિટલના તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.

આ અંગે સમાજિક કાર્યકર બાબુભાઈ પાંડાવદરાના જણાવ્યાનુસાર, વર્ષો બાદ પણ હોસ્પિટલના બાંધકામમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેના કારણે દર્દીઓને નીચે બેસીને સારવાર માટે રાહ જોવી પડે છે. વળી, હોસ્પિટલમાં 11 તબીબોમાંથી માત્ર 5 તબીબો જ હાજર રહે છે. છેલ્લા કેટલાય સમયથી ફુલટાઇમ સર્જન, બાળરોગ નિષ્ણાંત અને ફિઝિશિયન હોસ્પિટલમાં જોવા મળતાં નથી.

આમ, ખાનગી હોસ્પિટલો દર્દીઓની સારવાર માટે નહીં પણ બિઝનેસના હેતુથી બનાવવામાં આવે છે. જેમાં દર્દીઓની સેવા ઓછી અને આર્થિક લાભને વધુ મહત્વ આપવામાં આવે છે. સરકારી હોસ્પિટલમાં દર્દી સારવારની આશાએ જાય છે.

Intro:લો કરો વાત હોસ્પિટલમાં આવતા દર્દીઓ માં રોગચાળો ફેલાવાની ભીતિ


હોસ્પિટલ એક એવુ સ્થળ છે કે જયાં લોકો સાજા થવાની આશા એ જતા હોય છે પરંતુ પોરબંદર માં આવેલ સરકારી હોસ્પિટલમા સ્થિતિ એવી છે કે અહીં આવતા લોકો ગભરાય છે અહી દર્દીઓ નો ધસારો એટલો બધો છે કે જે સામાન્ય બીમાર હોય તેને પણ મોટી બીમારી ભેટ સ્વરૂપે મળે તો કહેવાય નહીં


પોરબંદર માં લોકો ના સારા સ્વાસ્થ્ય માટે પોરબંદરના રાજા એ ભાવસિંહ જી હોસ્પિટલ નું નિર્માણ કર્યું હતું પરંતુ તે સમયે આ બાંધકામ પૂરતું હતું જ્યારે હવે વર્ષો બાદ પણ અહીંના બાંધકામ માં કોઈ ફેરફાર કરાયો નથી જેથી દર્દીઓની સંખ્યામાં વધારો થતાં ભીડ નો માહોલ સર્જાય છે અને શ્વાસોશ્વાસ ની પ્રક્રીયા માં અહીં બીમારી ના અનેક વાયરસ થી રોગચાળો ફેલાવવાની શકયતા ઓ રહેલી છે રાણાવાવ થી આવેલ એક નાગરિક ના જણાવ્યા અનુસાર હોસ્પિટલ નહિ પરંતુ મછી માર્કેટ હોય તેવી અનુભૂતિ થાય છે

તો સામાજિક કાર્યકર બાબુભાઇ પાંડાવદરા ના જણાવ્યા અનુસાર વર્ષો બાદ પણ હોસ્પિટલના બાંધકામ માં કોઇ ફેરફાર ન કરાતા દર્દીઓની ભીડ ની સમસ્યા ઉદભવે છે જેથી ઘણા દર્દીઓ એ નીચે પણ બેસવું પડે છે તો 11 તબીબો માંથી માત્ર 5 તબીબો હાજર રહે છે અને અન્ય તબીબો ને અન્ય હોસ્પિટલમાં મુકવામાં આવે છે હાલ ફુલટાઇમ સર્જન ,બાળરોગ નિષ્ણાંત,ફિઝિશિયન ની પણ જગ્યા ઘણા સમયથી ખાલી પડી છે જેનો ખ્યાલ અહીં આવેલ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રધાન કિશોર કાનાણી ને પણ છે પરંતુ દર્દી માટે અલગ અલગ વિભાગ ની કોઇ જ પ્રકાર ની વ્યવસ્થા હજુ સુધી ઉપલબ્ધ કરાઈ નથી જે વાસ્તવિકતા છે ઘણી વાર ગરીબ અને વૃદ્ધ દર્દીઓ હાથ માં રીપોર્ટ લઈને લાંબી લાઇન માં ઉભા હોય છે ત્યારે લોકો દ્વારા સરકારને યોગ્ય વ્યવસ્થા કરવા વિનંતી કરાઈ હતીBody:.Conclusion:
Last Updated : Sep 13, 2019, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.