- જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
- આ નિર્ણયના વીરોધમાં પોરબંદરના તમામ નોટરીઓ એક દિવસની હડતાલ પર
- ડિજિટલાઈઝેશન પ્રક્રિયામાં નોટરીઓએ અનેક માંગ રાખી
પોરબંદર: ભારત સરકાર દ્વારા નોટરી એક્ટમાં સુધારા-વધારા નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં નોટરીનું લાયસન્સ 15 વર્ષ સુધી રહેશે અને ત્યારબાદ રદ કરવામાં આવશે, તેવો નિર્ણય લેવાતા તમામ નોટરીઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. પોરબંદર જિલ્લા નોટરી એસોસિએશને (Notary Association Porbandar)પણ વિરોધ નોંધાવ્યો હતો અને એક દિવસ હડતાલ (Porbandar notaries on strike)જાહેર કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ.
15 વર્ષ બાદ નોટરીનું લાઇસન્સ રદ કરવામાં આવશે
ભારત સરકાર દ્વારા નોટરીનું લાયસન્સ પ્રથમ પાંચ વર્ષ ત્યારબાદ બીજા દસ વર્ષ એમ કુલ ૧૫ વર્ષ સુધી જ રીન્યુ કરવામાં આવશે ત્યારબાદ તેઓનું લાયસન્સ આપોઆપ રદ કરવામાં આવશે. આ ઉપરાંત નોટરી માટેના અનેક નિયમોમાં સુધારા વધારા કરવા અંગેના નિર્ણય સરકાર કરી રહી છે અને ડિજિટલ પદ્ધતિમાં પણ સુધારો કરવા અંગે પોરબંદર જિલ્લા નોટરી એસોસિએશનના પ્રમુખ કેતન દાણીએ જણાવ્યું હતું. આ બાબતે જિલ્લાના તમામ નોટરીઓ કામથી અળગા રહી એક દિવસની હડતાલ જાહેર કરી હતી.
આ પણ વાંચો:
પોરબંદર જિલ્લા ભાજપે વિવિધ 9 કાર્યક્રમો દ્વારા PM નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ ઉજવ્યો