ETV Bharat / state

મોઢવાડિયાઃ પોરબંદરમાં પૂરતી દવા, તબીબો અને વેન્ટિલેટરનો અભાવ, સરકારને માત્ર પૈસાવાળાની ચિંતા

author img

By

Published : Aug 1, 2020, 6:13 PM IST

દેશભરમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધતાં જાય છે ત્યારે પોરબંદરમાં પણ કોરોનાની મહામારી ધીમેધીમે વકરી રહી છે. પોરબંદર શહેર અને જિલ્લામાં છેલ્લાં એક અઠવાડિયામાં લગભગ 50 જેટલા કોરોના દર્દીઓ મળી આવતાં પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણ ભયજનક સ્થિતિ નજીક જઈ રહ્યું છે. છતાં કોરોના સંક્રમણને રોકવા અને સારવાર બાબતે રાજ્ય સરકાર જરૂરી અને ફરી કાર્ય કરી શકતી નથી તેવો આક્ષેપ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કર્યો હતો. આજે તેમણે પોરબંદરની ભાવસિંહજી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

મોઢવાડિયાઃ પોરબંદરમાં પૂરતી દવા, તબીબો અને વેન્ટિલેટરનો અભાવ, સરકારને માત્ર પૈસાવાળાની ચિંતા
મોઢવાડિયાઃ પોરબંદરમાં પૂરતી દવા, તબીબો અને વેન્ટિલેટરનો અભાવ, સરકારને માત્ર પૈસાવાળાની ચિંતા

પોરબંદરઃ આજે પોરબંદર શહેરમાં આવેલ ભાવસિંહજી હોસ્પિટલની મુલાકાત કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુન મોઢવાડિયાએ લીધી ત્યાર બાદ પત્રકારોને જણાવ્યું હતું કે સરકારને માત્ર પૈસાવાળાની જ ચિંતા છે. ભાવસિંહજી હોસ્પિટલમાં 14 મેડિકલ ઓફિસરોની જગ્યાએ માત્ર આઠ જ મેડિકલ ઓફિસરો છે. હાલ ફરજ પર રહેલા આઠ મેડિકલ ઓફિસરોમાંથી ત્રણ ડૉક્ટરને ઈમરજન્સી માટે 24 કલાકની ડ્યુટીમાં કાર્યરત રહેવું પડે છે.

મોઢવાડિયાઃ પોરબંદરમાં પૂરતી દવા, તબીબો અને વેન્ટિલેટરનો અભાવ, સરકારને માત્ર પૈસાવાળાની ચિંતા
મોઢવાડિયાઃ પોરબંદરમાં પૂરતી દવા, તબીબો અને વેન્ટિલેટરનો અભાવ, સરકારને માત્ર પૈસાવાળાની ચિંતા
જ્યારે હોસ્પિટલમાં પેરામેડિકલ સ્ટાફ ફરજ ઉપર છે તેમાં કાયમી ફરજ પરના પેરામેડિકલ કર્મચારીઓ જૂજ છે. મોટાભાગે પેરામેડિકલ સ્ટાફ કોન્ટ્રાકટરો દ્વારા ફાળવાયેલો અને એ પણ અપૂરતો છે. કોરોના દર્દીની સારવાર માટે જરૂરી રેમડિસિવર અને ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનનો જથ્થો માત્ર એક જ દર્દીને આપી શકાય તેમ છે. આથી તાત્કાલિક વ્યવસ્થાઓ કરે નહીં તો કોરોનાની મહામારી ફેલાવો વધશે તેમ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.
મોઢવાડિયાઃ પોરબંદરમાં પૂરતી દવા, તબીબો અને વેન્ટિલેટરનો અભાવ, સરકારને માત્ર પૈસાવાળાની ચિંતા

પોરબંદરઃ આજે પોરબંદર શહેરમાં આવેલ ભાવસિંહજી હોસ્પિટલની મુલાકાત કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુન મોઢવાડિયાએ લીધી ત્યાર બાદ પત્રકારોને જણાવ્યું હતું કે સરકારને માત્ર પૈસાવાળાની જ ચિંતા છે. ભાવસિંહજી હોસ્પિટલમાં 14 મેડિકલ ઓફિસરોની જગ્યાએ માત્ર આઠ જ મેડિકલ ઓફિસરો છે. હાલ ફરજ પર રહેલા આઠ મેડિકલ ઓફિસરોમાંથી ત્રણ ડૉક્ટરને ઈમરજન્સી માટે 24 કલાકની ડ્યુટીમાં કાર્યરત રહેવું પડે છે.

મોઢવાડિયાઃ પોરબંદરમાં પૂરતી દવા, તબીબો અને વેન્ટિલેટરનો અભાવ, સરકારને માત્ર પૈસાવાળાની ચિંતા
મોઢવાડિયાઃ પોરબંદરમાં પૂરતી દવા, તબીબો અને વેન્ટિલેટરનો અભાવ, સરકારને માત્ર પૈસાવાળાની ચિંતા
જ્યારે હોસ્પિટલમાં પેરામેડિકલ સ્ટાફ ફરજ ઉપર છે તેમાં કાયમી ફરજ પરના પેરામેડિકલ કર્મચારીઓ જૂજ છે. મોટાભાગે પેરામેડિકલ સ્ટાફ કોન્ટ્રાકટરો દ્વારા ફાળવાયેલો અને એ પણ અપૂરતો છે. કોરોના દર્દીની સારવાર માટે જરૂરી રેમડિસિવર અને ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનનો જથ્થો માત્ર એક જ દર્દીને આપી શકાય તેમ છે. આથી તાત્કાલિક વ્યવસ્થાઓ કરે નહીં તો કોરોનાની મહામારી ફેલાવો વધશે તેમ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.
મોઢવાડિયાઃ પોરબંદરમાં પૂરતી દવા, તબીબો અને વેન્ટિલેટરનો અભાવ, સરકારને માત્ર પૈસાવાળાની ચિંતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.