પોરબંદરઃ પોરબંદર જિલ્લાના પ્રભારી પ્રવાસન અને મત્સ્યોધોગ વિભાગના પ્રધાન જવાહર ચાવડાએ આજે પોરબંદર કલેકટર કચેરી ખાતે કાર્યરત COVID -19 વોર રૂમનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે જિલ્લા કલેકટર, એસ.પી અને ડી.ડી.ઓ. સહિતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.
પોરબંદર જિલ્લામાં કોરોનાના નિયંત્રણ માટે અત્યાર સુધી કરવામા આવેલી કામગીરીને પ્રોત્સાહન આપતા વિશેષ તકેદારી અને લોકોને રાખવાની થતી સાવચેતી –જન જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યુ હતું.
![Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gh-pbr-03-prbhari-meeting-10018_21052020192855_2105f_1590069535_432.jpeg)