પોરબંદરની બે દિવસની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કિર્તી મંદિર, આર્ય કન્યા ગુરૂકુળ અને સાંદિપની આશ્રમની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટર દિનેશ મોદીએ તેમને ગાંધીજીનાં જીવન સાથે સંકળાયેલી બાબતોની વિગતો આપી હતી.
કિર્તીમંદિરની મુલાકાત બાદ રાજ્યપાલે આર્ય કન્યા ગુરૂકુળની મુલાકાત લીધી હતી. અહીં રાજયપાલનું ગુરૂકુળ વતી સુરેશભાઇ કોઠારીએ સ્વાગત કર્યુ હતું.
આર્ય કન્યા ગુરૂકુળની મુલાકાત બાદ રાજ્યપાલે ૧૭૦૦ વિધા જમીનમાં પથરાયેલ સાંદિપની આશ્રમ છાત્રાલય અને સાંદિપની પરીસરની મુલાકાત લઇ અહીં અપાતા શિક્ષણ અંગે જીણવટભરી વિગતો મેળવી હતી. અહીં આશ્રમનાં ઋષિકુમારોએ વેદમંત્રોચ્ચાર સાથે રાજયપાલનું સ્વાગત કર્યુ હતું.
રાજ્યપાલની પોરબંદર મુલાકાત અંગે જિલ્લા કલેકટર દિનેશ મોદી, જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, અધીક કલેકટર રાજેશ તન્નાએ સુચારૂ આયોજન કર્યુ હતું.