ETV Bharat / state

પોરબંદર: NFSA અને NON NFSA BPL રેશન કાર્ડ ધારકોને કરાયું અનાજનું વિનામૂલ્યે વિતરણ

author img

By

Published : May 19, 2020, 8:25 PM IST

પોરબંદર જિલ્લાના NFSA તથા NON NFSA BPL રેશન કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે થઇ રહ્યું છે, ત્યારે મંગળવારે જે કાર્ડ ધારકોના રેશનકાર્ડ નંબરનો છેલ્લોઆંક ૩ હતો તેઓને રાશન વિતરણ કરાયું હતુ.

NFSA
NFSA અને NON NFSA BPL રેશન કાર્ડ ધારકોને કરાયું અનાજનું વિનામૂલ્યે વિતરણ


પોરબંદરઃ જિલ્લાના NFSA તથા NON NFSA BPL રેશન કાર્ડ ધારકોને મે માસનુ સસ્તા ભાવની અનાજની દુકાનો પરથી 17 થી 27 મે સુધી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની કામગીરીના ભાગરૂપે આજે એટલે કે 19 મે ના રોજ જે કાર્ડ ધારકોના રેશનકાર્ડ નંબરનો છેલ્લોઆંક ૩ હતો તેઓને રાશન વિતરણ કરાયું હતુ.

આવતી કાલે 20 મે ના રોજ જે રેશનકાર્ડનો છેલ્લો આંક 4 હશે તે કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે. જ્યારે 27 મે સુધીમાં પોરબંદર જિલ્લાની 218 સસ્તા ભાવની અનાજની દુકાનો પરથી જિલ્લાના 78 હજારથી વધુ પરિવારોને અનાજ વિતરણ કરવામાં આવશે.

કોરોના મહામારીના કારણે લોકડાઉનની સ્થિતિમાં મુખ્યપ્રધાન દ્રારા NFSA તથા NON NFSA BPL રેશન કાર્ડ ધારકોને મે માસનુ નિયમિત તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઘઉ, ચોખા, ચણા, ખાંડ તથા મીઠું વિનામૂલ્યે અનાજ વિતરણ કરાઇ રહ્યું છે.

આ સાથે જ રાશનનો જથ્થો મેળવતા સમયે લાભાર્થીઓએ કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાઇ તે માટે સામાજિક અંતર રાખવું તથા માસ્ક ફરજિયાત પહેરવા જેવા નિયમોનું પાલન કરાવનું રહેશે.


પોરબંદરઃ જિલ્લાના NFSA તથા NON NFSA BPL રેશન કાર્ડ ધારકોને મે માસનુ સસ્તા ભાવની અનાજની દુકાનો પરથી 17 થી 27 મે સુધી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની કામગીરીના ભાગરૂપે આજે એટલે કે 19 મે ના રોજ જે કાર્ડ ધારકોના રેશનકાર્ડ નંબરનો છેલ્લોઆંક ૩ હતો તેઓને રાશન વિતરણ કરાયું હતુ.

આવતી કાલે 20 મે ના રોજ જે રેશનકાર્ડનો છેલ્લો આંક 4 હશે તે કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે. જ્યારે 27 મે સુધીમાં પોરબંદર જિલ્લાની 218 સસ્તા ભાવની અનાજની દુકાનો પરથી જિલ્લાના 78 હજારથી વધુ પરિવારોને અનાજ વિતરણ કરવામાં આવશે.

કોરોના મહામારીના કારણે લોકડાઉનની સ્થિતિમાં મુખ્યપ્રધાન દ્રારા NFSA તથા NON NFSA BPL રેશન કાર્ડ ધારકોને મે માસનુ નિયમિત તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઘઉ, ચોખા, ચણા, ખાંડ તથા મીઠું વિનામૂલ્યે અનાજ વિતરણ કરાઇ રહ્યું છે.

આ સાથે જ રાશનનો જથ્થો મેળવતા સમયે લાભાર્થીઓએ કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાઇ તે માટે સામાજિક અંતર રાખવું તથા માસ્ક ફરજિયાત પહેરવા જેવા નિયમોનું પાલન કરાવનું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.