પોરબંદર: સામાન્ય રીતે દર વર્ષે પ્રતિબંધ બાદ 15મી ઓગસ્ટથી માછીમારો માછીમારીની શરૂઆત કરતા હોય છે. પરંતુ આ પરિપત્ર અનુસાર હવે માછીમારો 1 ઓગસ્ટથી ફરીથી માછીમારીની શરૂઆત કરી શકશે. આમ 15 દિવસ વહેલી માછીમારીની શરૂઆત કરી શકવાથી પોરબંદર માછીમારી બોટ એસોસિએશનના પ્રમુખ અશ્વિનભાઈ જુંગી એ આ નિર્ણયને આવકાર્યો હતો. તેમજ માછીમારોના હિત માટે આ કાયદો હોવાનું જણાવ્યું હતું.
આમ, 1 જૂનથી 31 જુલાઇ સુધી 61 દિવસના ગાળામાં માછીમારો યાંત્રિક બોટો દ્વારા આંતરદેશીય તથા પ્રાદેશિક જળ ક્ષેત્રમાં માછીમારી પર મદદનીશ મત્સ્યોધ્યોગ નિયામક પોરબંદર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.