ETV Bharat / state

1 જૂનથી 31 જુલાઈ-2020 સુધી માછીમારી પર પ્રતિબંધ: માછીમારોએ સરકારના નિર્ણયને આવકાર્યો - માછીમારી પર સરકાર દ્વારા પ્રતિબંધ

દર વર્ષે ચોમાસાની ઋતુમાં મચ્છી ઉદ્યોગ દ્વારા માછીમારી પર પ્રતિબંધ લાદવામાં આવતો હોય છે. તેવી જ રીતે આ વર્ષે પણ ગુજરાત સરકારના ગુજરાત મત્સ્યોધ્યોગ કાયદા તથા અધિનિયમ 2003 અને મત્સ્યોદ્યોગ કમિશનર કચેરી ગાંધીનગરના પત્ર અનુસાર તા. 1 જૂન 2020 થી તારીખ 31 જૂલાઇ 2020 સુધી પોરબંદર જિલ્લાના દરિયાકાંઠાના પ્રદેશિક જળવિસ્તારમાં આંતરદેશીય તથા પ્રાદેશિક ક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયને માછીમારોએ આવકાર્યો છે.

Government bans fishing
માછીમારી પર સરકાર દ્વારા પ્રતિબંધ
author img

By

Published : May 23, 2020, 4:31 PM IST

પોરબંદર: સામાન્ય રીતે દર વર્ષે પ્રતિબંધ બાદ 15મી ઓગસ્ટથી માછીમારો માછીમારીની શરૂઆત કરતા હોય છે. પરંતુ આ પરિપત્ર અનુસાર હવે માછીમારો 1 ઓગસ્ટથી ફરીથી માછીમારીની શરૂઆત કરી શકશે. આમ 15 દિવસ વહેલી માછીમારીની શરૂઆત કરી શકવાથી પોરબંદર માછીમારી બોટ એસોસિએશનના પ્રમુખ અશ્વિનભાઈ જુંગી એ આ નિર્ણયને આવકાર્યો હતો. તેમજ માછીમારોના હિત માટે આ કાયદો હોવાનું જણાવ્યું હતું.

તા. 1 જૂનથી 31 જુલાઈ 2020 સુધી માછીમારી પર સરકાર દ્વારા પ્રતિબંધ

આમ, 1 જૂનથી 31 જુલાઇ સુધી 61 દિવસના ગાળામાં માછીમારો યાંત્રિક બોટો દ્વારા આંતરદેશીય તથા પ્રાદેશિક જળ ક્ષેત્રમાં માછીમારી પર મદદનીશ મત્સ્યોધ્યોગ નિયામક પોરબંદર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પોરબંદર: સામાન્ય રીતે દર વર્ષે પ્રતિબંધ બાદ 15મી ઓગસ્ટથી માછીમારો માછીમારીની શરૂઆત કરતા હોય છે. પરંતુ આ પરિપત્ર અનુસાર હવે માછીમારો 1 ઓગસ્ટથી ફરીથી માછીમારીની શરૂઆત કરી શકશે. આમ 15 દિવસ વહેલી માછીમારીની શરૂઆત કરી શકવાથી પોરબંદર માછીમારી બોટ એસોસિએશનના પ્રમુખ અશ્વિનભાઈ જુંગી એ આ નિર્ણયને આવકાર્યો હતો. તેમજ માછીમારોના હિત માટે આ કાયદો હોવાનું જણાવ્યું હતું.

તા. 1 જૂનથી 31 જુલાઈ 2020 સુધી માછીમારી પર સરકાર દ્વારા પ્રતિબંધ

આમ, 1 જૂનથી 31 જુલાઇ સુધી 61 દિવસના ગાળામાં માછીમારો યાંત્રિક બોટો દ્વારા આંતરદેશીય તથા પ્રાદેશિક જળ ક્ષેત્રમાં માછીમારી પર મદદનીશ મત્સ્યોધ્યોગ નિયામક પોરબંદર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.