પોરબંદરઃ ગ્રામીણ વિસ્તારના લોકોને પીવાના પાણીની ફરીયાદ અંગે સરકાર દ્રારા ટોલ ફ્રી હેલ્પ લાઇન નં. 1916 શરૂ કરાયા છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો પીવાના પાણીને લગતી ફરિયાદો જેમ કે, હેન્ડ પંપ રીપેરીંગ, મીની પાઇપ યોજનાનું રીપેરીંગ અને વ્યક્તિગત કે જુથ પાણી પુરવઠા યોજના દ્રારા આપવામાં આવતા પાણી અંગેની કોઇપણ ફરિયાદ નોંધાવી શકાશે.
આ ઉપરાંત પાઇપ લાઇનમાં ભંગાણ કે લીકેજ હોય, પાણીની ચોરી થતી હોય અથવા પાણીનો ખોટો વેડફાટ થતો હોય તેવા કિસ્સામાં પણ ફરિયાદ નોંધાવી શકાશે. જો કોઇ કિસ્સામાં ટોલ ફ્રી નં.1916 વ્યસ્ત જણાય તો તેવા કિસ્સામાં 1800-233-3944 ઉપર પણ ફરિયાદ નોંધાવી શકાશે.
વધુમાં જણાવીએ તો ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્રારા ઓનલાઇન ફરિયાદ સુવિધા પણ પુરી પાડવામાં આવી છે. ws.gujarat.gov.in વેબસાઇટના New Complaint સેકશન મારફતે નવી ફરિયાદ નોંધાવી શકાશે.