પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા સવદાસ આલાભાઈ સીડા(ઉ 76)ની પોરબંદરના એરપોર્ટ પાસે ધરમ પુર નજીકના વોકળા કાંઠે સર્વે નમ્બર 1170 જુના રે.સ .નં.274/2 પૈકીની જમીનમાં 8 વીઘા જમીન ફાળવવામાં આવી હતી,
તેમના પિતાના મૃત્યુ બાદ સવદાસભાઈ ખાતેદાર બન્યા હતા. જ્યારે 19-09-2019ના રોજ આ જમીન અન્ય વ્યક્તીઓ દ્વારા ખોટી રીતે બિન ખેતી નોંધ કરી દેતા તેઓને નોટિસ મળી હતી, જેના કારણે સવદાસભાઈએ જીવન ટૂંકાવ્યાનું તેમના પુત્ર વિરમભાઈએ જણાવ્યું હતું.