ETV Bharat / state

પોરબંદરમાં અબોલ પશુઓ માટે પશુપાલન વિભાગની કામગીરી

author img

By

Published : Aug 30, 2019, 6:16 AM IST

પોરબંદરઃ એક સમય હતો જ્યારે યોગ્ય સમયે સારવાર ન મળતા અબોલ પશુઓ જીવ પણ ગુમાવી દેતા પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા અબોલ પશુઓને યોગ્ય સમયે સારવાર મળે તે હેતુ સર અથાગ પ્રયત્નો હાથ ધરાય રહ્યા છે, પરંતુ સરકાર રખડતા ઢોર અંગે કડક નિયમ અપનાવે તેવી લોક માંગ પણ ઉઠી છે.

પશુપાલન વિભાગ

પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર જિલ્લામાં પશુ વસ્તી ગણતરી 2012ના આંકડા મુજબ 2,73,834 પશુઓ છે. જેમાં વધારો પણ થઈ શકે કારણ કે, 2019ની પશુ વસ્તી ગણતરી હાલ ચાલી રહી છે. જિલ્લા પંચાયત હેઠળ પોરબંદર જીલ્લામાં પશુઓને યોગ્ય સારવાર મળી રહે તે હેતુસર 7 પશુ સારવાર કેન્દ્ર અને 11 પશુ દવાખાના છે. પોરબંદર શહેરમાં કમલાબાગ પાસે આવેલા પશુ દવાખાનામાં એક મહિનામાં આશરે 60 જેટલા પશુઓને સારવાર આપવામાં આવે છે. તો પશુઓમાં મોટા ભાગે ગળ છુંદો નામનો રોગ દેખાય છે. આ ઉપરાંત ડાયજેસ્ટિવ ડીસ ઓડર, હાઇપો કેલસિમિયા એપિમેરલ ફીવર જેવી બીમારી થતી હોય છે જેની સારવાર આપવામાં આવે છે.

પશુપાલન વિભાગ

આ ઉપરાંત 2008થી રાજ્ય પશુપાલન વિભાગ દ્વારા પોરબંદરના ખાપટ વિસ્તારમાં વિવિધ લક્ષી પશુ દવાખાનું શરૂ કરાયું છે. જેમાં આધુનિક ટેકનોલોજી અને વિવિધ સુવિધાઓથી પશુઓને સારવાર આપવામાં આવે છે. બ્લડ ગ્લુકોમિટર, મેટલ ડિટેક્ટર, કૃત્રિમ બીજદાન, ક્રાયો સર્જરી પણ કરવામાં આવે છે તેમજ ભવિષ્યમાં એક્સ રે અને સોનોગ્રાફી મશીન પણ લાવાની પ્રક્રિયા થઈ રહી છે.

આ ઉપરાંત જેમ લોકો માટે 108 એમ્બ્યુલન્સ છે તેમ જ પશુઓ માટે પશુપાલન વિભાગ દ્વારા 1962 એનિમલ એમ્બ્યુલન્સ કરુણા અભિયાન શરૂ કરાયું છે. જેમાં કોલ કરતા બિનવારસુ પશુઓને સ્થળ પર જ સારવાર મળે છે. છેલ્લા એક માસમાં અંદાજે 250 પશુઓને કરુણા અભિયાન દ્વારા સારવાર અપાઈ છે તેમ વેટરનરી ડોકટર યસ પટેલે જણાવ્યું હતું.

જ્યારે પોરબંદરમાં ગૌસેવા કરતા રાજુભાઈએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. જેનો લાભ અબોલ પશુઓને મળી રહ્યો છે. સરકાર દ્વારા ગૌ શાળામાં બિમાર ગાયો માટે દવા આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી. માધવપુરથી ઊંટ ગાડીનો વ્યવસાય કરતા ઊંટ માલિક રમેશગીરીએ જણાવ્યું હતું કે, ઊંટમાં ખસનો રોગ વધુ પડતો જોવા મળે છે. જે માણસોમાં પણ થાય છે આથી આ રોગ મટાડવા માટે સરકારી હોસ્પિટલમાંથી જ દવા મળી રહે છે. જે અંગે લોકોમાં વધુ જાગૃતિ લાવવી જરૂર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર જિલ્લામાં પશુ વસ્તી ગણતરી 2012ના આંકડા મુજબ 2,73,834 પશુઓ છે. જેમાં વધારો પણ થઈ શકે કારણ કે, 2019ની પશુ વસ્તી ગણતરી હાલ ચાલી રહી છે. જિલ્લા પંચાયત હેઠળ પોરબંદર જીલ્લામાં પશુઓને યોગ્ય સારવાર મળી રહે તે હેતુસર 7 પશુ સારવાર કેન્દ્ર અને 11 પશુ દવાખાના છે. પોરબંદર શહેરમાં કમલાબાગ પાસે આવેલા પશુ દવાખાનામાં એક મહિનામાં આશરે 60 જેટલા પશુઓને સારવાર આપવામાં આવે છે. તો પશુઓમાં મોટા ભાગે ગળ છુંદો નામનો રોગ દેખાય છે. આ ઉપરાંત ડાયજેસ્ટિવ ડીસ ઓડર, હાઇપો કેલસિમિયા એપિમેરલ ફીવર જેવી બીમારી થતી હોય છે જેની સારવાર આપવામાં આવે છે.

પશુપાલન વિભાગ

આ ઉપરાંત 2008થી રાજ્ય પશુપાલન વિભાગ દ્વારા પોરબંદરના ખાપટ વિસ્તારમાં વિવિધ લક્ષી પશુ દવાખાનું શરૂ કરાયું છે. જેમાં આધુનિક ટેકનોલોજી અને વિવિધ સુવિધાઓથી પશુઓને સારવાર આપવામાં આવે છે. બ્લડ ગ્લુકોમિટર, મેટલ ડિટેક્ટર, કૃત્રિમ બીજદાન, ક્રાયો સર્જરી પણ કરવામાં આવે છે તેમજ ભવિષ્યમાં એક્સ રે અને સોનોગ્રાફી મશીન પણ લાવાની પ્રક્રિયા થઈ રહી છે.

આ ઉપરાંત જેમ લોકો માટે 108 એમ્બ્યુલન્સ છે તેમ જ પશુઓ માટે પશુપાલન વિભાગ દ્વારા 1962 એનિમલ એમ્બ્યુલન્સ કરુણા અભિયાન શરૂ કરાયું છે. જેમાં કોલ કરતા બિનવારસુ પશુઓને સ્થળ પર જ સારવાર મળે છે. છેલ્લા એક માસમાં અંદાજે 250 પશુઓને કરુણા અભિયાન દ્વારા સારવાર અપાઈ છે તેમ વેટરનરી ડોકટર યસ પટેલે જણાવ્યું હતું.

જ્યારે પોરબંદરમાં ગૌસેવા કરતા રાજુભાઈએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. જેનો લાભ અબોલ પશુઓને મળી રહ્યો છે. સરકાર દ્વારા ગૌ શાળામાં બિમાર ગાયો માટે દવા આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી. માધવપુરથી ઊંટ ગાડીનો વ્યવસાય કરતા ઊંટ માલિક રમેશગીરીએ જણાવ્યું હતું કે, ઊંટમાં ખસનો રોગ વધુ પડતો જોવા મળે છે. જે માણસોમાં પણ થાય છે આથી આ રોગ મટાડવા માટે સરકારી હોસ્પિટલમાંથી જ દવા મળી રહે છે. જે અંગે લોકોમાં વધુ જાગૃતિ લાવવી જરૂર છે.

Intro:પોરબંદર માં અબોલ પશુઓની સારવાર માટે પશુપાલન વિભાગનો પ્રયાસ



એક સમય હતો જ્યારે યોગ્ય સમયે સારવાર ન મળતા અબોલ પશુઓ જીવ પણ ગુમાવી દેતા પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા અબોલ પશુ ઓને યોગ્ય સમયે સારવાર મળે તે હેતુ સર અથાગ પ્રયત્નો કરી રહી છે.પરંતુ સરકાર રખડતા ઢોર અંગે કડક નિયમ અપનાવે તેવી લોક માંગ પણ ઉઠી છે
Body:પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર જિલ્લા માં પશુ વસ્તી ગણતરી 2012 ના આંકડા મુજબ 2,73,834 પશુઓ છે જેમાં વધારો પણ થઈ શકે કારણકે 2019 ની પશુ વસ્તી ગણતરી હાલ ચાલી રહી છે જિલ્લા પંચાયત હેઠળ પોરબંદર જીલ્લા માં પશુઓ ને યોગ્ય સારવાર મળી રહે તે હેતુસર 7 પશુ સારવાર કેન્દ્ર અને 11 પશુ દવાખાના છે પોરબંદર શહેર માં કમલાબાગ પાસે આવેલ પશુ દવાખાના માં એક મહિના માં આશરે 60 જેટલા પશુઓને સારવાર આપવામાં આવે છે


તો પશુ ઓ માં મોટા ભાગે ગળ છુંદો નામનો રોગ દેખાય છે આ ઉપરાંત ડાયજેસ્ટિવ ડીસ ઓડર ,હાઇપો કેલસિમિયા એપિમેરલ ફીવર જેવી બીમારી થતી હોય છે જેની સારવાર આપવામાં આવે છે


આ ઉપરાંત 2008 થી રાજ્ય પશુપાલન વિભાગ દ્વારા પોરબંદર ના ખાપટ વિસ્તારમાં વિવિધ લક્ષી પશુ દવાખાનું શરૂ કરાયું છે જેમાં આધુનિક ટેકનોલોજી અને વિવિધ સુવિધાઓ થી પશુઓને સારવાર આપવામાં આવે છે બ્લડ ગ્લુકોમિટર,મેટલ ડિટેક્ટર,કૃત્રિમ બીજદાન,ક્રાયો સર્જરી પણ કરવામાં આવે છે ભવિષ્ય માં એક્સ રે અને સોનોગ્રાફી મશીન પણ લાવાની પ્રક્રિયા થઈ રહી છે

આ ઉપરાંત જેમ લોકો માટે 108 એમ્બ્યુલન્સ છે એમ પશુઓ માટે પશુપાલન વિભાગ દ્વારા 1962 એનિમલ એમ્બ્યુલન્સ કરુણા અભિયાન શરૂ કરાયું છે જેમાં કોલ કરતા બિનવારસુ પશુઓ ને સ્થળ પર જ સારવાર મળે છે છેલા એક માસ માં અંદાજે 250 પશુઓને કરુણા અભિયાન દ્વારા સારવાર અપાઈ રહી છે તેમ વેટરનરી ડોકટર યસ પટેલે જણાવ્યું હતું

Conclusion:
જ્યારે પોરબંદર માં ગૌસેવા કરતા રાજુભાઈ એ જણાવ્યું હતું કે સરકાર દ્વારા અનેક પ્રયત્નો થઈ રહયા છે જેનો લાભ અબોલ પશુઓ ને મળી રહ્યો છે સરકાર દ્વારા ગૌ શાળા માં બીમાર ગાયો માટે દવા આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી

તો માધવપુર થી ઊંટ ગાડી નો વ્યવસાય કરતા ઊંટ માલિક રમેશગીરીએ જણાવ્યું હતું કે ઊંટ માં ખસ નો રોગ વધુ પડતો જોવા મળે છે જે માણસો માં પણ થાય છે આથી આ રોગ મટાડવા માટે સરકારી હોસ્પિટલમાં થી જ દવા મળી રહે છે જે અંગે લોકોમાં વધુ જાગૃતિ લાવવા જરૂર છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.