ETV Bharat / state

પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ પોરબંદરની 1 બોટ અને 6 માછીમારોનું કર્યું અપહરણ

ભારતીય જળ સીમા પરથી ફરી 1 બોટ અને 6 માછીમારોનું અપહરણ થયું છે. ત્યારે માછીમારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને માછીમારોના પરિવારને મોભી ગુમાવવાનોનો વારો આવે છે.

author img

By

Published : Apr 14, 2021, 11:00 PM IST

પોરબંદરની 1 બોટ અને 6 માછીમારોનું પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ કર્યું અપહરણ
પોરબંદરની 1 બોટ અને 6 માછીમારોનું પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ કર્યું અપહરણ
  • 13 એપ્રિલે સાંજે થયું બોટનું અપહરણ
  • પકડાપકડીનો ખેલ બંધ કરવા સાંસદ રામ મોકરિયાએ વડાપ્રધાનને કરી હતી રજૂઆત
  • અપહરણની ઘટનાથી માછીમારો પરેશાન

પોરબંદરઃ ભારતીય જળ સીમા પરથી અનેકવાર માછીમારોના અપહરણની ઘટના સામે આવે છે. ત્યારે 13 એપ્રિલે સાંજે પોરબંદર ખાતે ફરી 1 બોટ અને 6 માછીમારોનું અપહરણ થયું છે. ત્યારે માછીમારોમાં રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સે 2 ભારતીય બોટ અને 11 માછીમારોનું કર્યું અપહરણ

હજુ બોટ પાકિસ્તાન પહોંચી નથી

તાજેતરમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ ભારતીય જળ સીમા પરથી પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોના અપહરણ બાબતે પકડા-પકડીનો ખેલ બંધ કરવામાં આવે તેવા પ્રયાસ અંગે રજૂઆત કરી હતી. ત્યારે 14 એપ્રિલે ફરી વધુ એક પોરબંદરની બોટ અને 6 માછીમારોના અપહરણ થતા આ વિષય પર પગલાં લેવામાં સરકાર કડકાઈથી પગલાં ક્યારે લેશે તે બાબતે પ્રશ્નનાર્થ ઊભા થાય છે. નેશનલ ફિશ ફોરમના મનીષ લોઢારીએ જણાવ્યું હતું કે, 13 એપ્રિલે સાંજે આ પોરબંદરની બોટનું અપહરણ પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા થયુ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 6 માછીમારો હતા. પરંતું હજુ આ બોટ પાકિસ્તાન પહોંચી નથી. આથી તેનું નામ ત્યાં પહોંચી જાય ત્યાર બાદ જ જાણવા મળશે.

  • 13 એપ્રિલે સાંજે થયું બોટનું અપહરણ
  • પકડાપકડીનો ખેલ બંધ કરવા સાંસદ રામ મોકરિયાએ વડાપ્રધાનને કરી હતી રજૂઆત
  • અપહરણની ઘટનાથી માછીમારો પરેશાન

પોરબંદરઃ ભારતીય જળ સીમા પરથી અનેકવાર માછીમારોના અપહરણની ઘટના સામે આવે છે. ત્યારે 13 એપ્રિલે સાંજે પોરબંદર ખાતે ફરી 1 બોટ અને 6 માછીમારોનું અપહરણ થયું છે. ત્યારે માછીમારોમાં રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સે 2 ભારતીય બોટ અને 11 માછીમારોનું કર્યું અપહરણ

હજુ બોટ પાકિસ્તાન પહોંચી નથી

તાજેતરમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ ભારતીય જળ સીમા પરથી પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોના અપહરણ બાબતે પકડા-પકડીનો ખેલ બંધ કરવામાં આવે તેવા પ્રયાસ અંગે રજૂઆત કરી હતી. ત્યારે 14 એપ્રિલે ફરી વધુ એક પોરબંદરની બોટ અને 6 માછીમારોના અપહરણ થતા આ વિષય પર પગલાં લેવામાં સરકાર કડકાઈથી પગલાં ક્યારે લેશે તે બાબતે પ્રશ્નનાર્થ ઊભા થાય છે. નેશનલ ફિશ ફોરમના મનીષ લોઢારીએ જણાવ્યું હતું કે, 13 એપ્રિલે સાંજે આ પોરબંદરની બોટનું અપહરણ પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા થયુ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 6 માછીમારો હતા. પરંતું હજુ આ બોટ પાકિસ્તાન પહોંચી નથી. આથી તેનું નામ ત્યાં પહોંચી જાય ત્યાર બાદ જ જાણવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.