ETV Bharat / state

પાટણના શેરપુરા ગામે તળાવમાં ડૂબી જવાથી 2 કિશોરના મોત - શેરપુરા ગામની ઘટના

સમી તાલુકાના શેરપુરા ગામ તળાવમાં મિત્રો સાથે ન્હાવા પડેલા એક જ કુટુંબના બે કિશોરનું તળાવના પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. એક સાથે બે બાળકોના મોત થતાં પરિવારજનોમાં છવાયો હતો.

પાટણના શેરપુરા ગામે તળાવમાં ડૂબી જવાથી બે કિશોરના મોત
પાટણના શેરપુરા ગામે તળાવમાં ડૂબી જવાથી બે કિશોરના મોત
author img

By

Published : Jun 17, 2020, 10:43 PM IST

પાટણ: સમી તાલુકાના શેરપુરા ગામમાં રહેતા 14 વર્ષીય પરમાર જયેશ તથા તેનો કૌટુંબિક ભાઇ રાહુલ તેમના મિત્રો સાથે ગામના તળાવમાં ન્હાવા પડ્યા હતા. ત્યારે કોઈ કારણોસર આ બન્ને કિશોરો તળાવના પાણીમાં ડૂબ્યા હતા ત્યારે મિત્રોએ બૂમાબૂમ કરતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને તળાવમાં શોધખોળ કરી આ બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંને કિશોરોને મૃત જાહેર કર્યા હતા.

શેરપુરા ગામમાં એક જ પરિવારના બે બાળકોના એકસાથે મોત થતાં પરિવારજનો સહિત ગામમાં શોક છવાયો હતો.

પાટણ: સમી તાલુકાના શેરપુરા ગામમાં રહેતા 14 વર્ષીય પરમાર જયેશ તથા તેનો કૌટુંબિક ભાઇ રાહુલ તેમના મિત્રો સાથે ગામના તળાવમાં ન્હાવા પડ્યા હતા. ત્યારે કોઈ કારણોસર આ બન્ને કિશોરો તળાવના પાણીમાં ડૂબ્યા હતા ત્યારે મિત્રોએ બૂમાબૂમ કરતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને તળાવમાં શોધખોળ કરી આ બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંને કિશોરોને મૃત જાહેર કર્યા હતા.

શેરપુરા ગામમાં એક જ પરિવારના બે બાળકોના એકસાથે મોત થતાં પરિવારજનો સહિત ગામમાં શોક છવાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.