ETV Bharat / state

પાટણમાં શ્રીમાળી બ્રાહ્મણ સમાજે ઉજવી મડા સાતમ, શું છે આ સાતમ? જાણો - આરોગ્ય નિરોગી અને તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરાઈ

પાટણમાં રહેલા શ્રીમાળી સામવેદી બ્રાહ્મણો અને યજુર્વેદી બ્રાહ્મણોએ પરંપરા મુજબ મડા સાતમની ઉજવણી કરી હતી. આ સમાજના લોકોએ કુળદેવી બિંદુક્ષણી માતાની પૂજા-અર્ચના કરી હતી. સાથે જ આરોગ્ય નિરોગી અને તંદુરસ્ત રહે તે માટે પ્રાર્થના કરી હતી.

પાટણમાં શ્રીમાળી બ્રાહ્મણ સમાજે ઉજવી મડા સાતમ, શું છે આ સાતમ? જાણો
પાટણમાં શ્રીમાળી બ્રાહ્મણ સમાજે ઉજવી મડા સાતમ, શું છે આ સાતમ? જાણો
author img

By

Published : Oct 13, 2021, 11:27 AM IST

  • પાટણમાં મોડા સાતમની કરવામાં આવી ઉજવણી
  • મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ થયા એકત્રિત
  • શ્રીમાળી બ્રાહ્મણ સમાજના લોકોએ નનામી પર આરૂઢ થઈ નિરોગી આરોગ્યની કરી પ્રાર્થના

પાટણઃ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મડા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં રહેતા શ્રીમાળી સામવેદી બ્રાહ્મણો અને યજુર્વેદી બ્રાહ્મણોએ પરંપરા મુજબ ઉજવણી કરી હતી. દરેક દેવી દેવતાઓ અલગ-અલગ વાહનો પર આરૂઢ થયેલા હોય છે. જ્યારે પાટણમાં બિરાજમાન બિંદુક્ષણી માતા શબ પર બિરાજમાન છે. તેથી તેને શબવાહિની માતા કહેવામાં આવે છે, જે ખરેખર આશ્ચર્યની બાબત છે, પરંતુ તેની પાછળ પણ એક ઈતિહાસ વર્ણવાયેલો છે.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન નવરાત્રિ પર રૂપાલ માતાજીના મંદિરની મુલાકાતે, મેળો નહીં યોજાય

આ સાતમનો ઈતિહાસ

વર્ષો પહેલા રોગચાળો ફાટી નીકળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. તે સમયે આ રોગચાળાથી બચવા એ સમયે શ્રીમાળી તેમ જ યજુર્વેદી બ્રાહ્મણો દ્વારા કુળદેવી બિંદુક્ષણી માતાની પૂજા કરી નનામી મા મડું મૂકી તેને ફેરવી હતી. આથી રોગચાળામાંથી મુક્તિ મળી હતી. ત્યારથી જ બ્રાહ્મણો દર વર્ષે નવરાત્રિના સાતમના દિવસે મડા સાતમની ઉજવણી કરે છે. બિંદુક્ષણી માતાનું વાહન શબ હોવાથી તેના પ્રતિકરૂપે નનામી બનાવવામાં આવે છે અને માતાજીની પૂજા-અર્ચના કર્યા બાદ દરેક લોકો આ નામની ઉપર બેસી વર્ષ દરમિયાન પોતાનું આરોગ્ય નિરોગી અને તંદુરસ્ત રહે તે માટે માતાજીને પ્રાર્થના કરે છે.

શ્રીમાળી બ્રાહ્મણ સમાજના લોકોએ નનામી પર આરૂઢ થઈ નિરોગી આરોગ્યની કરી પ્રાર્થના

આ પણ વાંચોઃ ખેલૈયાઓના રંગમાં ભંગઃ અરબી સમુદ્રમાં ભેજના કારણે વરસાદની શક્યતા

વર્ષોની પરંપરા આજે પણ અકબંધ જોવા મળી

છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને આજે પણ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા જાળવી રાખવામાં આવી છે અને મોટી સંખ્યામાં સમાજના લોકો માતાજીના મંદિરે ભેગા થઈ માતાજીની પૂજા-અર્ચના કરે છે અને પ્રતીકરૂપે બનાવેલી નનામી ઉપર બેસી વર્ષ દરમિયાન આરોગ્ય નિરોગી અને તંદુરસ્ત રહે તે માટેની પ્રાર્થના કરે છે.

આધુનિક યુગમાં પણ જાળવી રાખી છે પરંપરા

આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ હાલમાં ચાલી રહી છે ત્યારે વિવિધ સમાજમાં રહેલી જૂની પ્રથા અને પરંપરાઓ આજે પણ અકબંધ જોવા મળે છે. આધુનિક યુગ હોવા છતાં સમાજમાં રહેલી જૂની પરંપરાઓ પ્રથાઓ અને કરવઠાને લોકો આજે પણ શ્રદ્ધા પૂર્વક પુરા કરે છે. ત્યારે પાટણમાં પણ આ વર્ષોની મડા સાતમ ની પરંપરા આજે પણ શ્રીમાળી સામવેદી બ્રાહ્મણો દ્વારા જાળવી રાખવામાં આવી છે.

  • પાટણમાં મોડા સાતમની કરવામાં આવી ઉજવણી
  • મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ થયા એકત્રિત
  • શ્રીમાળી બ્રાહ્મણ સમાજના લોકોએ નનામી પર આરૂઢ થઈ નિરોગી આરોગ્યની કરી પ્રાર્થના

પાટણઃ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મડા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં રહેતા શ્રીમાળી સામવેદી બ્રાહ્મણો અને યજુર્વેદી બ્રાહ્મણોએ પરંપરા મુજબ ઉજવણી કરી હતી. દરેક દેવી દેવતાઓ અલગ-અલગ વાહનો પર આરૂઢ થયેલા હોય છે. જ્યારે પાટણમાં બિરાજમાન બિંદુક્ષણી માતા શબ પર બિરાજમાન છે. તેથી તેને શબવાહિની માતા કહેવામાં આવે છે, જે ખરેખર આશ્ચર્યની બાબત છે, પરંતુ તેની પાછળ પણ એક ઈતિહાસ વર્ણવાયેલો છે.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન નવરાત્રિ પર રૂપાલ માતાજીના મંદિરની મુલાકાતે, મેળો નહીં યોજાય

આ સાતમનો ઈતિહાસ

વર્ષો પહેલા રોગચાળો ફાટી નીકળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. તે સમયે આ રોગચાળાથી બચવા એ સમયે શ્રીમાળી તેમ જ યજુર્વેદી બ્રાહ્મણો દ્વારા કુળદેવી બિંદુક્ષણી માતાની પૂજા કરી નનામી મા મડું મૂકી તેને ફેરવી હતી. આથી રોગચાળામાંથી મુક્તિ મળી હતી. ત્યારથી જ બ્રાહ્મણો દર વર્ષે નવરાત્રિના સાતમના દિવસે મડા સાતમની ઉજવણી કરે છે. બિંદુક્ષણી માતાનું વાહન શબ હોવાથી તેના પ્રતિકરૂપે નનામી બનાવવામાં આવે છે અને માતાજીની પૂજા-અર્ચના કર્યા બાદ દરેક લોકો આ નામની ઉપર બેસી વર્ષ દરમિયાન પોતાનું આરોગ્ય નિરોગી અને તંદુરસ્ત રહે તે માટે માતાજીને પ્રાર્થના કરે છે.

શ્રીમાળી બ્રાહ્મણ સમાજના લોકોએ નનામી પર આરૂઢ થઈ નિરોગી આરોગ્યની કરી પ્રાર્થના

આ પણ વાંચોઃ ખેલૈયાઓના રંગમાં ભંગઃ અરબી સમુદ્રમાં ભેજના કારણે વરસાદની શક્યતા

વર્ષોની પરંપરા આજે પણ અકબંધ જોવા મળી

છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને આજે પણ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા જાળવી રાખવામાં આવી છે અને મોટી સંખ્યામાં સમાજના લોકો માતાજીના મંદિરે ભેગા થઈ માતાજીની પૂજા-અર્ચના કરે છે અને પ્રતીકરૂપે બનાવેલી નનામી ઉપર બેસી વર્ષ દરમિયાન આરોગ્ય નિરોગી અને તંદુરસ્ત રહે તે માટેની પ્રાર્થના કરે છે.

આધુનિક યુગમાં પણ જાળવી રાખી છે પરંપરા

આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ હાલમાં ચાલી રહી છે ત્યારે વિવિધ સમાજમાં રહેલી જૂની પ્રથા અને પરંપરાઓ આજે પણ અકબંધ જોવા મળે છે. આધુનિક યુગ હોવા છતાં સમાજમાં રહેલી જૂની પરંપરાઓ પ્રથાઓ અને કરવઠાને લોકો આજે પણ શ્રદ્ધા પૂર્વક પુરા કરે છે. ત્યારે પાટણમાં પણ આ વર્ષોની મડા સાતમ ની પરંપરા આજે પણ શ્રીમાળી સામવેદી બ્રાહ્મણો દ્વારા જાળવી રાખવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.