ETV Bharat / state

પાટણનું હરતું-ફરતું રામ રહીમ અન્નક્ષેત્ર જરૂરિયાત મંદો માટે આશીર્વાદરૂપ બન્યું

ઐતિહાસિક નગરી પાટણમાં શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત હરતું-ફરતું રામ રહીમ અન્નક્ષેત્ર ભૂખ્યાઓની જઠારાગ્નિ ઠાળી માનવ ધર્મ નિભાવી સેવાની સુવાસ પ્રસરાવી રહ્યું છે. આ અન્નક્ષેત્ર દ્વારા નાતજાતના ભેદભાવ વગર ગાન્ડા, ઘેલા, દરીદ્ર નારાયણો અને જરૂરિયાત મંદોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. ચાર પૈડાની હાથલારીથી શરૂ થયેલ આ અન્નક્ષેત્ર હાલમાં આધુનિક સમયમાં ઈલેક્ટ્રીક ઈ-રીક્ષા દ્વારા શહેરની ગલીએ ગલીએ જઈ ભૂખ્યાઓને ભોજન પહોંચાડવાનું કાર્ય કરી રહ્યુ છે.

author img

By

Published : Oct 21, 2020, 5:25 AM IST

Updated : Oct 21, 2020, 3:23 PM IST

પાટણનું હરતું-ફરતું રામ રહીમ અન્નક્ષેત્ર જરૂરિયાત મંદો માટે આશીર્વાદરૂપ બન્યું
પાટણનું હરતું-ફરતું રામ રહીમ અન્નક્ષેત્ર જરૂરિયાત મંદો માટે આશીર્વાદરૂપ બન્યું
  • 14/1/1985માં એક શિક્ષકે આ અન્નક્ષેત્રની કરી શરૂઆત
  • શિક્ષક અને વિધાર્થીઓ લારી લઈ ગલીએ ગલીએ જરૂરિયાત મંદોને પહોંચાડતા હતા ભોજન
  • હાલમાં ઇ રીક્ષાના માધ્યમથી 500 જેટલા જરૂરિયાત મંદોને પહોંચાડવામાં આવી રહ્યું છે ભોજન

પાટણઃ રેલવેના છેલ્લા સ્ટેશન તરીકે જાણીતા બનેલા પાટણમાં ગાંડા, ઘેલા, દરીદ્ર નારાયણો આ છેલ્લા સ્ટેશને ઊતરી જતા હતા અને પાટણમાં જ્યા ત્યા ફરી પોતાની ભૂખ સંતોષવા માટે ફરતા હતા. આ જોઈ પાટણના શિક્ષક ઉમેદભાઈ આચાર્યએ તેમના પાંચ શિક્ષક મિત્રો અને નૂતન વિનય મંદિરના કેટલાક નવયુવાનોએ તારીખ 14/1/1985ના રોજ ઉત્તરાયણના પવિત્ર દિવસે હરતું-ફરતું રામ રહીમ અન્નક્ષેત્રનો પ્રારંભ કર્યો હતો.

પાટણનું હરતું-ફરતું રામ રહીમ અન્નક્ષેત્ર જરૂરિયાત મંદો માટે આશીર્વાદરૂપ બન્યું
પાટણનું હરતું-ફરતું રામ રહીમ અન્નક્ષેત્ર જરૂરિયાત મંદો માટે આશીર્વાદરૂપ બન્યું

શિક્ષક અને વિદ્યાર્થીઓ ચાર પૈડાની લારી લઈ શહેરની ગલીએ ગલીએ ફરી અંધ, અપંગ, ગાંડાઘેલા અને નિરાધારોને એક ટાઈમનું ભોજન પૂરું પાડવાની શરૂઆત કરી હતી. જેને આગળ જતા શહેરના કેટલાય સખી દાતાઓનો સાથ સહકાર અને આર્થિક સહયોગ મળતા હાલમાં આ અન્નક્ષેત્ર એક વટવૃક્ષ બન્યુ છે. હાલમાં આ અન્નક્ષેત્રના કાર્યકરો ઈ-રીક્ષા મારફતે શહેરના પછાત તથા ગરીબ વિસ્તારો તેમજ ફૂટપાથ પર આશરો લેનારા ભિક્ષુકોને દરરોજ સાંજે ભોજન પૂરું પાડી એક ઉમદા સેવા કાર્ય કરી રહ્યા છે. હાલમાં આ સંસ્થા દ્વારા 500થી વધુ જરૂરીયાત મંદોને નિયમિત રીતે ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

પાટણનું હરતું-ફરતું રામ રહીમ અન્નક્ષેત્ર જરૂરિયાત મંદો માટે આશીર્વાદરૂપ બન્યું
પાટણનું હરતું-ફરતું રામ રહીમ અન્નક્ષેત્ર જરૂરિયાત મંદો માટે આશીર્વાદરૂપ બન્યું
  • કુદરતી આપત્તિ સમયે પણ ભોજન ઉપરાંત અન્ય સહાય પુરી પાડી લોકોનો સહારો બને છે
  • લોકડાઉનમાં હોસ્પિટલોમાં દર્દીઓ અને તેમના પરિવારોને બે ટાઈમ ભોજન સેવા પૂરી પાડી
  • ગરીબ વિદ્યાર્થીઓ માટે પૂરક શિક્ષણ વર્ગો ચલાવવામાં આવે છે
  • શિયાળામાં ગરમ ધાબડા અને સ્વેટર અને ચોમાસામાં છત્રી જરૂરીયાત મંદોને આપવામાં આવે છે

ભૂખ્યા લોકોને ભોજન પૂરું પાડતી પાટણની શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત રામ રહીમ અન્નક્ષેત્ર છેલ્લા 35 વર્ષથી ગરીબ અને જરૂરીયાત મંદોને ભોજન પૂરું પાડે છે. આ સંસ્થા કુદરતી આપત્તિ સમયે પણ ભોજન ઉપરાંત અન્ય સહાય પૂરી પાડીને લોકોનો સહારો બને છે. દિવાળી જેવા સમયે જે પરિવારો મીઠાઈ ખરીદી શકતા નથી, તેવા પરિવારોને આ સંસ્થા મીઠાઈ સહિતની સેવા પૂરી પાડે છે. લોકડાઉનના કપરા સમયમાં આ સંસ્થા દ્વારા શહેરની તમામ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને સવાર સાંજનું ભોજન પૂરું પાડી માનવતાની એક મિસાલ કાયમ કરી છે.

પાટણનું હરતું-ફરતું રામ રહીમ અન્નક્ષેત્ર જરૂરિયાત મંદો માટે આશીર્વાદરૂપ બન્યું

આ ઉપરાંત શિયાળામાં ફૂટપાથ પર જિંદગી ગુજરાતા લોકોને ગરમ ધાબળા, ચોમાસામાં રેનકોટ, છત્રી તેમજ વિકલાંગ લોકોને સાધન સહાય પણ પૂરી પાડે છે. ગરીબ વિદ્યાર્થીઓ માટે ધોરણ-10 અને 12ના પૂરક શિક્ષણ વર્ગો વિનામૂલ્યે આ સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. આમ ભોજનની સાથે સાથે આ સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે.

  • આગામી સમયમાં એક વૃદ્ધાશ્રમ કાર્યરત કરવામાં આવશે
  • એકાંકી જીવન જીવતા વૃદ્ધો માટે ટોકન દરે ટિફિન વ્યવસ્થા શરૂ કરાશે

સંસ્થાની અનેરી સેવાઓથી પ્રેરાઈને દાતાઓ દ્વારા અવિરત પણે આ સંસ્થામાં દાન પણ આપવામાં આવી રહ્યું છે. દાતાઓ રોકડ, અનાજ, શાકભાજી સહિતની ચીજવસ્તુઓનું દાન કરે છે. સંસ્થાની ભોજન ઉપરાંતની અન્ય સેવાઓ આજે એક પ્રેરણા બની રહી છે. આ ઉપરાંત આગામી સમયમાં સંસ્થા દ્વારા એક વૃદ્ધાશ્રમ તેમજ એકાંકી જીવન જીવતા વૃદ્ધો સ્વમાનભેર ભોજન મેળવી શકે તે માટે સંસ્થા દ્વારા ટોકન દરે ટિફિન વ્યવસ્થા આગામી સમયમાં શરૂ કરવામાં આવશે.

પાટણમાં શાળાના એક શિક્ષકે પાંચ સ્વયંસેવકોની સેવા થકી એક હરતું ફરતું રામ રહીમ અને ક્ષેત્ર શરૂ કર્યું હતું. આ સેવાકાર્ય આજે 35 વર્ષે એક વટવૃક્ષ બન્યું છે અને સતત ભોજનની વ્યવસ્થા નિરંતર રીતે જરૂરિયાત મંદોને પહોંચાડી રહ્યું છે. ગરીબ અને દરિદ્ર નારાયણો માટે રામ રહીમ અન્નક્ષેત્ર આશીર્વાદરૂપ બની રહ્યું છે.

  • 14/1/1985માં એક શિક્ષકે આ અન્નક્ષેત્રની કરી શરૂઆત
  • શિક્ષક અને વિધાર્થીઓ લારી લઈ ગલીએ ગલીએ જરૂરિયાત મંદોને પહોંચાડતા હતા ભોજન
  • હાલમાં ઇ રીક્ષાના માધ્યમથી 500 જેટલા જરૂરિયાત મંદોને પહોંચાડવામાં આવી રહ્યું છે ભોજન

પાટણઃ રેલવેના છેલ્લા સ્ટેશન તરીકે જાણીતા બનેલા પાટણમાં ગાંડા, ઘેલા, દરીદ્ર નારાયણો આ છેલ્લા સ્ટેશને ઊતરી જતા હતા અને પાટણમાં જ્યા ત્યા ફરી પોતાની ભૂખ સંતોષવા માટે ફરતા હતા. આ જોઈ પાટણના શિક્ષક ઉમેદભાઈ આચાર્યએ તેમના પાંચ શિક્ષક મિત્રો અને નૂતન વિનય મંદિરના કેટલાક નવયુવાનોએ તારીખ 14/1/1985ના રોજ ઉત્તરાયણના પવિત્ર દિવસે હરતું-ફરતું રામ રહીમ અન્નક્ષેત્રનો પ્રારંભ કર્યો હતો.

પાટણનું હરતું-ફરતું રામ રહીમ અન્નક્ષેત્ર જરૂરિયાત મંદો માટે આશીર્વાદરૂપ બન્યું
પાટણનું હરતું-ફરતું રામ રહીમ અન્નક્ષેત્ર જરૂરિયાત મંદો માટે આશીર્વાદરૂપ બન્યું

શિક્ષક અને વિદ્યાર્થીઓ ચાર પૈડાની લારી લઈ શહેરની ગલીએ ગલીએ ફરી અંધ, અપંગ, ગાંડાઘેલા અને નિરાધારોને એક ટાઈમનું ભોજન પૂરું પાડવાની શરૂઆત કરી હતી. જેને આગળ જતા શહેરના કેટલાય સખી દાતાઓનો સાથ સહકાર અને આર્થિક સહયોગ મળતા હાલમાં આ અન્નક્ષેત્ર એક વટવૃક્ષ બન્યુ છે. હાલમાં આ અન્નક્ષેત્રના કાર્યકરો ઈ-રીક્ષા મારફતે શહેરના પછાત તથા ગરીબ વિસ્તારો તેમજ ફૂટપાથ પર આશરો લેનારા ભિક્ષુકોને દરરોજ સાંજે ભોજન પૂરું પાડી એક ઉમદા સેવા કાર્ય કરી રહ્યા છે. હાલમાં આ સંસ્થા દ્વારા 500થી વધુ જરૂરીયાત મંદોને નિયમિત રીતે ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

પાટણનું હરતું-ફરતું રામ રહીમ અન્નક્ષેત્ર જરૂરિયાત મંદો માટે આશીર્વાદરૂપ બન્યું
પાટણનું હરતું-ફરતું રામ રહીમ અન્નક્ષેત્ર જરૂરિયાત મંદો માટે આશીર્વાદરૂપ બન્યું
  • કુદરતી આપત્તિ સમયે પણ ભોજન ઉપરાંત અન્ય સહાય પુરી પાડી લોકોનો સહારો બને છે
  • લોકડાઉનમાં હોસ્પિટલોમાં દર્દીઓ અને તેમના પરિવારોને બે ટાઈમ ભોજન સેવા પૂરી પાડી
  • ગરીબ વિદ્યાર્થીઓ માટે પૂરક શિક્ષણ વર્ગો ચલાવવામાં આવે છે
  • શિયાળામાં ગરમ ધાબડા અને સ્વેટર અને ચોમાસામાં છત્રી જરૂરીયાત મંદોને આપવામાં આવે છે

ભૂખ્યા લોકોને ભોજન પૂરું પાડતી પાટણની શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત રામ રહીમ અન્નક્ષેત્ર છેલ્લા 35 વર્ષથી ગરીબ અને જરૂરીયાત મંદોને ભોજન પૂરું પાડે છે. આ સંસ્થા કુદરતી આપત્તિ સમયે પણ ભોજન ઉપરાંત અન્ય સહાય પૂરી પાડીને લોકોનો સહારો બને છે. દિવાળી જેવા સમયે જે પરિવારો મીઠાઈ ખરીદી શકતા નથી, તેવા પરિવારોને આ સંસ્થા મીઠાઈ સહિતની સેવા પૂરી પાડે છે. લોકડાઉનના કપરા સમયમાં આ સંસ્થા દ્વારા શહેરની તમામ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને સવાર સાંજનું ભોજન પૂરું પાડી માનવતાની એક મિસાલ કાયમ કરી છે.

પાટણનું હરતું-ફરતું રામ રહીમ અન્નક્ષેત્ર જરૂરિયાત મંદો માટે આશીર્વાદરૂપ બન્યું

આ ઉપરાંત શિયાળામાં ફૂટપાથ પર જિંદગી ગુજરાતા લોકોને ગરમ ધાબળા, ચોમાસામાં રેનકોટ, છત્રી તેમજ વિકલાંગ લોકોને સાધન સહાય પણ પૂરી પાડે છે. ગરીબ વિદ્યાર્થીઓ માટે ધોરણ-10 અને 12ના પૂરક શિક્ષણ વર્ગો વિનામૂલ્યે આ સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. આમ ભોજનની સાથે સાથે આ સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે.

  • આગામી સમયમાં એક વૃદ્ધાશ્રમ કાર્યરત કરવામાં આવશે
  • એકાંકી જીવન જીવતા વૃદ્ધો માટે ટોકન દરે ટિફિન વ્યવસ્થા શરૂ કરાશે

સંસ્થાની અનેરી સેવાઓથી પ્રેરાઈને દાતાઓ દ્વારા અવિરત પણે આ સંસ્થામાં દાન પણ આપવામાં આવી રહ્યું છે. દાતાઓ રોકડ, અનાજ, શાકભાજી સહિતની ચીજવસ્તુઓનું દાન કરે છે. સંસ્થાની ભોજન ઉપરાંતની અન્ય સેવાઓ આજે એક પ્રેરણા બની રહી છે. આ ઉપરાંત આગામી સમયમાં સંસ્થા દ્વારા એક વૃદ્ધાશ્રમ તેમજ એકાંકી જીવન જીવતા વૃદ્ધો સ્વમાનભેર ભોજન મેળવી શકે તે માટે સંસ્થા દ્વારા ટોકન દરે ટિફિન વ્યવસ્થા આગામી સમયમાં શરૂ કરવામાં આવશે.

પાટણમાં શાળાના એક શિક્ષકે પાંચ સ્વયંસેવકોની સેવા થકી એક હરતું ફરતું રામ રહીમ અને ક્ષેત્ર શરૂ કર્યું હતું. આ સેવાકાર્ય આજે 35 વર્ષે એક વટવૃક્ષ બન્યું છે અને સતત ભોજનની વ્યવસ્થા નિરંતર રીતે જરૂરિયાત મંદોને પહોંચાડી રહ્યું છે. ગરીબ અને દરિદ્ર નારાયણો માટે રામ રહીમ અન્નક્ષેત્ર આશીર્વાદરૂપ બની રહ્યું છે.

Last Updated : Oct 21, 2020, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.