પાટણમા પરંપરાગત રીતે અષાઢ સુદ બીજના દિવસે નિકળનારી રથયાત્રાને લઈ મંદિર ખાતે ભગવાનની ધાર્મિક વિધિ શરૂ કરવામાં આવી છે. ભગવાનની નાતંદુરસ્ત તબિયતને લઈ જગન્નાથ, ભાઈ બલભદ્રને આંખો આવતા ભગવાન અને તેમના ભાઈને વૈદિક મંત્રોચ્ચાર સાથે રૂના પુમડાંમાં વરીયાળીનું પાણી,કાળી દ્રાક્ષનુ મિશ્રણ કરી ભગવાનને આંખે પાટા બાંધી તેમને મોસાળ મોકલવાની વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પાટણ જગદીશ મંદિર ખાતે વિધિવત રીતે ભગવાનના દિવ્ય નેત્રો ખોલવામાં આવશે. ત્યારે જગતનો નાથ પોતાની દિવ્ય દ્રષ્ટિ ભક્તો ઉપર પાથરશે. એક માન્યતા એવી પણ છે કે, ભગવાનના પાટા ખોલ્યા બાદ તેમની પ્રથમ દ્રષ્ટિ કોઈ ભક્ત પર પડે તો તે ભક્તના તમામ દુઃખ દર્દ દૂર થાય છે.