ETV Bharat / state

વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પાટણની રાણીની વાવ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું

author img

By

Published : Jul 28, 2021, 10:30 AM IST

Updated : Jul 28, 2021, 2:57 PM IST

વિશ્વ ફલક પર ચમકેલી રાણીની વાવનો યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરાતા સદીઓ જુની આ વાવની રોનક બદલાઇ છે. આ અગાઉ વાવ માત્ર ગુજરાતના જ મર્યાદિત પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો પછી આ વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળતા વિશ્વના અનેક દેશોના પ્રવાસીઓ આ વાવ નિહાળવા આવી રહ્યા છે. આ અગાઉ વાવ પરિસરમાં મર્યાદિત સુવિધાઓ ઉપલબ્ધ હતી. પરંતુ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પ્રવાસીઓની સંખ્યા વધતા હાલમાં રાણીની વાવ પરિસર ખાતે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તો રાજ્ય સરકાર દ્વારા અહીંયા પ્રસંગોપાત કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પાટણની રાણીની વાવ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું
વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પાટણની રાણીની વાવ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું
  • રાણી ઉદયમતીએ 11મી સદીમાં પતિ ભીમદેવની યાદમાં વાવનું નિર્માણ કર્યું હતું
  • રાણીની વાવ ખાતે સુવિધાઓ સાથેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું
  • મોટી સંખ્યામાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ અહીં આવી રહ્યા

પાટણ : અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ પતિ ભીમદેવની યાદમાં અગિયારમી સદીમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા વાવનું નિર્માણ કર્યું હતું. સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઇ ગઇ હતી. 20મી સદીમાં આ વાવને મૂળ રૂપમાં લાવવા પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખલનની કામગીરી શરૂ કરતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.

વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પાટણની રાણીની વાવ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું

દેશના અન્ય રાજ્યો કે વિદેશના લોકો આ વાવથી અજાણ હતા

માટીમાં ધરબાયેલી રાણીની વાવનું ઉત્ખનન કર્યા પછી શિલ્પ અને સ્થાપત્યની બેજોડ કારીગરી સમાન આ વાવ માત્ર ગુજરાતમાં જ આકર્ષણનું કેન્દ્ર હતી. દેશના અન્ય રાજ્યો કે વિદેશના લોકો આ વાવથી અજાણ હતા. વાવ પરિસરમાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ પણ ન હતી. માત્ર રક્ષિત સ્મારક તરીકે તેની ગણના થતી હતી.

વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પાટણની રાણીની વાવ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું
વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પાટણની રાણીની વાવ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું

2003માં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી રાણીની વાવ પરિસરમાં કર્યું હતું

સદીઓ જુની આ વાવમાં રહેલી કલા પોતાની પ્રત્યે રાજકીય આગેવાનોનું ધ્યાન કેન્દ્રિત થતા પાટણના ઐતિહાસિક વારસા સમાન આ વાવને વિશ્વ ફલક પર ચમકાવવા બીડું ઝડપ્યું હતું. શહેરની વિવિધ સંસ્થાઓ પણ તેમાં સહભાગી થઈ હતી. રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી રાણીની વાવ પરિસરમાં કરીને વાવને વિશ્વસ્તરે લાવવા માટે જહેમત હાથ ધરી હતી.

આ પણ વાંચો : International Yoga Day 2021 - પાટણમાં રાણકી વાવ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને યાદગાર બનાવ્યો

25 જૂન 2014માં રાણીની વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપ્યું

રાણીની વાવને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટિએ દોહા ખાતે 25 જૂન 2014માં યોજાયેલી બેઠકમાં શિલ્પ સ્થાપત્યના બેનમૂન વારસો ધરાવતી આ વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપ્યું હતું. રાણીની વાવ વિશ્વ ફલક પર ચમકતા તેને અનુરૂપ પરિસરમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. દેશ-વિદેશના પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે તે માટે અધ્યતન શૌચાલય, પાર્કિંગની વ્યવસ્થા, પર્યટકો સહેલાઈથી રાણીની વાવનો ઇતિહાસ જાણી શકે તે માટે હિન્દી, અંગ્રેજી અને ગુજરાતીમાં શિલાલેખ તેમજ વાવ ફરતે સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે.

વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પાટણની રાણીની વાવ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું
વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પાટણની રાણીની વાવ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું

સહેલાઈથી ટિકિટ મેળવી શકે તે માટે ઓફલાઈન અને ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા

આ ઉપરાંત પ્રવાસીઓને સહેલાઈથી ટિકિટ મેળવી શકે તે માટે ઓફલાઈન અને ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા પણ કરાઈ છે.બહારથી આવતા પ્રવાસીઓને વાવની સંપૂર્ણ જાણકારી મળી રહે તે માટે ગાઈડની પણ વ્યવસ્થા કરાઈ છે. રાણીની વાવ ખાતે હજારોની સંખ્યામાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે.

આ પણ વાંચો : કોરોના મહામારીને પગલે પાટણમાં રાણકી વાવ ફરીવાર પ્રવાસીઓ માટે બંધ

પ્રવાસીઓને આકર્ષવા માટે સુવિધાઓ સાથેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું

રાણીની વાવ આ બાબતે આર્ટ્સ કોલેજ પાટણના આચાર્ય અને ઇતિહાસકાર પ્રોફેસર લલિત પટેલે જણાવ્યું હતું કે, વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામ્યા પહેલા રાણીની વાવ ખાતે કોઈ સુવિધાઓ ન હતી. તે માત્ર એક રક્ષિત સ્થાન હતું. અહીંયા માત્ર ગુજરાતમાંથી મર્યાદિત પ્રવાસીઓ આવતા હતા. રાણીની વાવ પરિસર ખાતે કોઈ જ સુવિધાઓ ન હતી પણ હાલમાં અહીંયા પ્રવાસીઓને આકર્ષવા માટે સુવિધાઓ સાથેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું છે. પ્રવાસીઓને રાણીની વાવની ઇતિહાસની ડોક્યુમેન્ટરી પણ બતાવવાની વ્યવસ્થા કરાઈ છે. જેથી અગાઉ કરતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.

વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પાટણની રાણીની વાવ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું
વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પાટણની રાણીની વાવ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું
રાણીની વાવની પ્રતિકૃતિ ચલણી નોટ પર અંકિત કરતા પાટણનું ગૌરવ વધ્યું

પ્રાચીન ગુજરાતની રાજધાની રહી ચુકેલી પાટણમાં રાણી ઉદયમતીએ બનાવેલી આ વાવ સદીઓ પહેલા પાણી સંગ્રહનું મૂલ્ય પણ સમજાવે છે. સાત માળની આ વાવમાં પાણીનો સંગ્રહ અને ઉપયોગ કઈ રીતે કરવો તે સમયના સ્થાપત્યકારોએ એક અદ્ભુત સમજ પૂરી પાડી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચલણી નોટ પર રાણીની વાવની પ્રતિકૃતિ અંકિત કરતા રાણીની વાવ સાથે પાટણનું ગૌરવ વધ્યું છે.

આ પણ વાંચો -

  • રાણી ઉદયમતીએ 11મી સદીમાં પતિ ભીમદેવની યાદમાં વાવનું નિર્માણ કર્યું હતું
  • રાણીની વાવ ખાતે સુવિધાઓ સાથેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું
  • મોટી સંખ્યામાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ અહીં આવી રહ્યા

પાટણ : અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ પતિ ભીમદેવની યાદમાં અગિયારમી સદીમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા વાવનું નિર્માણ કર્યું હતું. સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઇ ગઇ હતી. 20મી સદીમાં આ વાવને મૂળ રૂપમાં લાવવા પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખલનની કામગીરી શરૂ કરતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.

વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પાટણની રાણીની વાવ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું

દેશના અન્ય રાજ્યો કે વિદેશના લોકો આ વાવથી અજાણ હતા

માટીમાં ધરબાયેલી રાણીની વાવનું ઉત્ખનન કર્યા પછી શિલ્પ અને સ્થાપત્યની બેજોડ કારીગરી સમાન આ વાવ માત્ર ગુજરાતમાં જ આકર્ષણનું કેન્દ્ર હતી. દેશના અન્ય રાજ્યો કે વિદેશના લોકો આ વાવથી અજાણ હતા. વાવ પરિસરમાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ પણ ન હતી. માત્ર રક્ષિત સ્મારક તરીકે તેની ગણના થતી હતી.

વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પાટણની રાણીની વાવ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું
વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પાટણની રાણીની વાવ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું

2003માં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી રાણીની વાવ પરિસરમાં કર્યું હતું

સદીઓ જુની આ વાવમાં રહેલી કલા પોતાની પ્રત્યે રાજકીય આગેવાનોનું ધ્યાન કેન્દ્રિત થતા પાટણના ઐતિહાસિક વારસા સમાન આ વાવને વિશ્વ ફલક પર ચમકાવવા બીડું ઝડપ્યું હતું. શહેરની વિવિધ સંસ્થાઓ પણ તેમાં સહભાગી થઈ હતી. રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી રાણીની વાવ પરિસરમાં કરીને વાવને વિશ્વસ્તરે લાવવા માટે જહેમત હાથ ધરી હતી.

આ પણ વાંચો : International Yoga Day 2021 - પાટણમાં રાણકી વાવ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને યાદગાર બનાવ્યો

25 જૂન 2014માં રાણીની વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપ્યું

રાણીની વાવને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટિએ દોહા ખાતે 25 જૂન 2014માં યોજાયેલી બેઠકમાં શિલ્પ સ્થાપત્યના બેનમૂન વારસો ધરાવતી આ વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપ્યું હતું. રાણીની વાવ વિશ્વ ફલક પર ચમકતા તેને અનુરૂપ પરિસરમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. દેશ-વિદેશના પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે તે માટે અધ્યતન શૌચાલય, પાર્કિંગની વ્યવસ્થા, પર્યટકો સહેલાઈથી રાણીની વાવનો ઇતિહાસ જાણી શકે તે માટે હિન્દી, અંગ્રેજી અને ગુજરાતીમાં શિલાલેખ તેમજ વાવ ફરતે સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે.

વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પાટણની રાણીની વાવ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું
વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પાટણની રાણીની વાવ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું

સહેલાઈથી ટિકિટ મેળવી શકે તે માટે ઓફલાઈન અને ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા

આ ઉપરાંત પ્રવાસીઓને સહેલાઈથી ટિકિટ મેળવી શકે તે માટે ઓફલાઈન અને ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા પણ કરાઈ છે.બહારથી આવતા પ્રવાસીઓને વાવની સંપૂર્ણ જાણકારી મળી રહે તે માટે ગાઈડની પણ વ્યવસ્થા કરાઈ છે. રાણીની વાવ ખાતે હજારોની સંખ્યામાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે.

આ પણ વાંચો : કોરોના મહામારીને પગલે પાટણમાં રાણકી વાવ ફરીવાર પ્રવાસીઓ માટે બંધ

પ્રવાસીઓને આકર્ષવા માટે સુવિધાઓ સાથેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું

રાણીની વાવ આ બાબતે આર્ટ્સ કોલેજ પાટણના આચાર્ય અને ઇતિહાસકાર પ્રોફેસર લલિત પટેલે જણાવ્યું હતું કે, વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામ્યા પહેલા રાણીની વાવ ખાતે કોઈ સુવિધાઓ ન હતી. તે માત્ર એક રક્ષિત સ્થાન હતું. અહીંયા માત્ર ગુજરાતમાંથી મર્યાદિત પ્રવાસીઓ આવતા હતા. રાણીની વાવ પરિસર ખાતે કોઈ જ સુવિધાઓ ન હતી પણ હાલમાં અહીંયા પ્રવાસીઓને આકર્ષવા માટે સુવિધાઓ સાથેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું છે. પ્રવાસીઓને રાણીની વાવની ઇતિહાસની ડોક્યુમેન્ટરી પણ બતાવવાની વ્યવસ્થા કરાઈ છે. જેથી અગાઉ કરતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.

વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પાટણની રાણીની વાવ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું
વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પાટણની રાણીની વાવ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું
રાણીની વાવની પ્રતિકૃતિ ચલણી નોટ પર અંકિત કરતા પાટણનું ગૌરવ વધ્યું

પ્રાચીન ગુજરાતની રાજધાની રહી ચુકેલી પાટણમાં રાણી ઉદયમતીએ બનાવેલી આ વાવ સદીઓ પહેલા પાણી સંગ્રહનું મૂલ્ય પણ સમજાવે છે. સાત માળની આ વાવમાં પાણીનો સંગ્રહ અને ઉપયોગ કઈ રીતે કરવો તે સમયના સ્થાપત્યકારોએ એક અદ્ભુત સમજ પૂરી પાડી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચલણી નોટ પર રાણીની વાવની પ્રતિકૃતિ અંકિત કરતા રાણીની વાવ સાથે પાટણનું ગૌરવ વધ્યું છે.

આ પણ વાંચો -

Last Updated : Jul 28, 2021, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.