ETV Bharat / state

પાટણઃ ગોખાંતર ગામડી ગામ 70 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત - Gokhantar village deprived of village development

પાટણ જિલ્લામાં સાંતલપુરનું ગોખાંતર ગામડી ગામ છેલ્લા 70 વર્ષથી વિકાસ માટે ઝંખી રહ્યુ છે. હાઇવેથી ચાર કિલોમીટર અંદર આવેલા ગામને જોડતો રોડ 70 વર્ષથી બન્યો નથી. જેને કારણે ગામમાં 108 એમ્બ્યુલન્સ કે કોઈ વાહન આવતા નથી. ગામમાં મહિલાઓની પ્રસુતિ હોય કે બીમાર વ્યક્તિ તો ગામલોકો આ બીમાર લોકોને ખાટલામાં બેસાડીને રણમાં ચાર કિલોમીટર ચાલીને હાઈવે પર પહોંચાડે છે અને ત્યારબાદ તે વ્યકિતને સારવાર માટે લઈ જાય છે. સારવાર અર્થે લઇ જતાં રસ્તામાં જ કેટલાક બીમાર વ્યક્તિના મોત પણ થયા હોવાના કિસ્સા તાજેતરમાં બન્યા છે.

Gokhantar village
પાટણઃ ગોખાંતર ગામડી ગામ 70 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત
author img

By

Published : Oct 28, 2020, 7:28 PM IST

Updated : Oct 28, 2020, 8:20 PM IST

  • પાટણ જિલ્લાના ગોખાંતર ગામડી ગામ હજુ પણ વિકાસથી વંચીત
  • ગામમાં હજુ સુધી નથી બન્યો રોડ
  • રોડ ન હોવાથી ગામ લોકોને પડી રહી છે મુશ્કેલી

પાટણઃ જિલ્લાના અંતરિયાળ ગામો આજે પણ વિકાસથી વંચિત રહ્યા છે. જેનું ઉત્તમ ઉદાહરણ સાંતલપુરનું ગોખંતર ગામડી ગામ છે. આ ગામ હાઇવેથી માત્ર ચાર કિલોમીટર અંદર આવેલું છે. તેમ છતાં હાઈવેથી ગામને જોડતો રોડ 70 વર્ષથી બન્યું નથી. જેના કારણે ગામમાં બનતી આકસ્મિક ઘટનાઓ તેમજ મહિલાઓની પ્રસૂતિ કે બીમાર વ્યક્તિઓ માટે જીવનું જોખમ ઊભું થાય છે. ગોખંતર ગામડી ગામમાં બિમારને સારવાર માટે ગામથી ખાટલામાં બેસાડી ચાર કિલોમીટર ચાલીને હાઇવે ઉપર પહોંચાડવા પડે છે.

Gokhantar village
બિમાર લોકોને ખાટલા દ્વારા સારવાર માટે પહોંચાડાય છે

રોડ ન હોવાથી ખાનગી વાહન કે એમ્બ્યુલન્સ પણ ગામમાં નથી આવતી

સાંતલપુર તાલુકાના ગોખંતર ગામડી ગામના વસવાટથી આજદિન સુધી રોડ બન્યો નથી. ગામમાં 70 વર્ષથી વિકાસનો પાયો પણ નખાયો નથી. ગામમાં રોડ ન હોવાથી ખાનગી વાહનો કે એમ્બ્યુલન્સ પણ આવતી નથી. જેથી ગામમાં કોઇ બીમાર થાય તો સારવાર અર્થે લઇ જતા રસ્તામાં જ તેમના મોત પણ થાય છે. ગામમાં તાજેતરમાં જ એક વ્યક્તિએ પોતાના બન્ને યુવાન દીકરાઓને સમયસર સારવાર ન મળતા ગુમાવ્યા છે.

Gokhantar village
ગામમાં હજુ સુધી નથી બન્યો રોડ

ગામ લોકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતા પણ હજુ સુધી નથી બન્યો રોડ

વિકાસનો મુખ્ય પાયો એટલે રોડ પછી એ ગામ હોય કે શહેર પરંતુ જો રોડ ન હોય તો વિકાસનો કોઈ હેતુ સાર્થક થતો નથી. આવું જ કંઇક જોવા મળી રહ્યું છે, સાંતલપુરના ગોખાતર ગામડી ગામમાં કે જ્યા રોડ ન હોવાથી ગામલોકો અપાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રોડ ન હોવાથી માત્ર બીમાર લોકોને જ મુશ્કેલીઓ પડે છે તેવું નથી પણ ગામના બાળકોનું ભવિષ્ય પણ મુશ્કેલીમાં મૂકાયું છે. ગામમાં શાળા તો છે, પરંતુ તે શાળામાં માત્ર ધોરણ 05 અને ધોરણ 06 સુધી બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. જો બાળકોને આગળનું શિક્ષણ મેળવવું હોય તો ગામથી ચાર કિલોમીટર સુધી કાચા રસ્તે ચાલીને હાઇવે સુધી જવું પડે અને ત્યાંથી સાંતલપુર જવું પડે છે, જેથી ગામના લોકો પણ પોતાના બાળકોને માત્ર પાંચ ધોરણ સુધી જ ભણાવે છે. ગામના બાળકો પણ શિક્ષણથી વંચિત રહી જાય છે. તંત્ર દ્વારા રોડ બનાવવા માટે એક વાર કરોડો રૂપિયા તો ફાળવ્યા હતા અને રોડની કામગીરી પણ શરૂ કરી હતી, પરંતુ તે રોડ માત્ર કાચો જ બનાવ્યો છે. જેના થકી ગામલોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને હવે સરકારની આવી ઢીલી કામગીરીને લઇને ગામ લોકો રોષે ભરાયા છે અને આગામી ચૂંટણી પહેલાં રોડનું કામ પૂર્ણ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

ગોખાંતર ગામડી ગામ 70 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત

  • પાટણ જિલ્લાના ગોખાંતર ગામડી ગામ હજુ પણ વિકાસથી વંચીત
  • ગામમાં હજુ સુધી નથી બન્યો રોડ
  • રોડ ન હોવાથી ગામ લોકોને પડી રહી છે મુશ્કેલી

પાટણઃ જિલ્લાના અંતરિયાળ ગામો આજે પણ વિકાસથી વંચિત રહ્યા છે. જેનું ઉત્તમ ઉદાહરણ સાંતલપુરનું ગોખંતર ગામડી ગામ છે. આ ગામ હાઇવેથી માત્ર ચાર કિલોમીટર અંદર આવેલું છે. તેમ છતાં હાઈવેથી ગામને જોડતો રોડ 70 વર્ષથી બન્યું નથી. જેના કારણે ગામમાં બનતી આકસ્મિક ઘટનાઓ તેમજ મહિલાઓની પ્રસૂતિ કે બીમાર વ્યક્તિઓ માટે જીવનું જોખમ ઊભું થાય છે. ગોખંતર ગામડી ગામમાં બિમારને સારવાર માટે ગામથી ખાટલામાં બેસાડી ચાર કિલોમીટર ચાલીને હાઇવે ઉપર પહોંચાડવા પડે છે.

Gokhantar village
બિમાર લોકોને ખાટલા દ્વારા સારવાર માટે પહોંચાડાય છે

રોડ ન હોવાથી ખાનગી વાહન કે એમ્બ્યુલન્સ પણ ગામમાં નથી આવતી

સાંતલપુર તાલુકાના ગોખંતર ગામડી ગામના વસવાટથી આજદિન સુધી રોડ બન્યો નથી. ગામમાં 70 વર્ષથી વિકાસનો પાયો પણ નખાયો નથી. ગામમાં રોડ ન હોવાથી ખાનગી વાહનો કે એમ્બ્યુલન્સ પણ આવતી નથી. જેથી ગામમાં કોઇ બીમાર થાય તો સારવાર અર્થે લઇ જતા રસ્તામાં જ તેમના મોત પણ થાય છે. ગામમાં તાજેતરમાં જ એક વ્યક્તિએ પોતાના બન્ને યુવાન દીકરાઓને સમયસર સારવાર ન મળતા ગુમાવ્યા છે.

Gokhantar village
ગામમાં હજુ સુધી નથી બન્યો રોડ

ગામ લોકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતા પણ હજુ સુધી નથી બન્યો રોડ

વિકાસનો મુખ્ય પાયો એટલે રોડ પછી એ ગામ હોય કે શહેર પરંતુ જો રોડ ન હોય તો વિકાસનો કોઈ હેતુ સાર્થક થતો નથી. આવું જ કંઇક જોવા મળી રહ્યું છે, સાંતલપુરના ગોખાતર ગામડી ગામમાં કે જ્યા રોડ ન હોવાથી ગામલોકો અપાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રોડ ન હોવાથી માત્ર બીમાર લોકોને જ મુશ્કેલીઓ પડે છે તેવું નથી પણ ગામના બાળકોનું ભવિષ્ય પણ મુશ્કેલીમાં મૂકાયું છે. ગામમાં શાળા તો છે, પરંતુ તે શાળામાં માત્ર ધોરણ 05 અને ધોરણ 06 સુધી બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. જો બાળકોને આગળનું શિક્ષણ મેળવવું હોય તો ગામથી ચાર કિલોમીટર સુધી કાચા રસ્તે ચાલીને હાઇવે સુધી જવું પડે અને ત્યાંથી સાંતલપુર જવું પડે છે, જેથી ગામના લોકો પણ પોતાના બાળકોને માત્ર પાંચ ધોરણ સુધી જ ભણાવે છે. ગામના બાળકો પણ શિક્ષણથી વંચિત રહી જાય છે. તંત્ર દ્વારા રોડ બનાવવા માટે એક વાર કરોડો રૂપિયા તો ફાળવ્યા હતા અને રોડની કામગીરી પણ શરૂ કરી હતી, પરંતુ તે રોડ માત્ર કાચો જ બનાવ્યો છે. જેના થકી ગામલોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને હવે સરકારની આવી ઢીલી કામગીરીને લઇને ગામ લોકો રોષે ભરાયા છે અને આગામી ચૂંટણી પહેલાં રોડનું કામ પૂર્ણ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

ગોખાંતર ગામડી ગામ 70 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત
Last Updated : Oct 28, 2020, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.