ETV Bharat / state

ETV Exclusive: શૈત્રણિક સત્રનો પ્રારંભ, પાટણની શાળાઓમાં ફાયર સેફ્ટીની તપાસ - Bhavesh Bhojak

પાટણઃ રાજ્યમાં વેકેશન બાદ ફરીથી શાળાઓ વિદ્યાર્થીઓથી ધમધમી ઉઠી છે. જો કે, વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જિલ્લા શિક્ષણ તંત્ર સજ્જ છે કે નહીં તેની જાણકારી માટે ઈટીવી ભારતની ટીમ દ્વારા વિવિધ શાળાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં દરેક શાળાઓમાં ખરેખર ફાયર સેફટીની વ્યવસ્થા છે કે નહીં અને શું ખરેખર વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ તંત્ર સજ્જ છે તેની તપાસ કરવામાં આવી હતી.

પાટણ
author img

By

Published : Jun 13, 2019, 6:22 PM IST

સુરતમાં ખાનગી ટ્યુશન કલાસીસમાં બનેલી આગની ઘટનાએ દેશ અને રાજ્યના વહીવટી તંત્રની પોલ ખુલ્લી પાડી દીધી છે. આ અગ્નિકાંડમાં 22 જેટલા વિદ્યાર્થીઓ સુરક્ષાના અભાવે જીવતા મોતની છલાંગ લગાવવા મજબૂર બન્યા હતા. જો કે, ત્યાર બાદ તંત્ર હરકતમાં આવ્યુ અને ઠેર ઠેર ફાટી નીકળેલા ખાનગી ટ્યુશન ક્લાસિસો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સની તપાસ શરૂ કરી કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતા શું ખરેખર વિદ્યાર્થીઓ શાળાઓમાં સુરક્ષિત છે કે, કેમ તે માટે પાટણમાં ઇટીવી ભારતે તપાસ કરી હતી.

પાટણની બી.ડી.સાર્વજનિક વિદ્યાલય, સુરમ્ય પ્રાથમિક શાળા, નાગરદાસ પટેલ પ્રાથમિક શાળા, શાંતિ નિકેતન હાઈસ્કૂલ, તારાબેન કન્યા શાળા, નાણાવટી શાળા સહિતની અનેક શાળાઓમાં તપાસ કરતા આ શાળાઓમાં ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા હતા. જો કે, કેટલીક શાળાઓમાં આકસ્મિક ઘટનામાં કામ કરી શકે તેવા કોઈ ટ્રેનરો જોવા મળ્યા ન હતા અને માત્ર ને માત્ર ફાયર સેફટીની બોટલો શોભાના ગાંઠીયા સમાન જોવા મળી હતી. જેથી શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફાયર સેફટી અંગેની તાલીમ આપવી અતિ જરૂરી છે.

શૈત્રણિક સત્રનો પ્રારંભ, પાટણની શાળાઓમાં ફાયર સેફ્ટીની તપાસ

સુરતની ઘટના બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યુ છે અને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં તપાસ હાથ ધરી શાળાઓને ફાયર સેફ્ટી રાખવાની સૂચનાઓ આપી માત્રને માત્ર નોટિસો ફટકારવાનું કામ કર્યું છે. પાટણમાં નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ રામ નગર પ્રાથમિક શાળામાં આગની ઘટના બની હતી. જો કે, શાળામાં ફાયર સેફટી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી અને રસોડામાં ફસાયેલી મહિલાને મહામુસીબતે બહાર કાઢવામાં આવી હતી. ખરેખર જો વિદ્યાર્થીઓની સુરક્ષાની ચિંતા કરવી હોય તો, આપતકાલીન સમયમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો તે અંગેના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે તે જરૂરી છે

પાટણ શહેરની સુરક્ષાને લઈ ને જો વાત કરવામાં આવે તો, માત્ર શાળાના બાળકો જ નહીં પણ શહેરીજનો પણ રામ ભરોસે હોય તેવુ ફાયર વિભાગની મુલાકાત બાદ ઘટસ્ફોટ થયો છે. પાટણ નગર પાલિકાના ફાયર વિભાગ પાસે કોઈ ફાયર ઓફિસર કે, તાલીમબદ્ધ કર્મચારી નથી કે, ન તો પૂરતા સાધનો છે. ત્યારે જોવાનું એ છે કે, આખરે લોકોને ક્યાં સુધી પોતાની મહામૂલી જિંદગી દાવ પર લગાડવી પડશે.

જો ફાયર સેફ્ટીના નિયમોની વાત કરીએ તો, જે શાળાઓમાં કેમિકલ લેબ હોય તે જગ્યાએ 6.5 લીટરની ફાયર સેફ્ટીની બોટલ, તેમજ બાકીની પ્રયોગ શાળાઓમાં 5 લીટરની અગ્નિશામકની બોટલો રાખવી ફરજીયાત છે. તદ્ઉપરાંત દરેક શાળાઓમાં ઓછામાં ઓછી 2 ફાયર સેફ્ટીની બોટલો રાખવી ફરજીયાત છે. તેમજ અગ્નિશામક બોટલોનું રિફિલિંગ પણ દર વર્ષે કરાવવવું ફરજીયાત છે.

સુરતમાં ખાનગી ટ્યુશન કલાસીસમાં બનેલી આગની ઘટનાએ દેશ અને રાજ્યના વહીવટી તંત્રની પોલ ખુલ્લી પાડી દીધી છે. આ અગ્નિકાંડમાં 22 જેટલા વિદ્યાર્થીઓ સુરક્ષાના અભાવે જીવતા મોતની છલાંગ લગાવવા મજબૂર બન્યા હતા. જો કે, ત્યાર બાદ તંત્ર હરકતમાં આવ્યુ અને ઠેર ઠેર ફાટી નીકળેલા ખાનગી ટ્યુશન ક્લાસિસો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સની તપાસ શરૂ કરી કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતા શું ખરેખર વિદ્યાર્થીઓ શાળાઓમાં સુરક્ષિત છે કે, કેમ તે માટે પાટણમાં ઇટીવી ભારતે તપાસ કરી હતી.

પાટણની બી.ડી.સાર્વજનિક વિદ્યાલય, સુરમ્ય પ્રાથમિક શાળા, નાગરદાસ પટેલ પ્રાથમિક શાળા, શાંતિ નિકેતન હાઈસ્કૂલ, તારાબેન કન્યા શાળા, નાણાવટી શાળા સહિતની અનેક શાળાઓમાં તપાસ કરતા આ શાળાઓમાં ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા હતા. જો કે, કેટલીક શાળાઓમાં આકસ્મિક ઘટનામાં કામ કરી શકે તેવા કોઈ ટ્રેનરો જોવા મળ્યા ન હતા અને માત્ર ને માત્ર ફાયર સેફટીની બોટલો શોભાના ગાંઠીયા સમાન જોવા મળી હતી. જેથી શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફાયર સેફટી અંગેની તાલીમ આપવી અતિ જરૂરી છે.

શૈત્રણિક સત્રનો પ્રારંભ, પાટણની શાળાઓમાં ફાયર સેફ્ટીની તપાસ

સુરતની ઘટના બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યુ છે અને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં તપાસ હાથ ધરી શાળાઓને ફાયર સેફ્ટી રાખવાની સૂચનાઓ આપી માત્રને માત્ર નોટિસો ફટકારવાનું કામ કર્યું છે. પાટણમાં નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ રામ નગર પ્રાથમિક શાળામાં આગની ઘટના બની હતી. જો કે, શાળામાં ફાયર સેફટી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી અને રસોડામાં ફસાયેલી મહિલાને મહામુસીબતે બહાર કાઢવામાં આવી હતી. ખરેખર જો વિદ્યાર્થીઓની સુરક્ષાની ચિંતા કરવી હોય તો, આપતકાલીન સમયમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો તે અંગેના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે તે જરૂરી છે

પાટણ શહેરની સુરક્ષાને લઈ ને જો વાત કરવામાં આવે તો, માત્ર શાળાના બાળકો જ નહીં પણ શહેરીજનો પણ રામ ભરોસે હોય તેવુ ફાયર વિભાગની મુલાકાત બાદ ઘટસ્ફોટ થયો છે. પાટણ નગર પાલિકાના ફાયર વિભાગ પાસે કોઈ ફાયર ઓફિસર કે, તાલીમબદ્ધ કર્મચારી નથી કે, ન તો પૂરતા સાધનો છે. ત્યારે જોવાનું એ છે કે, આખરે લોકોને ક્યાં સુધી પોતાની મહામૂલી જિંદગી દાવ પર લગાડવી પડશે.

જો ફાયર સેફ્ટીના નિયમોની વાત કરીએ તો, જે શાળાઓમાં કેમિકલ લેબ હોય તે જગ્યાએ 6.5 લીટરની ફાયર સેફ્ટીની બોટલ, તેમજ બાકીની પ્રયોગ શાળાઓમાં 5 લીટરની અગ્નિશામકની બોટલો રાખવી ફરજીયાત છે. તદ્ઉપરાંત દરેક શાળાઓમાં ઓછામાં ઓછી 2 ફાયર સેફ્ટીની બોટલો રાખવી ફરજીયાત છે. તેમજ અગ્નિશામક બોટલોનું રિફિલિંગ પણ દર વર્ષે કરાવવવું ફરજીયાત છે.

Intro:પાટણ મા વેકેશન બાદ શાળા સંકુલો વિધાર્થીઓ થી ધમધમી ઉઠ્યા છે જોકે વિધાર્થીઓ ની સુરક્ષા માટે જિલ્લા શિક્ષણ તંત્ર સજ્જ છે કે નહિ તે અંતર્ગત ઇટીવી ભારત ની ટીમ દ્વારા વિવિધ શાળાઓ ની તપાસ હાથ ધરી શાળાઓ મા ખરેખર ફાયર સેફટી ની વ્યવસ્થા છે કે નહી અને શું ખરેખર વિદ્યાર્થીઓ ની સુરક્ષા ને લઈ તંત્ર સજ્જ છે કે નહીં તેની જાત તપાસ કરવામા આવી


Body:સુરત મા ખાનગી ટ્યુશન કલાસીસ મા બનેલી આગ ની ઘટના એ દેશ અને રાજ્ય મા વહીવટી તંત્ર ની પોલ ખોલી છે 21 જેટલા વિધાર્થીઓ સુરક્ષા ના અભાવે જીવતે જીવ મોત ની છલાંગ લગાવવા મજબૂર બન્યા હતા. ટ્યુશન કલાસીસ મા ન હતી કોઈ ફાયર સુવિધા કે વહીવટી તંત્ર ના ફાયર બ્રિગેડ પાસે ન હતી ઊંચી સીડી કે જે વિધાર્થીઓ ને બહાર કાઢી જિંદગી બચાવી શકે જો કે ત્યાર બાદ તંત્ર હરકત મા આવ્યુ અને ઠેરઠેર શિક્ષણ ની હાટડીઓ ખોલી શિક્ષણ નો વેપલો કરતા ટયુશન ક્લાસિસો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ ની તપાસ શરૂ કરી હતી.અને કડક હાથે કાર્યવાહી હાથ ધારી હતી. ત્યારે નવા શૈક્ષણિક સત્ર ની શરૂઆત થતા શુ ખરેખર વિધાર્થીઓ ને શાળાઓ ના સુરક્ષિત છે કે કેમ તે માટે પાટણ મા ઇટીવી ભારતે તપાસ કરી હતી.

બાઈટ 1 કાનજીભાઈ પટેલ સંચાલક મંડળ ના પ્રમુખ

પાટણ ની બી.ડી.સાર્વજનિક વિધાલય, સુરમ્ય પ્રાથમિક શાળા, નાગરદાસ પટેલ પ્રાથમિક શાળા, શાંતિ નિકેતન હાઈસ્કૂલ, તારાબેન કન્યા શાળા, નાણાવટી શાળા સહિત ની અનેક શાળાઓ માં તપાસ કરતા શાળાઓ મા ફાયર સેફટી ના સાધનો જોવા મળ્યા હતા.જો કે કેટલીક શાળાઓ મા આકસ્મિક ઘટના મા કામકરી શકે તેવા કોઈ ટ્રેનરો જોવા મળ્યા ન હતા.માત્ર ને માત્ર ફાયર સેફટી ની બોટલો શોભાના ગાઠીયા સમાન જોવા મળી હતી.જેથી શાળા ઓ મા વિધાર્થીઓ અને શિક્ષકો ને ફાયર સેફટી અંગેની તાલીમ આપવી અતિ જરૂરી છે.

બાઈટ 2 એ.પી. ઝાલા જિલ્લા શિક્ષણાધિકારી પાટણ

સુરત ની ઘટના બાદ શિક્ષણ વિભાગ હરકત મા આવ્યુ છે ને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ મા તપાસ હાથ ધરી શાળાઓ ને ફાયર સેફટી રાખવા ની સૂચનાઓ આપી માત્ર ને માત્ર નોટિસો અસપવા નુ કામ કર્યું છે.પાટણ મા નવા શૈક્ષણિક સત્ર ના પ્રથમ દિવસેજ રામ નગર પ્રાથમિક શાળા મા આગ ની ઘટના બની હતી. જોકે શાળા મા ફાયર સેફટી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ને રસોડામાં ફસાયેલી મહિલાને મહા મુસીબતે બહાર કાઢવામાં આવી હતી.ખરેખર જો વિધાર્થીઓ ની સુરક્ષાની ચિંતા કરવી હોય તો આપતકાલીન સમય મા પોતાનો બચાવ કેવી રીતે કરવો તે અંગે ના પાઠ વિધાર્થીઓ ને ભણાવવા મા આવે તે જરૂરી છે

બાઈટ 3 નીતિનભાઈ રામી ફાયર વિભાગ ના કર્મચારી

પાટણ શહેર ની સુરક્ષા ને લઈ ને જો વાત કરવામાં આવે તો માત્ર શાળા ના બાળકો જ નહીં પણ શહેરીજનો પણ રામ ભરોસે હોય તેવુ ફાયર વિભાગ ની મુલાકાત બાદ ઘટસ્ફોટ થવા પામ્યો છે.પાટણ નગર પાલિકા ના ફાયર વિભાગ પાસે કોઈ ફાયર ઓફિસર કે તાલીમ બદ્ધ કર્મચારી નથી.કે નથી પૂરતા સાધનો ત્યારે જોવા નું એ છે કે આખરે લોકો ને ક્યાં સુધી મહામૂલી જિંદગી દાવ પર લગાવવી પડશે



Conclusion:ફાયર સેફટી ના નિયમો ની વાત કરીએ તો જે શાળાઓ મા કેમિકલ લેબ હોય તે જગ્યા એ સાડા છ લીટર ની ફાયર સેફટી ની બોટલ, તેમજ બાકીની પ્રયોગ શાળાઓ મા પાંચ લીટર ની અગ્નિશામક ની બોટલો રાખવી ફરજીયાત છે. આ ઉપરાંત દરેક શાળાઓ મા ઓછામાં ઓછી બે ફાયર સેફટી ની બોટલો રાખવી ફરજીયાત છે તેમજ અગ્નિશામક બોટલો નુ રિફિલિગ પણ દર વર્ષે કરાવવવું ફરજીયાત છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.