ETV Bharat / state

હોળી ધૂળેટી પર્વને કોરોનાનું ગ્રહણ, વેપારીઓમાં જોવા મળી નારાજગી

author img

By

Published : Mar 24, 2021, 9:54 PM IST

હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હવે કોરોના ફરી એકવાર વિલન બનતા આ પર્વને કોરોનાનું ગ્રહણ લાગી ચૂક્યું છે. સરકાર દ્વારા હોળી-ધુળેટી પર્વ ઉજવવા પર પાબંદી લગાવવામાં આવતા પાટણમાં રંગ અને પિચકારીઓના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓની ચિંતામાં વધારો થયો છે.

હોળી ધૂળેટી પર્વને કોરોનાનું ગ્રહણ, વેપારીઓમાં જોવા મળી નારાજગી
હોળી ધૂળેટી પર્વને કોરોનાનું ગ્રહણ, વેપારીઓમાં જોવા મળી નારાજગી
  • પાટણમાં પિચકારીના વેપારીઓમાં ચિંતાના વાદળો ઘેરાયા
  • હોળી-ધુળેટી પર્વને લાગ્યું કોરોનાનું ગ્રહણ
  • સરકારે હોળી-ધુળેટી પર્વ પર લગાવી પાબંધી

પાટણઃ સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સભા રેલીઓ અને ચૂંટણી જીતના વિજય સરઘસમાં તેમજ ક્રિકેટ મેચ રમાઈ તેમાં ભારે ભીડ ભેગી થઈ હતી. જેને લઇને કોરોના કેસમાં રોકેટ ગતિએ વધારો થતાં સરકારે એક પછી એક અંકુશ લાદીને સંક્રમણને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો છે, ત્યારે આગામી સમયમાં આવનાર હોળી-ધૂળેટીના પર્વની ઉજવણી પર સરકારે પ્રતિબંધ લાદતા પિચકારી અને રંગના વેપારીઓની હાલત કફોડી બની છે. સતત બીજા વર્ષે હોળી ધૂળેટી પર્વ પર પ્રતિબંધ મુકતા ગત વર્ષે નુકસાની ભોગવી ચૂકેલા વેપારીઓને બીજા વર્ષે પણ મોટો આર્થિક ફટકો પડશે.

હોળી ધૂળેટી પર્વને કોરોનાનું ગ્રહણ, વેપારીઓમાં જોવા મળી નારાજગી

કોરોનાના કારણે વેપારીઓમાં આર્થિક નુકસાન ભીતિ

હોળી ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પાટણની બજારોમાં પિચકારીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને ફેરીવાળા સરકારના આ નિર્ણયથી નારાજ બન્યા છે. મોટું રોકાણ કરીને વિવિધ પ્રકારની પીચકારીઓનું વેપાર કરતા એક વેપારીએ જણાવ્યું હતુ કે, સરકારે જે પ્રતિબંધ મૂકયો છે તેનો નિર્ણય બે મહિના પહેલા કરવાનો હતો પરંતુ પર્વના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પ્રતિબંધ મૂકવાને કારણે વ્યાજે રૂપિયા લાવીને પૂરતા પ્રમાણમાં માલ ભર્યો છે. તેનું શું? હાલમાં કોઈપણ જાતની ઘરાગી ન હોવાને કારણે વેપારીઓ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.

  • પાટણમાં પિચકારીના વેપારીઓમાં ચિંતાના વાદળો ઘેરાયા
  • હોળી-ધુળેટી પર્વને લાગ્યું કોરોનાનું ગ્રહણ
  • સરકારે હોળી-ધુળેટી પર્વ પર લગાવી પાબંધી

પાટણઃ સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સભા રેલીઓ અને ચૂંટણી જીતના વિજય સરઘસમાં તેમજ ક્રિકેટ મેચ રમાઈ તેમાં ભારે ભીડ ભેગી થઈ હતી. જેને લઇને કોરોના કેસમાં રોકેટ ગતિએ વધારો થતાં સરકારે એક પછી એક અંકુશ લાદીને સંક્રમણને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો છે, ત્યારે આગામી સમયમાં આવનાર હોળી-ધૂળેટીના પર્વની ઉજવણી પર સરકારે પ્રતિબંધ લાદતા પિચકારી અને રંગના વેપારીઓની હાલત કફોડી બની છે. સતત બીજા વર્ષે હોળી ધૂળેટી પર્વ પર પ્રતિબંધ મુકતા ગત વર્ષે નુકસાની ભોગવી ચૂકેલા વેપારીઓને બીજા વર્ષે પણ મોટો આર્થિક ફટકો પડશે.

હોળી ધૂળેટી પર્વને કોરોનાનું ગ્રહણ, વેપારીઓમાં જોવા મળી નારાજગી

કોરોનાના કારણે વેપારીઓમાં આર્થિક નુકસાન ભીતિ

હોળી ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પાટણની બજારોમાં પિચકારીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને ફેરીવાળા સરકારના આ નિર્ણયથી નારાજ બન્યા છે. મોટું રોકાણ કરીને વિવિધ પ્રકારની પીચકારીઓનું વેપાર કરતા એક વેપારીએ જણાવ્યું હતુ કે, સરકારે જે પ્રતિબંધ મૂકયો છે તેનો નિર્ણય બે મહિના પહેલા કરવાનો હતો પરંતુ પર્વના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પ્રતિબંધ મૂકવાને કારણે વ્યાજે રૂપિયા લાવીને પૂરતા પ્રમાણમાં માલ ભર્યો છે. તેનું શું? હાલમાં કોઈપણ જાતની ઘરાગી ન હોવાને કારણે વેપારીઓ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.