ETV Bharat / state

પંચમહાલમાં મિત્ર એ કરી મિત્રની હત્યા - gujaratinews

પંચમહાલ: તાલુકાના શિવરાજપુર નજીક આવેલા ગંભીરપુરા ગામે યુવાનની નજીવી બાબતે તેના મિત્ર એ જ કુહાડીના ઘા મારી કરપીણ હત્યા કરી હતી. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ સમગ્ર બાબતે પાવાગઢ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી હત્યારાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

મિત્ર એ કરી મિત્રની હત્યા
author img

By

Published : Apr 29, 2019, 2:30 AM IST

હાલોલ તાલુકાના ગંભીરપુરા ગામે નિશાળ ફળિયું ખાતે રહેતા અને અનાજ કરિયાણાની દુકાન ચલાવી ગુજરાન ચલાવતા હતા. રાજેશ ભરતભાઈ પરમાર રાત્રીના સુમારે તેમના ઘરના આંગણામાં સુતા હતા. ત્યારે ગામમાં રહેતો રાજેશનો મિત્ર અરવિંદભાઈ નારસિંહભાઈ ચૌહાણ નિંદ્રામાં સુઈ રહેલા રાજેશ પરમારને ગળાના ભાગે કુહાડીના ઘા માર્યા હતા.

મિત્ર એ કરી મિત્રની હત્યા

રાજેશે બુમાબુમ કરતા અરવિંદ ચૌહાણ રાજેશને લોહીલુહાણ હાલતમાં મુકી ત્યાંથી નાસી છૂટયો હતો. ઇજાગ્રસ્ત રાજેશ પરમારને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અરવિંદે રાજેશ પરમારને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ગંભીરપુરા ગામમાં રાજેશની હત્યા તેના જ મિત્ર દ્વારા કરવામાં આવતા શોકની લાગણી ફેલાઇ હતી. પાવાગઢ પોલીસે અરવિંદ નારસિંહ ચૌહાણ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

હાલોલ તાલુકાના ગંભીરપુરા ગામે નિશાળ ફળિયું ખાતે રહેતા અને અનાજ કરિયાણાની દુકાન ચલાવી ગુજરાન ચલાવતા હતા. રાજેશ ભરતભાઈ પરમાર રાત્રીના સુમારે તેમના ઘરના આંગણામાં સુતા હતા. ત્યારે ગામમાં રહેતો રાજેશનો મિત્ર અરવિંદભાઈ નારસિંહભાઈ ચૌહાણ નિંદ્રામાં સુઈ રહેલા રાજેશ પરમારને ગળાના ભાગે કુહાડીના ઘા માર્યા હતા.

મિત્ર એ કરી મિત્રની હત્યા

રાજેશે બુમાબુમ કરતા અરવિંદ ચૌહાણ રાજેશને લોહીલુહાણ હાલતમાં મુકી ત્યાંથી નાસી છૂટયો હતો. ઇજાગ્રસ્ત રાજેશ પરમારને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અરવિંદે રાજેશ પરમારને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ગંભીરપુરા ગામમાં રાજેશની હત્યા તેના જ મિત્ર દ્વારા કરવામાં આવતા શોકની લાગણી ફેલાઇ હતી. પાવાગઢ પોલીસે અરવિંદ નારસિંહ ચૌહાણ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક આવેલ ગંભીરપુરા ગામે ગત શનિવારે રાત્રીના ૧૦-૩૦ કલાકના સુમારે યુવાનની નજીવી બાબતે તેના મિત્ર એ જ કુહાડીના ઘા મારી કરપીણ હત્યા કરી નાખતા   સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી કરિયાણાની દુકાન ચલાવતા યુવાનની નજીવી બાબતે હત્યા કરી આરોપી ઘટના સ્થળે કુહાડી ફેંકી ભાગી છૂટ્યો હતો   બનાવ અંગે પાવાગઢ પોલીસ મથકે  હત્યાનો ગુનો નોંધાતા પોલીસે હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે 
          પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના ગંભીરપુરા ગામે  નિશાળ ફળિયું ખાતે રહેતા અને અનાજ કરિયાણાની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા રાજેશ ભારત ભાઈ પરમાર ઉંમર વર્ષ 35 શનિવારના  રોજ રાત્રીના સુમારે  નિત્યક્રમ મુજબ પોતાના પરિવાર સાથે જમી પરવારી પોતાના ઘરના આંગણામાં  સુઈ રહ્યા હતા તે દરમિયાન રાત્રીના ૧૦-૩૦ કલાકના સુમારે  ગામના જ રહેતો અને રાજેશ નો મિત્ર એવા  અરવિંદભાઈ નારસિંહ ભાઈ ચૌહાણ   હાથમાં કુહાડી લઈ  ત્યાં ઘસી આવ્યો હતો અને ભર નિંદ્રામાં સુઈ રહેલા રાજેશ પરમાર ને ગળાના ભાગે એકાએક કુહાડીના ઉપરાછાપરી ઘા મારતા રાજેશે દર્દ થી ચીસાચીસ કરી મુકતા બાજુ માં સુઈ  રહેલા રાજેશના પત્ની કુંતાબહેન અને તેના પરિવારજનો જાગી જઇ બૂમાબૂમ કરી દેતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અરવિંદ ચૌહાણ રાજેશને  લોહીલુહાણ હાલતમાં ત્યાં છોડી કુહાડી ફેંકીભાગી છૂટયો હતો ઇજાગ્રસ્ત રાજેશ પરમાર ને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે રાજેશ પરમાર ને હત્યારા અરવિંદ એ  તું મને ગામમાં બદનામ કેમ કરે છે જે ને લઈ ગામ માં  બધા સાથે મારા ઝઘડા થાય છે તેવી રીસ રાખી નજીવી બાબતે અરવિંદે રાજેશ પરમાર ને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે
      ખોબલા જેવડા ગંભીરપુરા ગામમાં રાજેશની હત્યા તેનાજ મિત્ર દ્વારા કરવામાં આવતા ખળભળાટ સાથે શોક ની લાગણી ફેલાઇ જવા પામી હતી બનાવ અંગે પાવાગઢ પોલીસે હત્યારા અરવિંદ નારસિંહ ચૌહાણ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા હતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.