જિલ્લા સામાજીક સમરસતા સમિતિ દ્વારા પૂજ્ય કબીર સાહેબ સામાજિક સમરસતાનું આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિરના પ્રાગણમાં બ્રહ્માકુમારી સંસ્થાના સંચાલિકા રતન દીદીએ નાળિયેર ફોડીને રથોનું પ્રસ્થાન કરાવ્યું હતુ.
આ સામાજિક સમરસતા યાત્રા મરડેશ્વર મહાદેવના મંદિરથી નીકળી શહેરા તાલુકાના વિવિધ ગામોમાં ફરશે. ત્યારબાદ મોરવા હડફ તાલુકો અને ગોધરા તાલુકાના ગામોમાં ફરીને ખાતે તેનું સમાપન કરવામાં આવશે.જેમાં સંપ્રદાય સાથે જોડાયેલા સાધુ-સંતો સહિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં જોડાયા હતાં.