ગુજરાત રાજ્યમાં મગફળી અને તુવેર દાળ બાદ મોટુ કૌભાંડ બાદ જિલ્લાના કાલોલ ખાતે આવેલા સરકારી ગોડાઉનમાં ઘઉ અને ચોખાની બોરીઓની ઘટ ઓડીટ દરમિયાન બહાર આવતા 3.44 કરોડનુ મસમોટુ કૌભાંડ બહાર આવ્યુ હતુ.જેમા ગોડાઉન મેનેજર,લેબરકોંન્ટ્રાકટર, સહિત 9 આરોપીઓ સામે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.
કાલોલ ખાતે પૂરવઠા ગોડાઉનના અનાજ કૌભાંડમા સંડોવાયેલા સરકારી અધિકારીઓ પૈકી 1 આરોપી ઈન્ચાર્જ ગોડાઉન મેનેજર એસ. કે. વસાવાની ધરપકડ કરી તપાસ અધિકારી દ્વારા કોર્ટમા રજુ કરવામાં આવતા કોર્ટે 4 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.હાલમાં એક આરોપી પોલીસની પકડમાં છે.ત્યારે અન્ય આરોપીઓ સુધી પોલીસ ક્યારે પહોચે છે.