ETV Bharat / state

પંચમહાલના મોરવા હડફમાં હડકાયું કુતરુ કરડતા 2નાં મોત

author img

By

Published : Aug 29, 2019, 6:31 AM IST

પંચમહાલઃ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ડાંગરિયા ગામે શ્વાને આતંક મચાવ્યો હતો. શ્વાને ગામના 7 વ્યક્તિઓને પોતાનો શિકાર બનાવ્યા હતા. જે પૈકી 2 વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.

પંચમહાલ

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ડાંગરિયા ગામે ગત 2 ઓગસ્ટે ગામના 7 વ્યક્તિઓને શ્વાન કરડવાની ઘટના બની હતી. જેમાં ગામની 3 મહિલા 1 બાળક સહીત કુલ 7 લોકોને શ્વાને પોતાનો શિકાર બનાવ્યા હતાં, શ્વાન કરડવાની ઘટના બન્યા બાદ તમામ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે મોરવા હડફ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન મંગળવારે એક વૃધ્ધા શારદાબેન બારીયાનું તેમજ બુધવારે એક 7 વર્ષીય બાળક યુવરાજ બારીયાનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 5 લોકો હજુ પણ સારવાર હેઠળ છે.

મોરવા હડફ

શ્વાન કરડવાથી ઈજા પામેલા તમામ દર્દીઓને હડકવા વિરોધી રસીના કુલ 5 ડોઝ તેની નિયત સમય મર્યાદામાં આપવાના હોય છે. મૃતક મહિલાને પાંચમો અને અંતિમ ડોઝ આગામી 30 ઓગસ્ટના રોજ આપવાનો હતો જ્યારે મૃતક બાળકને પણ હડકવાની રસીનો ચોથો ડોઝ આગામી 30 ઓગસ્ટે જ આપવાનો હતો, પરંતુ આખરી રસી આપવામાં આવે તે પહેલા જ બંનેના સારવાર દરમિયાન મોત થતા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.

સારવાર દરમિયાન જ મોત થતા મૃતકના પરિવારજનો દ્વારા સારવાર દરમિયાન તબીબી નિષ્કાળજીને લઈને જ મોત થયા હોવાનું જણાવ્યું હતું. તેમજ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સ્થાનિક મોરવા હડફ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે હડકવા વિરોધી રસીનો અભાવ છે. જેને લઈને જ દર્દીને વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યા હતાં અને માટે જ દર્દીને યોગ્ય સમય મર્યાદામાં યોગ્ય સારવાર ન મળતા અને વેક્શીનેશન ન થવાને કારણે જ દર્દીના મોત થયા છે.

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ડાંગરિયા ગામે ગત 2 ઓગસ્ટે ગામના 7 વ્યક્તિઓને શ્વાન કરડવાની ઘટના બની હતી. જેમાં ગામની 3 મહિલા 1 બાળક સહીત કુલ 7 લોકોને શ્વાને પોતાનો શિકાર બનાવ્યા હતાં, શ્વાન કરડવાની ઘટના બન્યા બાદ તમામ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે મોરવા હડફ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન મંગળવારે એક વૃધ્ધા શારદાબેન બારીયાનું તેમજ બુધવારે એક 7 વર્ષીય બાળક યુવરાજ બારીયાનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 5 લોકો હજુ પણ સારવાર હેઠળ છે.

મોરવા હડફ

શ્વાન કરડવાથી ઈજા પામેલા તમામ દર્દીઓને હડકવા વિરોધી રસીના કુલ 5 ડોઝ તેની નિયત સમય મર્યાદામાં આપવાના હોય છે. મૃતક મહિલાને પાંચમો અને અંતિમ ડોઝ આગામી 30 ઓગસ્ટના રોજ આપવાનો હતો જ્યારે મૃતક બાળકને પણ હડકવાની રસીનો ચોથો ડોઝ આગામી 30 ઓગસ્ટે જ આપવાનો હતો, પરંતુ આખરી રસી આપવામાં આવે તે પહેલા જ બંનેના સારવાર દરમિયાન મોત થતા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.

સારવાર દરમિયાન જ મોત થતા મૃતકના પરિવારજનો દ્વારા સારવાર દરમિયાન તબીબી નિષ્કાળજીને લઈને જ મોત થયા હોવાનું જણાવ્યું હતું. તેમજ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સ્થાનિક મોરવા હડફ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે હડકવા વિરોધી રસીનો અભાવ છે. જેને લઈને જ દર્દીને વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યા હતાં અને માટે જ દર્દીને યોગ્ય સમય મર્યાદામાં યોગ્ય સારવાર ન મળતા અને વેક્શીનેશન ન થવાને કારણે જ દર્દીના મોત થયા છે.

Intro:પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના ડાંગરિયા ગામે શ્વાને આતંક મચાવ્યો હતો, શ્વાને ગામના ૭ વ્યક્તિઓને પોતાનો શિકાર બનાવ્યા હતા જે પૈકી ૨ વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી .
 Body:પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના ડાંગરિયા ગામે ગત ૨ જી ઓગષ્ટના રોજ ગામના ૭ વ્યક્તિઓને શ્વાન કરડવાની ઘટના બનવા પામી હતી જેમાં ગામની ૩ મહિલા ૧ બાળક સહીત કુલ ૭ લોકોને શ્વાને પોતાનો શિકાર બનાવ્યા હતા , શ્વાન કરડવાની ઘટના બન્યા બાદ તમામ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે મોરવા હડફ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા , અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા એસ એસ જી ખાતે ખસેડવામાં આવ્યા હતા,  જે દરમિયાન ગઈકાલે એક વૃધ્ધા શારદાબેન બારિયા નું તેમજ આજે એક ૭ વર્ષીય બાળક યુવરાજ બારિયાનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું.  જયારે અન્ય ૫ લોકો હજુપણ સારવાર હેઠળ છે . શ્વાન કરડવાથી ઈજા પામેલા તમામ દર્દીઓને હડકવા વિરોધી રસીના કુલ ૫ ડોઝ તેની નિયત સમય મર્યાદામાં આપવાના હોય છે ત્યારે મૃતક મહિલાને પાંચમો અને અંતિમ ડોઝ આગામી ૩૦ ઓગષ્ટના રોજ આપવાનો હતો જયારે મૃતક બાળકને પણ હડકવાની રસીનો ચોથો ડોઝ આગામી ૩૦ મી ઓગષ્ટના રોજ જ આપવાનો હતો પરંતુ આખરી રસી આપવામાં આવે તે પહેલા જ બંનેના સારવાર દરમિયાન મોત નિપજતા જીલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું . સારવાર દરમિયાન જ મોત થતા મૃતકના પરિવારજનો દ્વારા સારવાર દરમિયાન તબીબી નિષ્કાળજીને લઈને જ મોત થયા હોવાનું જણાવ્યું હતું . તેમજ પરિવારજનો દ્વારા એ પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સ્થાનિક મોરવા હડફ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે હડકવા વિરોધી રસીનો અભાવ છે અને જેને લઈને જ દર્દીને વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યા હતા અને માટે જ દર્દીને યોગ્ય સમય મર્યાદામાં યોગ્ય સારવાર ન મળતા અને વેક્શીનેશન ન થવાને કારણે જ દર્દીના મોત થયા છે.
બાઈટ ૧ : રમેશ બારિયા , મૃતકના સ્વજન
(અમારા ગામના કુલ ૭ લોકોને શ્વાન કરડ્યું હતું અને બાદમાં સારવાર માટે મોરવા બાદમાં ગોધરા અને ત્યાંથી વડોદરા ખાતે અમને મોકલવામાં આવ્યા હતા જ્યાં તબીબોના જણાવ્યા પ્રમાણે જ અમે હડકવાની રસી મુકાવી રહ્યા હતા છતાં પણ ૨ ના મોત થઇ ગયા છે જેથી ક્યાંકને ક્યાંક તબીબી સારવારમાં જ ખામીને લઈને આ મોત થયા છે , માટે આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ . )
 
બાઈટ ૨ : રાજેન્દ્ર બારિયા , ડેપ્યુટી સરપંચ , ડાંગરિયા ગામ
(અમારા ગામમાં કુલ ૭ લોકોને કુતરું કરડ્યું હતું અને ૨ જી ઓગષ્ટ ના રોજ અમે અહીં મોરવા હડફ ખાતે સારવાર માટે લાવ્યા હતા અને અહીં રસી મુકવી હતી બાદમાં અમને વડોદરા ખાતે મોકલવામાં આવ્યા હતા ત્યાં દર્દીઓની સારવાર કર્યા વગર જ રજા આપી દીધી હતી, અને મોરવા ખાતે ઇન્જેક્શન પણ નહોતા , માટે તંત્રની બેદરકારી ને લઈને જ આ મોત થયા છે . )
 
મૃતકના સ્વજનો દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને બ્લોક હેલ્થ ઓફિસર દ્વારા નકારવામાં આવ્યા હતા , અને રેફરલ હોસ્પિટલ ખાતે તમામ દવા અને રસીનો જથ્થો પુરતી માત્રામાં હોવાનું જણાવ્યું હતું , જયારે જે મોત થયા છે તેમણે હડકવાની રશીના જે રેગ્યુલર ડોઝ લેવા જોઈએ તે લીધા નથી માટે મોત થયું છે .
બાઈટ ૩ : ડો.ઘનશ્યામ પટેલ , મેડીકલ ઓફિસર , મોરવા હડફ રેફરલ હોસ્પિટલ
(ડાંગરિયા ગામમાં જેમને કુતરું કરડ્યું હતું તેઓ ૨ જી તારીખે સવારે સારવાર માટે આવ્યા હતા અને મેં જ તેમને તપસ્યા હતા બાદમાં તેઓને હડકવાની રસી પણ આપવામાં આવી હતી અને આજે મોત થયા છે તે દર્દીએ રસીના ડોઝ રેગ્યુલર લેવા જોઈએ તે લીધા નથી માટે થયા છે બાકી અમારી હોસ્પીટલમાં દવાનો જથ્થો છે જ .)
 
જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ડાંગરિયા ગામની મુલાકાત લઈને બંને મૃતદેહોને પી એમ માટે મોરવા હડફ ખાતે ખસેડ્યા હતા જયારે અન્ય ૫ દર્દીઓની સારવાર પણ વધુ સઘન બનાવી છે તો બીજી તરફ મૃતક બંને વ્યક્તિઓના મોતનું પ્રાથમિક કારણ હડકવાને લઈને જ થયું હોવાનું જીલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસોમાં હડકવા વિરોધી રસીકરણ તેમજ શ્વાન કરડવાની ઘટનાઓ બને તો કેવા પ્રકારની સારવાર લેવી જોઈએ તે માટે પણ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવનાર છે . સમગ્ર બાબતને લઈને મૃતકના પરિવારજનો દ્વારા મોરવા હડફ પોલીસ મથકે જાણવા જોગ અરજી આપી છે .
બાઈટ : એસ . કે. મોડ , જીલ્લા આરોગ્ય અધિકારી પંચમહાલConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.