ETV Bharat / state

પંચમહાલમાં 'માતૃત્વ હક' ન મળતો હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ આપ્યું આવેદન - ગોધરા સેવા સદન કચેરી

ગોધરાઃ ગોધરા ખાતે મહિલા સંગઠનો દ્વારા અનિયમિત માતૃત્વ હકને લઇને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં શહેરા અને ઘોઘંબા તાલુકાની મહિલાઓ દ્વારા પોતાના બાળકો સાથે આવીને હાથમાં બેનરો સાથે નાયબ કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. જેમાં સાથે પાનમ મહિલા સંગઠન, દેવગઢ મહિલા સંગઠન, આનંદી સંસ્થાની મહિલા કાર્યકરો પણ જોડાયા હતા.

Etv Bharat, Gujarati News, Panchmahal News
પંચમહાલમાં 'માતૃત્વ હક' ન મળતો હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ આપ્યું આવેદન
author img

By

Published : Jan 1, 2020, 9:56 AM IST

ગોધરામાં આવેલી જિલ્લા સેવા સદનની કચેરી ખાતે શહેરા અને ઘોઘંબા તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં રહેતી મહિલાઓ પોતાના નાના બાળકો સાથે આવી હતી અને હાથમાં 'માતૃત્વ હક સૌ માટે' જેવા વિવિધ બેનરો સાથે એકત્ર થઇ હતી અને ત્યારબાદ નાયબ કલેક્ટર એમ. એલ નલવાયાને આવેદનપત્ર આપતા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ભારત દેશમાં મહિલાઓ અને બાળકોના કુપોષણની સ્થિતિ ચિંતાજનક છે. તમામ સગર્ભા અને ધાત્રી મહિલાઓ આ અવસ્થામાં ઘરકામ ઉપરાંત વિવિધ શ્રમકાર્ય કરે છે. જે માત્ર તેમને લઘુતમ વેતન મળતું નથી.

પંચમહાલમાં 'માતૃત્વ હક' ન મળતો હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ આપ્યું આવેદન

અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરતી તમામ મહિલાઓ પોતાના ઘર તથા દેશના અર્થતંત્રમાં પોતાના બિન વેતન અને અર્થનો ફાળો આપે છે, પરંતુ પ્રસુતિ બાદ કોઇપણ પ્રકારની સામાજિક સુરક્ષા પુરી પાડવામાં આવતી નથી. આ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, એક 2017 પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના આખા દેશમાં ચાલુ થઇ છે આજે એના બે વર્ષ બાદ પણ લાભાર્થી બહેનોએ પોતાના આરામ અને પોષણથી વંચિત રહી જાય છે. જે બહેનોના ફોર્મ ભરાય છે, તેમને એક અઠવાડિયા માટે પુરાવા હોવા છતાં ધક્કા ખાવા પડે છે. આ ઉપરાંત આ આવેદનમાં માગ કરવામાં આવી હતી કે, તેમને 31 માર્ચ 2020 સુધી પુરા નાણાં મળી જાય માતૃત્વ હક મળે, લાભાર્થીબહેનોની યાદી ગામોને આંગણવાડીમાં જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવે, જેથી પ્રક્રિયા પારદર્શક રહે.

ગોધરામાં આવેલી જિલ્લા સેવા સદનની કચેરી ખાતે શહેરા અને ઘોઘંબા તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં રહેતી મહિલાઓ પોતાના નાના બાળકો સાથે આવી હતી અને હાથમાં 'માતૃત્વ હક સૌ માટે' જેવા વિવિધ બેનરો સાથે એકત્ર થઇ હતી અને ત્યારબાદ નાયબ કલેક્ટર એમ. એલ નલવાયાને આવેદનપત્ર આપતા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ભારત દેશમાં મહિલાઓ અને બાળકોના કુપોષણની સ્થિતિ ચિંતાજનક છે. તમામ સગર્ભા અને ધાત્રી મહિલાઓ આ અવસ્થામાં ઘરકામ ઉપરાંત વિવિધ શ્રમકાર્ય કરે છે. જે માત્ર તેમને લઘુતમ વેતન મળતું નથી.

પંચમહાલમાં 'માતૃત્વ હક' ન મળતો હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ આપ્યું આવેદન

અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરતી તમામ મહિલાઓ પોતાના ઘર તથા દેશના અર્થતંત્રમાં પોતાના બિન વેતન અને અર્થનો ફાળો આપે છે, પરંતુ પ્રસુતિ બાદ કોઇપણ પ્રકારની સામાજિક સુરક્ષા પુરી પાડવામાં આવતી નથી. આ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, એક 2017 પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના આખા દેશમાં ચાલુ થઇ છે આજે એના બે વર્ષ બાદ પણ લાભાર્થી બહેનોએ પોતાના આરામ અને પોષણથી વંચિત રહી જાય છે. જે બહેનોના ફોર્મ ભરાય છે, તેમને એક અઠવાડિયા માટે પુરાવા હોવા છતાં ધક્કા ખાવા પડે છે. આ ઉપરાંત આ આવેદનમાં માગ કરવામાં આવી હતી કે, તેમને 31 માર્ચ 2020 સુધી પુરા નાણાં મળી જાય માતૃત્વ હક મળે, લાભાર્થીબહેનોની યાદી ગામોને આંગણવાડીમાં જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવે, જેથી પ્રક્રિયા પારદર્શક રહે.

Intro:પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે મહિલા સંગઠનો દ્વારા અનિયમિત માતૃત્વ હકને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.જેમાં શહેરા અને ઘોઘંબા તાલુકાની મહિલાઓ દ્રારા પોતાના બાળકો સાથે આવીને હાથમાં બેનરો સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં સાથે પાનમ મહિલા સંગઠન, દેવગઢ મહિલા સંગઠન, આનંદી સંસ્થાની મહિલા કાર્યકરો પણ જોડાયા હતા.



Body:
ગોધરા ખાતે આવેલી જિલ્લા સેવા સદનની કચેરી ખાતે શહેરા અને ઘોઘંબા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં રહેતી મહિલાઓ પોતાના નાના બાળકો સાથે આવી હતી અને હાથમાં "માતૃત્વ હક સૌ માટે" હમ હમારા હક માગતે નહિ કિસીસે ભીખ માગતે" જેવા બેનરો સાથે એકત્ર થઈ હતી.અને ત્યારબાદ નાયબ કલેક્ટર એમ. એલ.નલવાયાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.જેમાં
આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભારતદેશમાં મહિલાઓ અને બાળકોના કુપોષણની સ્થિતિ ચિંતાજનક છે.તમામ સગર્ભા અને ધાત્રી મહિલાઓ આ અવસ્થામાં ઘરકામ ઉપરાંત વિવિધ શ્રમકાર્ય કરે છે. જે માત્ર તેમને લઘૂતમ વેતન મળતું નથી.
અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરતી તમામ મહિલાઓ પોતાના ઘર તથા દેશના અર્થતંત્રમાં પોતાના બિન વેતન અને અર્થનો ફાળો આપે છે પરંતુ અને પ્રસૂતિ બાદ કોઈપણ પ્રકારની સામાજિક સુરક્ષા પુરી પાડવામાં આવતી નથી.
આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે એક 2017 પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના આખા દેશમાં ચાલુ થઈ છે આજે એના બે વર્ષ પછી પણ લાભાર્થીબહેનોએ પોતાના આરામ અને પોષણથી વંચિત રહી જાય છે જે બહેનો ના ફોર્મ ભરાય છે તેમને એક હપ્તા માટે વારંવાર પુરાવા હોવા છતાં ધક્કા ખાવા પડે છે. અને એના પછી પણ પૂરતો હક મળતો નથી અથવા સમયસર આવતો નથી.તેમણે આવેદનમાં માગણી કરી હતી કે તેમને 31 માર્ચ 2020 સુધી પુરા નાણાં મળી જાય માતૃત્વ હક મળે, લાભાર્થીબહેનોની યાદી ગામોને આંગણવાડીમાં જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવે, જેથી પ્રક્રિયા પારદર્શક રહે,બહેનોને પાત્રતા સાબિત કરવા વારંવાર પુરાવા આપવા પડે છે.તેમને માગ કરી હતી કે પતિ અને પિતાનો પુરાવો કોઈ બહેનો પાસે માગવામાં ના આવે અને તબક્કા માટે દર વખતે પુરાવો પાછો ના આપવો પડે તેવી જોગવાઈ કરવામાં આવે તેવી માંગ આવેદનમાં કરવામાં આવી હતી.




Conclusion:બાઇટ:-
રીટા પરમાર(કાર્યકર)
આનંદી સંસ્થા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.