ETV Bharat / state

નવસારીની મીંઢોળા નદીમાં પૂર સ્થિતિ, 16 કલાકથી ફસાયેલા 3 લોકોનું NDRFએ કર્યું રેસ્ક્યૂ

નવસારી અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે જિલ્લાની લોકમાતામાં પૂરની સ્થિતિ બની હતી. તે દરમિયાન મંગળવારે વહેલી સવારે મીંઢોળા નદીમાં જળ સ્તર વધતા જલાલપોર તાલુકાના પોંસરા ગામે ખાનગી ફાર્મ હાઉસમાં રહેતા માતા-પિતા અને દીકરી પુરમાં ફસાયા હતાં. આ ઘટનાની જાણ થતાં જ નવસારી વહીવટી તંત્રએ એનડીઆરએફની ટીમ સાથે પહોંચી કલાકોની જહેમત બાદ ત્રણેયને એક નવજાત વાછરડી સાથે સુરક્ષિત બહાર કાઢ્યા હતાં. જ્યારે ફાર્મમાં રાખેલા 14 ઢોરોને વધુ પાણી આવતા જ દંપતીએ બચાવવા માટે છોડી મુક્યા હતાં.

author img

By

Published : Aug 19, 2020, 7:27 AM IST

Updated : Aug 19, 2020, 9:58 AM IST

navsari
નવસારી

નવસારી: નવસારી જિલ્લાની સાથે જ ઉપરવાસના જિલ્લાઓમાં પણ ભારે વરસાદને કારણે લોકમાતાઓ બંને કાંઠે વહેતી થતાં કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ બની હતી. જેમાં નવસારી અને સુરતની સરહદે આવેલી મીંઢોળા નદીમાં મંગળવારે વહેલી સવારે 3:30 વાગ્યે અચાનક જળ સપાટીમાં વધારો થયો હતો.

નવસારીના જલાલપોર તાલુકાના પોંસરા ગામે આવેલ ખાનગી ફાર્મ હાઉસમાં રહેતો પોંકિયા પરિવાર પૂરના પાણી વચ્ચે ફસાઈ ગયો હતો. અચાનક પાણી વધતા દંપતી અને તેમની દીકરી ઘરના ધાબે ચઢી ગયા હતા અને ફાર્મમાં રાખેલા નાના-મોટા 14 ઢોરોને બચાવવા છોડી મુક્યા હતા. બાદમાં પોંકિયા પરિવારે ફાર્મ હાઉસમાં માલિક સહિત અન્યોને મદદ માટે ફોન કર્યા હતા. જેની માહિતી મળતા જ નવસારી જિલ્લા તંત્ર એનડીઆરએફની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યું હતું.

નવસારીના પોંસરા ગામે મોંઢોળાના પુરમાં ફસાયેલા ત્રણને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરી બચાવ્યા

જ્યાં 16 કલાકોથી ફસાયેલા માતા-પિતા, તેમની દીકરી અને એક નવજાત વાછરડીને એનડીઆરએફની ટીમે બોટ મારફતે રેસ્ક્યૂ કરીને સુરક્ષિત બહાર લાવી હતી. 16 કલાક ભૂખ્યા તરસ્યા પાણી વચ્ચે રહ્યા બાદ બહાર આવેલા પોંકિયા પરિવારે એનડીઆરએફની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

નવસારી: નવસારી જિલ્લાની સાથે જ ઉપરવાસના જિલ્લાઓમાં પણ ભારે વરસાદને કારણે લોકમાતાઓ બંને કાંઠે વહેતી થતાં કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ બની હતી. જેમાં નવસારી અને સુરતની સરહદે આવેલી મીંઢોળા નદીમાં મંગળવારે વહેલી સવારે 3:30 વાગ્યે અચાનક જળ સપાટીમાં વધારો થયો હતો.

નવસારીના જલાલપોર તાલુકાના પોંસરા ગામે આવેલ ખાનગી ફાર્મ હાઉસમાં રહેતો પોંકિયા પરિવાર પૂરના પાણી વચ્ચે ફસાઈ ગયો હતો. અચાનક પાણી વધતા દંપતી અને તેમની દીકરી ઘરના ધાબે ચઢી ગયા હતા અને ફાર્મમાં રાખેલા નાના-મોટા 14 ઢોરોને બચાવવા છોડી મુક્યા હતા. બાદમાં પોંકિયા પરિવારે ફાર્મ હાઉસમાં માલિક સહિત અન્યોને મદદ માટે ફોન કર્યા હતા. જેની માહિતી મળતા જ નવસારી જિલ્લા તંત્ર એનડીઆરએફની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યું હતું.

નવસારીના પોંસરા ગામે મોંઢોળાના પુરમાં ફસાયેલા ત્રણને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરી બચાવ્યા

જ્યાં 16 કલાકોથી ફસાયેલા માતા-પિતા, તેમની દીકરી અને એક નવજાત વાછરડીને એનડીઆરએફની ટીમે બોટ મારફતે રેસ્ક્યૂ કરીને સુરક્ષિત બહાર લાવી હતી. 16 કલાક ભૂખ્યા તરસ્યા પાણી વચ્ચે રહ્યા બાદ બહાર આવેલા પોંકિયા પરિવારે એનડીઆરએફની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Last Updated : Aug 19, 2020, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.