ETV Bharat / state

ઐતિહાસિક દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારકને કરાયું સેનેટાઇઝ

ભારતની આઝાદીમાં પાયાનો પથ્થર સાબિત થયેલી મીઠાના સત્યાગ્રહની દાંડી કૂચને આજે 90 વર્ષ પૂર્ણ થયા છે. દાંડી કૂચ લોકોના સ્મૃતિપટ પર જીવંત રહે અને ગાંધી વિચારનો ફેલાવો થાય એ હેતુથી પ્રતિકાત્મક યોજાતી દાંડી યાત્રા રદ્દ રખાઈ હતી. જ્યારે સોમવારે દાંડી ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર રાષ્ટ્રીય સ્મારકને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી સેનેટાઇઝ કરવામાં આવ્યુ હતું.

author img

By

Published : Apr 6, 2020, 5:12 PM IST

gandhi memorial sanitized in navsari
ઐતિહાસિક દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારકને કરાયું સેનેટાઇઝ

નવસારી : અંગ્રેજ સરકાર દ્વારા મીઠા પર લાદવામાં આવેલા આકરા કરના વિરોધમાં વર્ષ 1930માં અમદાવાદના સાબરમતીથી નવસારીના દાંડીના દરિયા કિનારા સુધી દાંડી કૂચ કરી હતી. મહાત્માનો મીઠાનો સત્યાગ્રહ ઇતિહાસમાં ભારતની આઝાદીના પ્રવેશ દ્વાર તરીકે પણ ઓળખાય છે. મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલના રોજ ચપટી મીઠું ઉંચકી અંગ્રેજી સલ્તનતના પાયામાં લૂણો લગાડ્યો હતો. દાંડી કૂચને આજે 90 વર્ષ પૂર્ણ થયા છે. જો કે, હજારો પ્રવાસીઓથી ઉભરાતું રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારક આજે સોમવારે સુમસામ રહ્યું હતું. દર વર્ષે દાંડી કૂચ અને મહાત્માના વિચારોને જન માનસમાં જીવંત રાખવા માટે યોજાતી પ્રતિકાત્મક દાંડી યાત્રા અને પ્રાર્થના સભા સહિતના કાર્યક્રમો પણ કોરોના મહામારીને કારણે રદ્દ રખાયા હતા.

gandhi memorial sanitized in navsari
ઐતિહાસિક દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારકને કરાયું સેનેટાઇઝ
બીજી તરફ કોરોનાની મહામારી સામે દાંડી ગ્રામ પંચાયતને સુરક્ષિત રાખવા સોમવારે દાંડી ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામમાં દવાનો છંટકાવ કરી સેનેટાઇઝ કરવામાં આવ્યું હતુ. સાથે ગત વર્ષે જ 15 એકરમાં નિર્માણ પામેલ રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારકને પણ સેનેટાઇઝ કરાયું હતું. સ્મારકમાં 15 ફુટ ઊંચી પંચધાતુની અડગતાનો સંદેશ આપતી મહાત્મા ગાંધીજીની પ્રતિમા સહિત દાંડી કૂચના યાત્રીઓની પ્રતિમાઓ, સોલાર ટ્રી અને દાંડી કૂચમાં મુખ્ય પ્રસંગોને દર્શાવતા 24 મ્યુરલ્સને, કચેરી અને પ્રદર્શન ખંડને પણ સેનેટાઇઝ કરવામાં આવ્યો હતો.
gandhi memorial sanitized in navsari
ઐતિહાસિક દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારકને કરાયું સેનેટાઇઝ
gandhi memorial sanitized in navsari
ઐતિહાસિક દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારકને કરાયું સેનેટાઇઝ
દાંડીના સરપંચ વિમલ પટેલે જણાવ્યું કે, આજે દાંડી કૂચને 90 વર્ષ પૂર્ણ થયા છે. પણ કોરોનાની મહામારીને કારણે જાહેર લૉકડાઉનમાં સ્મારક પણ બંધ છે. જો કે, કોરોના સામેની જંગમાં સંપૂર્ણ દાંડી ગામ વડાપ્રધાન મોદી સાથે છે અને તેમના દ્વારા કરાયેલી અપીલનું પાલન કરાઈ રહ્યું છે. આજે ગામને સેનેટાઇઝ કરવાનો પ્રારંભ કર્યો છે, ત્યારે નવસારીના ગૌરવ સમાન રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારકને પણ સેનેટાઇઝ કરવામાં આવ્યું છે.

નવસારી : અંગ્રેજ સરકાર દ્વારા મીઠા પર લાદવામાં આવેલા આકરા કરના વિરોધમાં વર્ષ 1930માં અમદાવાદના સાબરમતીથી નવસારીના દાંડીના દરિયા કિનારા સુધી દાંડી કૂચ કરી હતી. મહાત્માનો મીઠાનો સત્યાગ્રહ ઇતિહાસમાં ભારતની આઝાદીના પ્રવેશ દ્વાર તરીકે પણ ઓળખાય છે. મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલના રોજ ચપટી મીઠું ઉંચકી અંગ્રેજી સલ્તનતના પાયામાં લૂણો લગાડ્યો હતો. દાંડી કૂચને આજે 90 વર્ષ પૂર્ણ થયા છે. જો કે, હજારો પ્રવાસીઓથી ઉભરાતું રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારક આજે સોમવારે સુમસામ રહ્યું હતું. દર વર્ષે દાંડી કૂચ અને મહાત્માના વિચારોને જન માનસમાં જીવંત રાખવા માટે યોજાતી પ્રતિકાત્મક દાંડી યાત્રા અને પ્રાર્થના સભા સહિતના કાર્યક્રમો પણ કોરોના મહામારીને કારણે રદ્દ રખાયા હતા.

gandhi memorial sanitized in navsari
ઐતિહાસિક દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારકને કરાયું સેનેટાઇઝ
બીજી તરફ કોરોનાની મહામારી સામે દાંડી ગ્રામ પંચાયતને સુરક્ષિત રાખવા સોમવારે દાંડી ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામમાં દવાનો છંટકાવ કરી સેનેટાઇઝ કરવામાં આવ્યું હતુ. સાથે ગત વર્ષે જ 15 એકરમાં નિર્માણ પામેલ રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારકને પણ સેનેટાઇઝ કરાયું હતું. સ્મારકમાં 15 ફુટ ઊંચી પંચધાતુની અડગતાનો સંદેશ આપતી મહાત્મા ગાંધીજીની પ્રતિમા સહિત દાંડી કૂચના યાત્રીઓની પ્રતિમાઓ, સોલાર ટ્રી અને દાંડી કૂચમાં મુખ્ય પ્રસંગોને દર્શાવતા 24 મ્યુરલ્સને, કચેરી અને પ્રદર્શન ખંડને પણ સેનેટાઇઝ કરવામાં આવ્યો હતો.
gandhi memorial sanitized in navsari
ઐતિહાસિક દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારકને કરાયું સેનેટાઇઝ
gandhi memorial sanitized in navsari
ઐતિહાસિક દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારકને કરાયું સેનેટાઇઝ
દાંડીના સરપંચ વિમલ પટેલે જણાવ્યું કે, આજે દાંડી કૂચને 90 વર્ષ પૂર્ણ થયા છે. પણ કોરોનાની મહામારીને કારણે જાહેર લૉકડાઉનમાં સ્મારક પણ બંધ છે. જો કે, કોરોના સામેની જંગમાં સંપૂર્ણ દાંડી ગામ વડાપ્રધાન મોદી સાથે છે અને તેમના દ્વારા કરાયેલી અપીલનું પાલન કરાઈ રહ્યું છે. આજે ગામને સેનેટાઇઝ કરવાનો પ્રારંભ કર્યો છે, ત્યારે નવસારીના ગૌરવ સમાન રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારકને પણ સેનેટાઇઝ કરવામાં આવ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.