ETV Bharat / state

રીષભ પંત બાદ ગુજરાતમાં પણ અકસ્માતની મોટી ઘટના: 9 લોકોના કરુણ મોત

author img

By

Published : Dec 31, 2022, 7:24 AM IST

Updated : Dec 31, 2022, 2:47 PM IST

નવસારીના વેસ્મા ગામ નજીક બસ અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો. અકસ્માતમાં 9 લોકોના કરુણ મોત (9 people died on the spot) થયા હતા. બસના ડ્રાઇવરને પણ એટેક આવી ગયો હતો. બસમાં સવાર 30 લોકોને નાની મોટી ઈજા થતા નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. (Accident at Vesma village of Navsari)

નવસારીના વેસ્મા ગામ પાસે અકસ્માતમાં 8 લોકોના ઘટના સ્થળે મોત
નવસારીના વેસ્મા ગામ પાસે અકસ્માતમાં 8 લોકોના ઘટના સ્થળે મોત

અકસ્માતમાં 9 લોકોના મોત

નવસારી : જિલ્લામાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા વેસ્મા ગામ નજીક ગમખ્વાર અકસ્માત (Accident near Vesma village in Navsari) સર્જાયો હતો. કાર અને બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં 9 લોકોના કરુણ મોત (9 people died on the spot) થયા છે. માહિતી મુજબ કારમાં સવાર 8 યુવાનો અને ડ્રાઈવરનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. બસ ડ્રાઈવરનુ પણ અકસ્માત અને હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. (Accident at Vesma village of Navsari) ઘટનાને પગલે વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટના માધ્યમથી ભોગબનનાર માટે રાહત જાહેર કરી અને સંવેદના પાઠવી હતી.

  • Gujarat | 9 died & 29 others were injured in the accident. Medical treatment is being given to the injured. SUV driver lost control after which it collided with a bus. Highway patrolling team responded immediately and started the rescue operation: Rushikesh Upadhyay, SP Navsari pic.twitter.com/JsfO0UmzGk

    — ANI (@ANI) December 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અકસ્માતમાં 9 લોકોના મોત : નવસારી જીલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ પૂરપાટ દોડતી ફોર્ચ્યુંનર કાર ડીવાઈડર કૂદીને સામેના ટ્રેક પર જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ફોર્ચ્યુંનર કારમાં સવાર 8 યુવાનો અને ડ્રાઈવરનુ ઘટના સ્થળે જ કમકમટીભર્યા મોત થયા હતા. બસ ડ્રાઈવરનુ પણ અકસ્માત અને હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. લક્ઝરી બસ સુરતથી વલસાડ તરફ જઈ રહી હતી. બસમાં સવાર 30 લોકોને નાની મોટી ઈજા થતા નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાંથી 22 ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ પણ વાંચો: Surat Crime 2022: ડાયમંડ સીટીને ગુનાઓથી ઝાંખી પાડતી અપરાધની ઘટનાઓ

ફોર્ચ્યુંનરમાં સવાર યુવાનો ભરૂચના: બસમાં સવાર લોકો વલસાડના કોલક ગામના વતની છે. કોલેજના ગ્રામજનો અમદાવાદના પ્રમુખ સ્વામી નગરમાં દર્શનાર્થે ગયા હતા. ફોર્ચ્યુંનરમાં સવાર યુવાનો ભરૂચના હોવાનું પ્રાથમિક તારણ છે. કારમાં સવાર એકને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા અધિક કલેકટર સહિતનો કાફલો ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલમાં ખડે પગે છે.

મૃતકોના પૂરા નામ: 1. નીતિન ઘનશ્યામ પાટીલ, ઉ. 30, ભરૂચ, ફોર્ચ્યુનરનો ડ્રાઈવર, 2. જયદીપ કાંતિભાઈ પેથાણી, ઉ. 25, ભાદાજાળીયા, ધોરાજી, રાજકોટ, 3. જયદીપ કાળુભાઇ ગોધાણી, ઉ. 24, નાની પીડાખાઈ, વિસાવદર, જૂનાગઢ, 4. ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા, ઉ. 24, ગુંદાળા, રાજકોટ, 5. જગદીશ રસિકભાઈ દુધાત, ઉ. 35, પ્રજવિલા બંગલો, અંકલેશ્વર, ભરૂચ, 6. મયુરકુમાર ધીરૂભાઈ વવૈયા, ઉ. 23, ચોરા પાસે, ઝાંઝેછર, જાંબુડા, જૂનાગઢ, 7. નવનીત મોહનભાઈ ભદીચદરા, ઉ. 39, નાયવર નગર, નાના વરાછા, સુરત, 8. પ્રજ્ઞેશ રણછોડ વેકરીયા, ઉ. 23, પાણીની ટાંકી, રબાકીયા, રાજકોટ, 9. ગણેશ મોરારભાઇ ટંડેલ, રામનગર, કોલક ગામ, વલસાડ

અકસ્માતમાં 9 લોકોના મોત

નવસારી : જિલ્લામાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા વેસ્મા ગામ નજીક ગમખ્વાર અકસ્માત (Accident near Vesma village in Navsari) સર્જાયો હતો. કાર અને બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં 9 લોકોના કરુણ મોત (9 people died on the spot) થયા છે. માહિતી મુજબ કારમાં સવાર 8 યુવાનો અને ડ્રાઈવરનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. બસ ડ્રાઈવરનુ પણ અકસ્માત અને હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. (Accident at Vesma village of Navsari) ઘટનાને પગલે વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટના માધ્યમથી ભોગબનનાર માટે રાહત જાહેર કરી અને સંવેદના પાઠવી હતી.

  • Gujarat | 9 died & 29 others were injured in the accident. Medical treatment is being given to the injured. SUV driver lost control after which it collided with a bus. Highway patrolling team responded immediately and started the rescue operation: Rushikesh Upadhyay, SP Navsari pic.twitter.com/JsfO0UmzGk

    — ANI (@ANI) December 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અકસ્માતમાં 9 લોકોના મોત : નવસારી જીલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ પૂરપાટ દોડતી ફોર્ચ્યુંનર કાર ડીવાઈડર કૂદીને સામેના ટ્રેક પર જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ફોર્ચ્યુંનર કારમાં સવાર 8 યુવાનો અને ડ્રાઈવરનુ ઘટના સ્થળે જ કમકમટીભર્યા મોત થયા હતા. બસ ડ્રાઈવરનુ પણ અકસ્માત અને હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. લક્ઝરી બસ સુરતથી વલસાડ તરફ જઈ રહી હતી. બસમાં સવાર 30 લોકોને નાની મોટી ઈજા થતા નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાંથી 22 ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ પણ વાંચો: Surat Crime 2022: ડાયમંડ સીટીને ગુનાઓથી ઝાંખી પાડતી અપરાધની ઘટનાઓ

ફોર્ચ્યુંનરમાં સવાર યુવાનો ભરૂચના: બસમાં સવાર લોકો વલસાડના કોલક ગામના વતની છે. કોલેજના ગ્રામજનો અમદાવાદના પ્રમુખ સ્વામી નગરમાં દર્શનાર્થે ગયા હતા. ફોર્ચ્યુંનરમાં સવાર યુવાનો ભરૂચના હોવાનું પ્રાથમિક તારણ છે. કારમાં સવાર એકને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા અધિક કલેકટર સહિતનો કાફલો ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલમાં ખડે પગે છે.

મૃતકોના પૂરા નામ: 1. નીતિન ઘનશ્યામ પાટીલ, ઉ. 30, ભરૂચ, ફોર્ચ્યુનરનો ડ્રાઈવર, 2. જયદીપ કાંતિભાઈ પેથાણી, ઉ. 25, ભાદાજાળીયા, ધોરાજી, રાજકોટ, 3. જયદીપ કાળુભાઇ ગોધાણી, ઉ. 24, નાની પીડાખાઈ, વિસાવદર, જૂનાગઢ, 4. ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા, ઉ. 24, ગુંદાળા, રાજકોટ, 5. જગદીશ રસિકભાઈ દુધાત, ઉ. 35, પ્રજવિલા બંગલો, અંકલેશ્વર, ભરૂચ, 6. મયુરકુમાર ધીરૂભાઈ વવૈયા, ઉ. 23, ચોરા પાસે, ઝાંઝેછર, જાંબુડા, જૂનાગઢ, 7. નવનીત મોહનભાઈ ભદીચદરા, ઉ. 39, નાયવર નગર, નાના વરાછા, સુરત, 8. પ્રજ્ઞેશ રણછોડ વેકરીયા, ઉ. 23, પાણીની ટાંકી, રબાકીયા, રાજકોટ, 9. ગણેશ મોરારભાઇ ટંડેલ, રામનગર, કોલક ગામ, વલસાડ

Last Updated : Dec 31, 2022, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.