ETV Bharat / state

નવસારી રેલવે સ્ટેશનમાં ડબલ ડેક્કર ટ્રેનના પૈડામાં આગની ઘટનાથી દોડધામ - fire in Double decker train

અમદાવાદથી મુંબઇ જઈ રહેલી ડબલ ડેક્કર ટ્રેનમાં સોમવારે સવારે નવસારી રેલવે સ્ટેશન પાસે આવતા C-7 કોચના પૈડાના બ્રેક પેડમાંથી ધુમાડો નીકળતા ટ્રેનમાં આગ લાગવાની વાત સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભાગદોડ મચી હતી. જોકે, ટ્રેનના પૈડાંમાં બ્રેક પેડ ઘસાવાને કારણે ચણખા ઉડીને ધુમાડો નીકળ્યો હતો, જેથી રેલવે કર્મીઓએ બ્રેક પેડ બદલીને ટ્રેનને થોડી મિનીટો બાદ આગળ રવાના કરી હતી.

નવસારી રેલવે સ્ટેશન
નવસારી રેલવે સ્ટેશન
author img

By

Published : Feb 8, 2021, 10:25 PM IST

  • પૈડામાં લાગેલા બ્રેક પેડ ઘસાતા ચણખા ઝરીને ધુમાડો ઉઠતા પ્રવાસીઓ ગભરાયા હતા
  • ટ્રેનને સ્ટેશને રોકીને પૈડાના બ્રેક પેડ બદલવામાં આવ્યા
  • 20 મિનીટ બાદ ટ્રેનને આગળ રવાના કરાઈ

નવસારીઃ અમદાવાદથી મુંબઈ જઇ રહેલી ડબલ ડેક્કર ટ્રેન સોમવારે સવારે 9:40 વાગ્યે નવસારી પહોંચી હતી, પરંતુ ચાલકે બ્રેક મારતા ટ્રેનના C-7 કોચના પૈડાંના બ્રેક પેડ ઘસાતા ચણખા ઝરવા સાથે જ આગ લાગી હોય એમ ધુમાડો નીકળતા રેલવે પ્લેટફોર્મ અને ટ્રેનમાં સવાર પ્રવાસીઓમાં ગભરાટ છવાયો હતો.

નવસારી રેલવે સ્ટેશન
નવસારી રેલવે સ્ટેશન

ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા સોશિયલ મીડિયામાં ફેલાઈ

ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા સોશિયલ મીડિયામાં ફેલાઈ હતી. ઘટનાની જાણ થતા નવસારી સ્ટેશન મેનેજર ઉદય સિંગ તેમજ ટેક્નિકલ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારે બ્રેક પેડમાં તકલીફ જણાતા તાત્કાલિક બ્રેક પેડ બદલી નાંખ્યા હતા અને 20 મિનીટ બાદ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી.

નવસારી રેલવે સ્ટેશન
નવસારી રેલવે સ્ટેશન

બ્રેક પેડમાં તકલીફ આવે તે સામાન્ય ઘટના

નવસારી રેલવે વિભાગના અધિકારીઓના જણાવ્યાં અનુસાર ટ્રેનના પૈડાંઓને થોભાવવા માટે જેમ વાહનોમાં બ્રેકનું મેકેનિઝમ હોય છે, એજ પ્રમાણે ટ્રેનમાં બ્રેક પેડ હોય છે. ઘણીવાર બ્રેક પેડ ઘસાવાને કારણે ચણખા ઝરતા હોય છે અને ક્યારેક વધુ તકલીફ હોય, તો ધુમાડો પણ નીકળે છે, જે સામાન્ય ઘટના છે. આજે અમદાવાદ મુંબઇ એસી ડબલ ડેક્કર ટ્રેનમાં પણ આગ નહીં પણ બ્રેક પેડ ઘસાવાને કારણે ધુમાડો નીકળ્યો હતો. જેને બદલી નાંખવામાં આવ્યાં હતા અને ટ્રેનને આગળ રવાના કરાઈ હતી.

નવસારી રેલવે સ્ટેશનમાં ડબલ ડેક્કર ટ્રેનના પૈડામાં આગની ઘટનાથી દોડધામ

  • પૈડામાં લાગેલા બ્રેક પેડ ઘસાતા ચણખા ઝરીને ધુમાડો ઉઠતા પ્રવાસીઓ ગભરાયા હતા
  • ટ્રેનને સ્ટેશને રોકીને પૈડાના બ્રેક પેડ બદલવામાં આવ્યા
  • 20 મિનીટ બાદ ટ્રેનને આગળ રવાના કરાઈ

નવસારીઃ અમદાવાદથી મુંબઈ જઇ રહેલી ડબલ ડેક્કર ટ્રેન સોમવારે સવારે 9:40 વાગ્યે નવસારી પહોંચી હતી, પરંતુ ચાલકે બ્રેક મારતા ટ્રેનના C-7 કોચના પૈડાંના બ્રેક પેડ ઘસાતા ચણખા ઝરવા સાથે જ આગ લાગી હોય એમ ધુમાડો નીકળતા રેલવે પ્લેટફોર્મ અને ટ્રેનમાં સવાર પ્રવાસીઓમાં ગભરાટ છવાયો હતો.

નવસારી રેલવે સ્ટેશન
નવસારી રેલવે સ્ટેશન

ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા સોશિયલ મીડિયામાં ફેલાઈ

ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા સોશિયલ મીડિયામાં ફેલાઈ હતી. ઘટનાની જાણ થતા નવસારી સ્ટેશન મેનેજર ઉદય સિંગ તેમજ ટેક્નિકલ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારે બ્રેક પેડમાં તકલીફ જણાતા તાત્કાલિક બ્રેક પેડ બદલી નાંખ્યા હતા અને 20 મિનીટ બાદ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી.

નવસારી રેલવે સ્ટેશન
નવસારી રેલવે સ્ટેશન

બ્રેક પેડમાં તકલીફ આવે તે સામાન્ય ઘટના

નવસારી રેલવે વિભાગના અધિકારીઓના જણાવ્યાં અનુસાર ટ્રેનના પૈડાંઓને થોભાવવા માટે જેમ વાહનોમાં બ્રેકનું મેકેનિઝમ હોય છે, એજ પ્રમાણે ટ્રેનમાં બ્રેક પેડ હોય છે. ઘણીવાર બ્રેક પેડ ઘસાવાને કારણે ચણખા ઝરતા હોય છે અને ક્યારેક વધુ તકલીફ હોય, તો ધુમાડો પણ નીકળે છે, જે સામાન્ય ઘટના છે. આજે અમદાવાદ મુંબઇ એસી ડબલ ડેક્કર ટ્રેનમાં પણ આગ નહીં પણ બ્રેક પેડ ઘસાવાને કારણે ધુમાડો નીકળ્યો હતો. જેને બદલી નાંખવામાં આવ્યાં હતા અને ટ્રેનને આગળ રવાના કરાઈ હતી.

નવસારી રેલવે સ્ટેશનમાં ડબલ ડેક્કર ટ્રેનના પૈડામાં આગની ઘટનાથી દોડધામ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.