ETV Bharat / state

રાષ્ટ્રીય એકતા દિવસ: અમિત શાહે કહ્યું, દેશભક્તિનું તીર્થસ્થળ છે કેવડિયા

author img

By

Published : Oct 31, 2021, 11:12 AM IST

આજે (31 ઓક્ટોબર) મહાન સ્વાતંત્ર્ય સેનાની અને સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel) ની જન્મજયંતિ છે. આ દિવસને 'રાષ્ટ્રીય એકતા દિવસ' (National Unity Day) તરીકે ઉજવવામાં આવે છે અને દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) કોમ્પ્લેક્સ ખાતે આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ' સમારોહમાં ગૃહપ્રધાન અમિત શાહે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.

Sardar Patel
Sardar Patel
  • સરદાર વલ્લભભાઈ પટેલની 146 મી જન્મજયંતિની ઉજવણી
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી કોમ્પ્લેક્સ ખાતે ઉજવણી કરાઈ
  • ગૃહપ્રધાન અમિત શાહે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી
  • SSB ના સૈનિકોએ વુશુ માર્શલ આર્ટનું પ્રદર્શન કર્યું

અમદાવાદઃ ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel) ની 146 મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સંકુલ ખાતે 'રાષ્ટ્રીય એકતા દિવસ' ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સશસ્ત્ર સીમા બલ (SSB) ના સૈનિકોએ વુશુ માર્શલ આર્ટનું પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનમાં 21 જવાનોએ ભાગ લીધો હતો, જેમાં છ મહિલાઓ અને 15 પુરૂષો સામેલ હતા.

રાષ્ટ્રીય એકતા દિવસ: અમિત શાહે કહ્યું, દેશભક્તિનું તીર્થસ્થળ છે કેવડિયા

આ પણ વાંચો: જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના આ સ્થાપક સભ્યો પાસેથી સ્વાતંત્ર્ય સેનાનીઓ લેતા હતા તબીબી સહાય

ભારતની એકતા અને અખંડિતતાને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં: અમિત શાહ

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને સંબોધતા ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, 'આઝાદી પછી અંગ્રેજોએ જતા જતા ભારત, પાકિસ્તાન અને 550 થી વધુ રજવાડાઓને અલગ કરીને દેશના ભાગલા પાડવાનું કાવતરું ઘડ્યું હતું. તે યોજનાને નિષ્ફળ કરીને સરદાર વલ્લભભાઈ (Sardar Patel) એ અખંડ ભારત બનાવવાનો સંકલ્પ લીધો હતો. અમિત શાહે વધુમાં કહ્યું કે, સરદાર પટેલે આપેલી પ્રેરણાએ આજે ​​દેશને અખંડ રાખવાનું કામ કર્યું છે. આજે તેમની પ્રેરણા આપણને દેશને આગળ લઈ જવામાં, એકજૂથ રાખવામાં સફળ રહી છે. કેવડિયા કોઈ જગ્યાનું નામ નથી, તે યાત્રાધામ બની ગયું છે. રાષ્ટ્રની એકતાનું તીર્થસ્થાન, દેશભક્તિનું તીર્થસ્થાન અને આજે આ આકાશને સ્પર્શતી સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વને સંદેશ આપી રહી છે કે, ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે. ભારતની એકતા અને અખંડિતતાને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં.

રાષ્ટ્રીય એકતા દિવસ: અમિત શાહે કહ્યું, દેશભક્તિનું તીર્થસ્થળ છે કેવડિયા

અમિત શાહે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી

અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, 'આજે રાષ્ટ્રીય એકતા (National Unity) ના પ્રતિક એવા કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) પર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર તેમના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પહેલા અમિત શાહે ટ્વીટ કરીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. શાહે લખ્યું હતું કે, 'સરદાર પટેલનું જીવન આપણને શિખવે છે કે કેવી રીતે એક વ્યક્તિ તેમની મજબૂત ઇચ્છાશક્તિ, લોખંડી નેતૃત્વ અને અદમ્ય દેશભક્તિ સાથે દેશની તમામ વિવિધતાને એકતામાં પરિવર્તિત કરી શકે છે અને એક રાષ્ટ્રનું સ્વરૂપ આપી શકે છે. દેશના એકીકરણની સાથે સાથે સરદાર સાહેબે સ્વતંત્ર ભારતનો વહીવટી પાયો નાખવાનું કામ પણ કર્યું. અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, માતૃભૂમિ માટે સરદાર સાહેબનું સમર્પણ, વફાદારી, સંઘર્ષ અને બલિદાન દરેક ભારતીયને દેશની એકતા અને અખંડિતતા માટે પોતાને સમર્પિત કરવાની પ્રેરણા આપે છે. અખંડ ભારતના આવા મહાન શિલ્પીની જન્મજયંતિ નિમિત્તે તેમના ચરણોમાં પ્રણામ અને તમામ દેશવાસીઓને 'રાષ્ટ્રીય એકતા દિવસ' ની શુભેચ્છાઓ.

  • आज केवड़िया में ‘Statue of Unity’ पर राष्ट्रीय एकता के प्रतीक सरदार वल्लभभाई पटेल जी की जयंती पर उनके चरणों में नमन कर पुष्पांजलि अर्पित की। #NationalUnityDay pic.twitter.com/716PhBWyuC

    — Amit Shah (@AmitShah) October 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં કોંગ્રેસ પર વરસ્યા શાહ, બોલ્યા- કોરોનામાં ના દેખાયા, ચૂંટણી આવતા જ સામે આવે છે

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી

સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) નું 2018 માં અનાવરણ કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ (Sardar Patel) ની આ પ્રતિમા 182 મીટર ઊંચી છે અને તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. અમિત શાહે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પરેડની સલામી લીધી, જેમાં અર્ધલશ્કરી દળો અને ગુજરાત પોલીસના જવાનોએ ભાગ લીધો હતો.

રાષ્ટ્રીય એકતા દિવસ: અમિત શાહે કહ્યું, દેશભક્તિનું તીર્થસ્થળ છે કેવડિયા
રાષ્ટ્રીય એકતા દિવસ: અમિત શાહે કહ્યું, દેશભક્તિનું તીર્થસ્થળ છે કેવડિયા

75 સાઇકલ સવારો અને 101 મોટરસાઇકલ સવારોએ પણ પરેડમાં ભાગ લીધો

ITBP, SSB, CISF, CRPF અને BSF ના 75 સાઇકલ સવારો અને ત્રિપુરા, તમિલનાડુ, જમ્મુ અને કાશ્મીર અને ગુજરાતના પોલીસ દળોના 101 મોટરસાઇકલ સવારોએ પણ પરેડમાં ભાગ લીધો હતો. સાઇકલ ચાલકોએ લગભગ 9,000 કિલોમીટર અને મોટરસાઇકલ સવારોએ દેશના વિવિધ ભાગોમાંથી 9,200 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ ઉપરાંત ઓલિમ્પિક, એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં 23 મેડલ વિજેતાઓએ પણ પરેડમાં ભાગ લીધો હતો.

2014 માં કેન્દ્ર સરકારે 31 ઓક્ટોબરે 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કર્યું

સરદાર પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ નડિયાદ (ગુજરાત) માં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ ઘરે જ થયું હતું. લંડન જઈને તેમણે બેરિસ્ટરનો અભ્યાસ કર્યો અને પાછા આવીને અમદાવાદમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત થઈને તેઓ ભારતના સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાયા હતા. ભારતની આઝાદી પછી તેઓ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાનનું પદ સંભાળતા હતા. સરદાર પટેલને ભારતના પ્રજાસત્તાકના સ્થાપક પિતા તરીકે ઓળખવામાં આવે છે, જેમણે દેશની આઝાદીની લડતમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી અને એકીકૃત, સ્વતંત્ર રાષ્ટ્રમાં તેના એકીકરણને માર્ગદર્શન આપ્યું હતું. 2014 માં કેન્દ્ર સરકારે સરદાર પટેલની જન્મજયંતિ 31 ઓક્ટોબરે 'રાષ્ટ્રીય એકતા દિવસ' (National Unity Day) તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.

  • સરદાર વલ્લભભાઈ પટેલની 146 મી જન્મજયંતિની ઉજવણી
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી કોમ્પ્લેક્સ ખાતે ઉજવણી કરાઈ
  • ગૃહપ્રધાન અમિત શાહે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી
  • SSB ના સૈનિકોએ વુશુ માર્શલ આર્ટનું પ્રદર્શન કર્યું

અમદાવાદઃ ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel) ની 146 મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સંકુલ ખાતે 'રાષ્ટ્રીય એકતા દિવસ' ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સશસ્ત્ર સીમા બલ (SSB) ના સૈનિકોએ વુશુ માર્શલ આર્ટનું પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનમાં 21 જવાનોએ ભાગ લીધો હતો, જેમાં છ મહિલાઓ અને 15 પુરૂષો સામેલ હતા.

રાષ્ટ્રીય એકતા દિવસ: અમિત શાહે કહ્યું, દેશભક્તિનું તીર્થસ્થળ છે કેવડિયા

આ પણ વાંચો: જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના આ સ્થાપક સભ્યો પાસેથી સ્વાતંત્ર્ય સેનાનીઓ લેતા હતા તબીબી સહાય

ભારતની એકતા અને અખંડિતતાને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં: અમિત શાહ

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને સંબોધતા ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, 'આઝાદી પછી અંગ્રેજોએ જતા જતા ભારત, પાકિસ્તાન અને 550 થી વધુ રજવાડાઓને અલગ કરીને દેશના ભાગલા પાડવાનું કાવતરું ઘડ્યું હતું. તે યોજનાને નિષ્ફળ કરીને સરદાર વલ્લભભાઈ (Sardar Patel) એ અખંડ ભારત બનાવવાનો સંકલ્પ લીધો હતો. અમિત શાહે વધુમાં કહ્યું કે, સરદાર પટેલે આપેલી પ્રેરણાએ આજે ​​દેશને અખંડ રાખવાનું કામ કર્યું છે. આજે તેમની પ્રેરણા આપણને દેશને આગળ લઈ જવામાં, એકજૂથ રાખવામાં સફળ રહી છે. કેવડિયા કોઈ જગ્યાનું નામ નથી, તે યાત્રાધામ બની ગયું છે. રાષ્ટ્રની એકતાનું તીર્થસ્થાન, દેશભક્તિનું તીર્થસ્થાન અને આજે આ આકાશને સ્પર્શતી સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વને સંદેશ આપી રહી છે કે, ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે. ભારતની એકતા અને અખંડિતતાને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં.

રાષ્ટ્રીય એકતા દિવસ: અમિત શાહે કહ્યું, દેશભક્તિનું તીર્થસ્થળ છે કેવડિયા

અમિત શાહે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી

અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, 'આજે રાષ્ટ્રીય એકતા (National Unity) ના પ્રતિક એવા કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) પર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર તેમના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પહેલા અમિત શાહે ટ્વીટ કરીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. શાહે લખ્યું હતું કે, 'સરદાર પટેલનું જીવન આપણને શિખવે છે કે કેવી રીતે એક વ્યક્તિ તેમની મજબૂત ઇચ્છાશક્તિ, લોખંડી નેતૃત્વ અને અદમ્ય દેશભક્તિ સાથે દેશની તમામ વિવિધતાને એકતામાં પરિવર્તિત કરી શકે છે અને એક રાષ્ટ્રનું સ્વરૂપ આપી શકે છે. દેશના એકીકરણની સાથે સાથે સરદાર સાહેબે સ્વતંત્ર ભારતનો વહીવટી પાયો નાખવાનું કામ પણ કર્યું. અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, માતૃભૂમિ માટે સરદાર સાહેબનું સમર્પણ, વફાદારી, સંઘર્ષ અને બલિદાન દરેક ભારતીયને દેશની એકતા અને અખંડિતતા માટે પોતાને સમર્પિત કરવાની પ્રેરણા આપે છે. અખંડ ભારતના આવા મહાન શિલ્પીની જન્મજયંતિ નિમિત્તે તેમના ચરણોમાં પ્રણામ અને તમામ દેશવાસીઓને 'રાષ્ટ્રીય એકતા દિવસ' ની શુભેચ્છાઓ.

  • आज केवड़िया में ‘Statue of Unity’ पर राष्ट्रीय एकता के प्रतीक सरदार वल्लभभाई पटेल जी की जयंती पर उनके चरणों में नमन कर पुष्पांजलि अर्पित की। #NationalUnityDay pic.twitter.com/716PhBWyuC

    — Amit Shah (@AmitShah) October 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં કોંગ્રેસ પર વરસ્યા શાહ, બોલ્યા- કોરોનામાં ના દેખાયા, ચૂંટણી આવતા જ સામે આવે છે

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી

સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) નું 2018 માં અનાવરણ કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ (Sardar Patel) ની આ પ્રતિમા 182 મીટર ઊંચી છે અને તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. અમિત શાહે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પરેડની સલામી લીધી, જેમાં અર્ધલશ્કરી દળો અને ગુજરાત પોલીસના જવાનોએ ભાગ લીધો હતો.

રાષ્ટ્રીય એકતા દિવસ: અમિત શાહે કહ્યું, દેશભક્તિનું તીર્થસ્થળ છે કેવડિયા
રાષ્ટ્રીય એકતા દિવસ: અમિત શાહે કહ્યું, દેશભક્તિનું તીર્થસ્થળ છે કેવડિયા

75 સાઇકલ સવારો અને 101 મોટરસાઇકલ સવારોએ પણ પરેડમાં ભાગ લીધો

ITBP, SSB, CISF, CRPF અને BSF ના 75 સાઇકલ સવારો અને ત્રિપુરા, તમિલનાડુ, જમ્મુ અને કાશ્મીર અને ગુજરાતના પોલીસ દળોના 101 મોટરસાઇકલ સવારોએ પણ પરેડમાં ભાગ લીધો હતો. સાઇકલ ચાલકોએ લગભગ 9,000 કિલોમીટર અને મોટરસાઇકલ સવારોએ દેશના વિવિધ ભાગોમાંથી 9,200 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ ઉપરાંત ઓલિમ્પિક, એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં 23 મેડલ વિજેતાઓએ પણ પરેડમાં ભાગ લીધો હતો.

2014 માં કેન્દ્ર સરકારે 31 ઓક્ટોબરે 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કર્યું

સરદાર પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ નડિયાદ (ગુજરાત) માં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ ઘરે જ થયું હતું. લંડન જઈને તેમણે બેરિસ્ટરનો અભ્યાસ કર્યો અને પાછા આવીને અમદાવાદમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત થઈને તેઓ ભારતના સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાયા હતા. ભારતની આઝાદી પછી તેઓ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાનનું પદ સંભાળતા હતા. સરદાર પટેલને ભારતના પ્રજાસત્તાકના સ્થાપક પિતા તરીકે ઓળખવામાં આવે છે, જેમણે દેશની આઝાદીની લડતમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી અને એકીકૃત, સ્વતંત્ર રાષ્ટ્રમાં તેના એકીકરણને માર્ગદર્શન આપ્યું હતું. 2014 માં કેન્દ્ર સરકારે સરદાર પટેલની જન્મજયંતિ 31 ઓક્ટોબરે 'રાષ્ટ્રીય એકતા દિવસ' (National Unity Day) તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.