- રાજ્યામાં કોરોના કેસમાં વધારો
- મોરબીમાં વેપારીઓએ પાળ્યું બંધ
- બપોરના 2 વાગ્યા સુધી ચાલુ રહેશે દુકાનો
મોરબી : મોરબી શહેર અને જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે કોરોના સંક્રમણ ફેલાતું રોકવા વેપારીઓએ સ્વૈચ્છિક આંશિક લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં મોરબીના વેપારી એસોશિયેન દ્વારા બપોરે 2 સુધી દુકાનો ખુલ્લી રાખવા નિર્ણય કરાયો છે.
આ પણ વાંચો : મોરબીની સિરામિક ફેક્ટરીના પ્લાન્ટમાં દર્દીને ટ્રીટમેન્ટ અપાતી હોવાનો વીડિયો વાયરલ
વેપારી સંગઠનનું સ્વૈચ્છીક બંધ
મોરબી ખાદ્યતેલ વેપારી એસોશિયન અને મોરબી ધ ગ્રેન એન્ડ સુગર મર્ચન્ટ એસોશિયન તેમજ જથ્થાબંધ અનાજ કરીયાણાનાં વેપારીઓએ કોરોના સંક્રમણ ફેલાતું રોકવા માટે દુકાનો બપોરે 2 સુધી જ ખુલ્લી રાખવા નિર્ણય કર્યો છે. જે મુજબ સોમવારથી બપોરે 2 સુધી દુકાનો ખુલી રહેશે અને બપોર બાદ વેપારીઓ બંધ પાળશે જોકે અનાજ કરીયાણા છૂટક વેપારીઓ હજુ આંશિક બંધમાં જોડાવવાનો નિર્ણય કર્યો નથી. મોરબીમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે, જોકે હજુ સુધી લોકડાઉન અંગે કોઈ નિર્ણય સરકાર દ્વારા લેવાયો નથી ત્યારે વેપારીઓએ સ્વૈચ્છિક આંશિક બંધનો નિર્ણય કર્યો છે. અને મોરબીને સુરક્ષિત રાખવા પોતાની જવાબદારી નિભાવવા તેઓ આગળ આવ્યા છે.