ETV Bharat / state

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પાક નુકશાનીનો સર્વે કરવા ઠરાવ પ્રસાર

સૌરાષ્ટ્રભરમાં વ્યાપક ભારે વરસાદના પગલે પહેલા વરસાદમાં વાવણી કરી દેનારા ખેડૂતો માટે પાક નિષ્ફળ જવાની પૂરી શક્યતાઓ સામે આવી રહી છે, ત્યારે વિષમ હવામાનનો ભોગ બનેલાં પાકનો નુકસાની સર્વે કરાવવો જરુરી બન્યો છે. નુકસાનીની આનાવારી પ્રમાણે ખેડૂતોને પાક સહાયરાશિ ચૂકવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, ત્યારે મોરબી જિલ્લા પંચાયત સભામાં પાક નુકસાની સર્વે કરાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

author img

By

Published : Aug 20, 2020, 2:30 PM IST

મોરબી જિલ્લા પંચાયત સામાન્ય સભામાં પાક નુકશાની સર્વે કરવા ઠરાવ
મોરબી જિલ્લા પંચાયત સામાન્ય સભામાં પાક નુકશાની સર્વે કરવા ઠરાવ

મોરબીઃ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં અનેક મુદ્દાઓ આવરી લેવાયાં હતાં. હાલ ભારે વરસાદને પગલે પાકને થયેલા નુકશાનીનો સર્વે કરાવી વળતર આપવા ઠરાવ પસાર કરાયો હતો. મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, ડીડીઓ પરાગ ભગદેવ અને ડેપ્યુટી ડીડીઓ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં 5 સભ્યો ગેરહાજર રહ્યાં હતાં.

મોરબી જિલ્લા પંચાયત સામાન્ય સભામાં પાક નુકશાની સર્વે કરવા ઠરાવ

સામાન્ય સભામાં 29 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી સામાન્ય સભાની બેઠકના ઠરાવોની અમલવારીને મંજૂરી આપવામાં આવી હતી. આમરણ ચોવીસી વિસ્તારમાં અતિ ભારે વરસાદ તેમ જ આજી 4 યોજનાના દરવાજા ખોલવાથી ખેતરોમાં વાવેતર કરેલ પાકને નુકશાન થયું છે અને પાક ધોવાણ થયું છે. જેથી તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા ચેરમેન અમુભાઈ હુંબલે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને મંજૂરી આપીને પાક નુકશાનીનો સર્વે કરી સહાય ચૂકવવા ઠરાવ કરવામાં આવ્યો હતો.

મોરબીઃ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં અનેક મુદ્દાઓ આવરી લેવાયાં હતાં. હાલ ભારે વરસાદને પગલે પાકને થયેલા નુકશાનીનો સર્વે કરાવી વળતર આપવા ઠરાવ પસાર કરાયો હતો. મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, ડીડીઓ પરાગ ભગદેવ અને ડેપ્યુટી ડીડીઓ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં 5 સભ્યો ગેરહાજર રહ્યાં હતાં.

મોરબી જિલ્લા પંચાયત સામાન્ય સભામાં પાક નુકશાની સર્વે કરવા ઠરાવ

સામાન્ય સભામાં 29 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી સામાન્ય સભાની બેઠકના ઠરાવોની અમલવારીને મંજૂરી આપવામાં આવી હતી. આમરણ ચોવીસી વિસ્તારમાં અતિ ભારે વરસાદ તેમ જ આજી 4 યોજનાના દરવાજા ખોલવાથી ખેતરોમાં વાવેતર કરેલ પાકને નુકશાન થયું છે અને પાક ધોવાણ થયું છે. જેથી તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા ચેરમેન અમુભાઈ હુંબલે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને મંજૂરી આપીને પાક નુકશાનીનો સર્વે કરી સહાય ચૂકવવા ઠરાવ કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.