મોરબી જિલ્લાના પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલાની સુચનાથી SOG ટીમના PI એસ. એન. સાટીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના અનિલભાઈ ભટ્ટ, ફારૂકભાઈ પટેલ અને નરેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમને બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનાર ઇસમ સુરેન્દ્રનગરમાં છે.
જેને પગલે SOG ટીમે સુરેન્દ્રનગરના પાટડીમાં પહોંચી તપાસ કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અપહરણનો આરોપી દેવકરણ દેવજીભાઈ કડીવાર (ઉ.વ.૨૨) ભોગ બનનાર સગીરાને શોધી કાઢવામાં સફળતા મળી છે. આ ઝડપાયેલા આરોપી સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.