ETV Bharat / state

Morbi Crime News: પ્રેમ લગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીની કરી હત્યા, પોતે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2023, 1:41 PM IST

પ્રેમ લગ્નની નિષ્ફળતાની શ્રેણીમાં વધુ એક ઘટના મોરબીમાં ઉમેરાઈ ગઈ છે. પતિએ પત્ની સાથે થયેલ ઝઘડામાં પત્નીની હત્યા કરી દીધી. પોતે પણ આત્મહત્યાનો કર્યો પ્રયાસ. વાંચો પ્રેમ લગ્નના કરુણ અંજામ વિશે વિગતવાર

પ્રેમ લગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીની કરી હત્યા
પ્રેમ લગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીની કરી હત્યા

મોરબીઃ વાંકાનેરમાં એક લગ્નજીવનનો કરુણ અંજામ આવ્યો છે. ઢુવા માટેલ રોડ પર રહેતા શ્રમિક દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે પતિએ આવેશમાં આવીને પત્નીની હત્યા કરી દીધી. ત્યારબાદ પતિએ પણ મોતને વ્હાલું કરવા આત્મહત્યાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહ્યો હતો. બંને જણને 108 મારફતે હોસ્પિટલમાં મોકલાયા હતા. આ ઝઘડામાં પત્નીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે પતિની સારવાર ચાલી રહી છે.

પ્રેમ લગ્નનો કરુણ અંજામઃ ભાવેશ હર્ષદભાઈ મકવાણાએ પ્રેમિકા હંસા બંને સુરેન્દ્રનગરના રહેવાસી હતા. બંને પ્રેમીઓ કુટુંબની વિરુદ્ધ જઈ પ્રેમ લગ્ન કર્યા હતા. ભાવેશ અને હંસા વાંકાનેર ખાતે બ્રાવેટ ગ્રેનિટો ફેક્ટરીમાં મજૂરીનું કામ કરતા હતા. આ દંપતિ ઢુવા માટેલ રોડ સ્થિત લેબર કોલોનીમાં રહેતા હતા. બનાવની રાત્રે પતિ ભાવેશે પત્ની હંસાની હત્યા કરી દીધી. ત્યારબાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ ફરિયાદ નોંધાઈઃ બંને પતિ પત્ની વચ્ચેના ઝઘડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કરી લેતા અન્ય શ્રમિક દ્વારા ફેક્ટરીના માલિકને જાણ કરાઈ હતી. ફેક્ટરીના માલિક દિલીપભાઈ ઉર્ફે દિપકભાઈ ભીમજીભાઈ મેરજા પોતાના ભાગીદાર સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. 108ને તાત્કાલિક બોલાવી બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી અપાયા. જ્યાં ફરજ પરના તબીબે પત્ની હંસાને મૃત ઘોષિત કરી હતી. જ્યારે પતિ ભાવેશની સારવાર ચાલી રહી છે. ફેકટરી માલિક દિલીપભાઈએ સમગ્ર બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  1. મોરબીના સિરામિકમાં કામ કરતા શ્રમિકોની તમામ વિગતો માટે “મોરબી એસ્યોર્ડ” એપ્લીકેશન કાર્યરત
  2. મોરબીના પીપળી રોડ પર થયેલી લૂંટ મામલે ફરિયાદ નોંધાઈ

મોરબીઃ વાંકાનેરમાં એક લગ્નજીવનનો કરુણ અંજામ આવ્યો છે. ઢુવા માટેલ રોડ પર રહેતા શ્રમિક દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે પતિએ આવેશમાં આવીને પત્નીની હત્યા કરી દીધી. ત્યારબાદ પતિએ પણ મોતને વ્હાલું કરવા આત્મહત્યાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહ્યો હતો. બંને જણને 108 મારફતે હોસ્પિટલમાં મોકલાયા હતા. આ ઝઘડામાં પત્નીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે પતિની સારવાર ચાલી રહી છે.

પ્રેમ લગ્નનો કરુણ અંજામઃ ભાવેશ હર્ષદભાઈ મકવાણાએ પ્રેમિકા હંસા બંને સુરેન્દ્રનગરના રહેવાસી હતા. બંને પ્રેમીઓ કુટુંબની વિરુદ્ધ જઈ પ્રેમ લગ્ન કર્યા હતા. ભાવેશ અને હંસા વાંકાનેર ખાતે બ્રાવેટ ગ્રેનિટો ફેક્ટરીમાં મજૂરીનું કામ કરતા હતા. આ દંપતિ ઢુવા માટેલ રોડ સ્થિત લેબર કોલોનીમાં રહેતા હતા. બનાવની રાત્રે પતિ ભાવેશે પત્ની હંસાની હત્યા કરી દીધી. ત્યારબાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ ફરિયાદ નોંધાઈઃ બંને પતિ પત્ની વચ્ચેના ઝઘડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કરી લેતા અન્ય શ્રમિક દ્વારા ફેક્ટરીના માલિકને જાણ કરાઈ હતી. ફેક્ટરીના માલિક દિલીપભાઈ ઉર્ફે દિપકભાઈ ભીમજીભાઈ મેરજા પોતાના ભાગીદાર સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. 108ને તાત્કાલિક બોલાવી બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી અપાયા. જ્યાં ફરજ પરના તબીબે પત્ની હંસાને મૃત ઘોષિત કરી હતી. જ્યારે પતિ ભાવેશની સારવાર ચાલી રહી છે. ફેકટરી માલિક દિલીપભાઈએ સમગ્ર બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  1. મોરબીના સિરામિકમાં કામ કરતા શ્રમિકોની તમામ વિગતો માટે “મોરબી એસ્યોર્ડ” એપ્લીકેશન કાર્યરત
  2. મોરબીના પીપળી રોડ પર થયેલી લૂંટ મામલે ફરિયાદ નોંધાઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.