- મોરબીમાં પૈસાની લેતીદેતી મામલે 2 લોકો સાથે મારામારી
- આરોપી બે લોકોને અપહરણ કરી પંચાસર લઈ ગયો હતો
- પીડિતના પરિવારે આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી
મોરબીઃ મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ કન્યા છાત્રાલય રોડ પર આવેલી ડાઢાની વાડીમાં રહેતા દયારામ કાનજીભાઈ હડિયલે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના બનેવી ગણેશ લાલજીભાઈ કણઝારિયા અને આરોપી ભગીરથસિંહ ગોહિલને રૂપિયાની લેતીદેતી હતી, જેનો ખાર રાખી ગત 28 ઓક્ટોબરે આરોપીએ પોતાની સફેદ કલરની કારમાં દયારામભાઈના દીકરા વિપુલ હડિયલ અને લાલજીભાઈનું અપહરણ કરી પંચાસર ગામની સીમમાં કોઈ વાડીએ લઈ ગયા હતા, જ્યાં પાઈપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.