ETV Bharat / state

વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ થયું છે: ABG શિપયાર્ડ કૌભાંડ મામલે શક્તિસિંહનું નિવેદન

author img

By

Published : Feb 14, 2022, 3:26 PM IST

શક્તિસિંહ ગોહિલે (Shaktisinh gohils statement on ABG) ABG શિપયાર્ડ કૌભાંડ, વાઇબ્રન્ટ સમિટ સહિતના મુદ્દે ગેરરીતિના આક્ષેપો અને આશંકાઓ વ્યક્ત કરી ન્યાયિક તપાસની માંગ કરી છે.

વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ થયું છે: ABG શિપયાર્ડ કૌભાંડ મામલે શક્તિસિંહનું નિવેદન
વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ થયું છે: ABG શિપયાર્ડ કૌભાંડ મામલે શક્તિસિંહનું નિવેદન

મહેસાણા: શંકુઝ વોટરપાર્કમાં કોંગ્રેસ પ્રદેશ નેતાઓ અને ધારાસભ્યો સાથે બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ આગામી ચૂંટણીઓ લઈ રાજ્યમાં તૈયારીઓ આરંભી હોવાના સંકેતો મળી રહ્યા છે. એ બેઠકમાં શક્તિસિંહ ગોહિલે ABG શિપયાર્ડ કૌભાંડ(ABG shipyard scam), વાઇબ્રન્ટ સમિટ સહિતના મુદ્દે ગેરરીતિના આક્ષેપો અને આશંકાઓ વ્યક્ત કરી ન્યાયિક તપાસની માંગ કરી છે.

વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ થયું છે: ABG શિપયાર્ડ કૌભાંડ મામલે શક્તિસિંહનું નિવેદન

ABG શીપયાર્ડ મુદ્દે શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજી

શક્તિસિંહ ગોહિલે (Shaktisinh gohils statement on ABG) નિવેદન અપતા જણાવ્યું હતું કે, ક્યારેય ન બન્યું હોય તેટલું સૌથી મોટું કૌભાંડ થયું છે. વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ થયું છે. ABG શીપયાર્ડ, ABG સિમેન્ટ વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU (ABG MOU Vibrant) કર્યા, MOUના આધારે બેંકમાંથી ધિરાણ મેળવીને કૌભાંડ કરવામાં આવ્યું છે, 2003માં જ આ અંગે કોંગ્રેસે ધ્યાન દોર્યું હતું કે કરોડો રૂપિયા ડૂબશે, ICICI બેંકના કરતા ધરતા પણ વાયબ્રન્ટ ગુજરાતમા આવતા હતા.

આ પણ વાંચો: કોર્પોરેટ ક્ષેત્રમાં સૌથી મોટું કૌભાંડ : 2015થી બંધ ABG shipyard કંપનીના કર્મચારીઓનો 6 વર્ષનો પગાર બાકી

CBIએ કૌભાંડની તપાસ દાખલ કરી

એસ્સાર અને ABGના મલિક મામા - ભાણિયા છે, આખરે CBIએ આ કૌભાંડની તપાસ દાખલ કરી છે, ન્યાયિક તપાસ કરવામાં નહિ આવે તો મોટા માથાઓ સામે નહિ આવે, ભાજપના નેતાઓને વિનંતી કરું છું કે, રાજકીય ફાયદાઓ માટે વાયબ્રન્ટના તાયફો બંધ કરો. ABGને મેરિતાઈમ યુનિવર્સિટી બનાવવા જમીન આપી છે તે પાછી લેવામાં આવે, જમીન આપનારાઓ સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી માંગ કરી છે.

આ પણ વાંચો: Ankleshwar GIDC fire: અંકલેશ્વર GIDCમાં ફાર્મા કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા નાસભાગ

22842 કરોડનુ કોર્પોરેટ કૌભાંડ

ABG શીપયાર્ડ કંપની દ્વારા 22842 કરોડનુ કોર્પોરેટ જગતમાં ભારત દેશનું સૌથી મોટું કૌભાંડ (ABG shipyard scam) બહાર આવ્યું છે. ABG શીપયાર્ડ કંપની ભરૂચના દહેજ ખાતે આવેલા જાગેશ્વર ગામની હદમાં આવેલી છે. આ કંપની દ્વારા દેશની અલગ-અલગ બેન્કોમાંથી લોન લઈને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડમાં CBI દ્વારા ABG શીપયાર્ડના ડાયરેક્ટરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ કૌભાંડની તપાસ CBI ( CBI on ABG shipyard scam) દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

દેશનું સૌથી મોટું કૌભાંડ

આ કૌભાંડની દહેજ ખાતે આવેલા જાગેશ્વર ગામના રેહવાસી લોકોને ખબર પડતાં લોકો કંપની પર આવી પહોંચ્યાં હતા અને ગામના રહીશોએ મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, ABG શીપયાર્ડ કંપની દ્વારા દેશનું સૌથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આજ કંપનીમાં જાગેશ્વરના લેન્ડલુઝરઓને છેલ્લા 6 વર્ષથી પગાર મળતો નથી અને આ કંપની 2006માં કાર્યરત થઈ હતી અને 2015માં બંધ થઈ ગઈ હતી. આમ કંપની તરફથી 6 વર્ષનો પગાર 150 લેન્ડલૂઝર (ABG shipyard land looser) કર્મચારીઓને આપવામાં આવ્યો નથી.

સત્તાધીશો રફુ ચક્કર

આ કર્મચારીઓએ સરકારને વિનંતિ કરતા કહ્યું હતું કે, કૌભાંડ આચરીને કંપનીના સત્તાધીશો રફુ ચક્કર થઈ ગયા છે. અમારો 6 વર્ષનો પગાર મળી જાય એવી કોઈ જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવે. દહેજના જાગેશ્વર ખાતે બંધ પડેલી ABG શીપયાર્ડ કંપનીમાં બેંકો દ્વારા સિક્યુરિટીના ગાર્ડ પણ તૈનાત કરી દેવામાં આવ્યા હતા. ત્યારે જોવુ એ રહ્યુ કે, ABG શીપયાર્ડ કંપનીના લેન્ડલુઝર કર્મચારીઓને 6 વર્ષના બાકી રહેલા પગારના નાણા મળશે કે નહિ..

મહેસાણા: શંકુઝ વોટરપાર્કમાં કોંગ્રેસ પ્રદેશ નેતાઓ અને ધારાસભ્યો સાથે બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ આગામી ચૂંટણીઓ લઈ રાજ્યમાં તૈયારીઓ આરંભી હોવાના સંકેતો મળી રહ્યા છે. એ બેઠકમાં શક્તિસિંહ ગોહિલે ABG શિપયાર્ડ કૌભાંડ(ABG shipyard scam), વાઇબ્રન્ટ સમિટ સહિતના મુદ્દે ગેરરીતિના આક્ષેપો અને આશંકાઓ વ્યક્ત કરી ન્યાયિક તપાસની માંગ કરી છે.

વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ થયું છે: ABG શિપયાર્ડ કૌભાંડ મામલે શક્તિસિંહનું નિવેદન

ABG શીપયાર્ડ મુદ્દે શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજી

શક્તિસિંહ ગોહિલે (Shaktisinh gohils statement on ABG) નિવેદન અપતા જણાવ્યું હતું કે, ક્યારેય ન બન્યું હોય તેટલું સૌથી મોટું કૌભાંડ થયું છે. વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ થયું છે. ABG શીપયાર્ડ, ABG સિમેન્ટ વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU (ABG MOU Vibrant) કર્યા, MOUના આધારે બેંકમાંથી ધિરાણ મેળવીને કૌભાંડ કરવામાં આવ્યું છે, 2003માં જ આ અંગે કોંગ્રેસે ધ્યાન દોર્યું હતું કે કરોડો રૂપિયા ડૂબશે, ICICI બેંકના કરતા ધરતા પણ વાયબ્રન્ટ ગુજરાતમા આવતા હતા.

આ પણ વાંચો: કોર્પોરેટ ક્ષેત્રમાં સૌથી મોટું કૌભાંડ : 2015થી બંધ ABG shipyard કંપનીના કર્મચારીઓનો 6 વર્ષનો પગાર બાકી

CBIએ કૌભાંડની તપાસ દાખલ કરી

એસ્સાર અને ABGના મલિક મામા - ભાણિયા છે, આખરે CBIએ આ કૌભાંડની તપાસ દાખલ કરી છે, ન્યાયિક તપાસ કરવામાં નહિ આવે તો મોટા માથાઓ સામે નહિ આવે, ભાજપના નેતાઓને વિનંતી કરું છું કે, રાજકીય ફાયદાઓ માટે વાયબ્રન્ટના તાયફો બંધ કરો. ABGને મેરિતાઈમ યુનિવર્સિટી બનાવવા જમીન આપી છે તે પાછી લેવામાં આવે, જમીન આપનારાઓ સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી માંગ કરી છે.

આ પણ વાંચો: Ankleshwar GIDC fire: અંકલેશ્વર GIDCમાં ફાર્મા કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા નાસભાગ

22842 કરોડનુ કોર્પોરેટ કૌભાંડ

ABG શીપયાર્ડ કંપની દ્વારા 22842 કરોડનુ કોર્પોરેટ જગતમાં ભારત દેશનું સૌથી મોટું કૌભાંડ (ABG shipyard scam) બહાર આવ્યું છે. ABG શીપયાર્ડ કંપની ભરૂચના દહેજ ખાતે આવેલા જાગેશ્વર ગામની હદમાં આવેલી છે. આ કંપની દ્વારા દેશની અલગ-અલગ બેન્કોમાંથી લોન લઈને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડમાં CBI દ્વારા ABG શીપયાર્ડના ડાયરેક્ટરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ કૌભાંડની તપાસ CBI ( CBI on ABG shipyard scam) દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

દેશનું સૌથી મોટું કૌભાંડ

આ કૌભાંડની દહેજ ખાતે આવેલા જાગેશ્વર ગામના રેહવાસી લોકોને ખબર પડતાં લોકો કંપની પર આવી પહોંચ્યાં હતા અને ગામના રહીશોએ મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, ABG શીપયાર્ડ કંપની દ્વારા દેશનું સૌથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આજ કંપનીમાં જાગેશ્વરના લેન્ડલુઝરઓને છેલ્લા 6 વર્ષથી પગાર મળતો નથી અને આ કંપની 2006માં કાર્યરત થઈ હતી અને 2015માં બંધ થઈ ગઈ હતી. આમ કંપની તરફથી 6 વર્ષનો પગાર 150 લેન્ડલૂઝર (ABG shipyard land looser) કર્મચારીઓને આપવામાં આવ્યો નથી.

સત્તાધીશો રફુ ચક્કર

આ કર્મચારીઓએ સરકારને વિનંતિ કરતા કહ્યું હતું કે, કૌભાંડ આચરીને કંપનીના સત્તાધીશો રફુ ચક્કર થઈ ગયા છે. અમારો 6 વર્ષનો પગાર મળી જાય એવી કોઈ જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવે. દહેજના જાગેશ્વર ખાતે બંધ પડેલી ABG શીપયાર્ડ કંપનીમાં બેંકો દ્વારા સિક્યુરિટીના ગાર્ડ પણ તૈનાત કરી દેવામાં આવ્યા હતા. ત્યારે જોવુ એ રહ્યુ કે, ABG શીપયાર્ડ કંપનીના લેન્ડલુઝર કર્મચારીઓને 6 વર્ષના બાકી રહેલા પગારના નાણા મળશે કે નહિ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.