ETV Bharat / state

મહીસાગરમાં ગંદકીમુક્ત ભારત અભિયાનને અનુલક્ષીને મોટા ધરોળા ગામે સ્વચ્છતા કાર્યક્રમ - Sanitation program held in Mota Dharola village

સમગ્ર દેશમાં 74મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે 'ગંદકીમુક્ત ભારત'ના વડાપ્રધાન મોદીના આહ્વાનને પગલે અલગ અલગ જગ્યાએ સ્વચ્છતા અંગેના લોકજાગૃતિ કાર્યક્રમો ચાલી રહ્યા છે. તેવામાં મહીસાગર જિલ્લાના મોટા ઘરોળા ગામમાં પણ સરપંચની આગેવાનીમાં કચરો એકત્ર કરી ગામમાં સ્વચ્છતા જાળવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મહીસાગરમાં 15 ઑગસ્ટ સુધી ગંદકીમુક્ત ભારતને અનુલક્ષીને મોટા ધરોળા ગામે સ્વચ્છતા અભિયાન
મહીસાગરમાં 15 ઑગસ્ટ સુધી ગંદકીમુક્ત ભારતને અનુલક્ષીને મોટા ધરોળા ગામે સ્વચ્છતા અભિયાન
author img

By

Published : Aug 11, 2020, 9:58 PM IST

મહીસાગર: આગામી 15 ઑગસ્ટે ભારતના 74મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ગંદકીમુક્ત ભારત' અભિયાનનું આહ્વાન કરી લોકોને તેમાં જોડાવવા અપીલ કરી છે.

મહીસાગરમાં 15 ઑગસ્ટ સુધી ગંદકીમુક્ત ભારતને અનુલક્ષીને મોટા ધરોળા ગામે સ્વચ્છતા અભિયાન
મહીસાગરમાં 15 ઑગસ્ટ સુધી ગંદકીમુક્ત ભારતને અનુલક્ષીને મોટા ધરોળા ગામે સ્વચ્છતા અભિયાન

ત્યારે મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શનમાં અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. જાદવના સુચારૂ આયોજનમાં મોટા ધરોળા ગામમાં 'ગંદકીમુક્ત ભારત' અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જે અંતર્ગત ગ્રામજનોએ ગામમાંથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરી તેમાંથી એક વખત વાપરી શકાય તેવા પ્લાસ્ટિકને અલગ કરી ગ્રામજનોએ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો મંત્ર સાર્થક કર્યો હતો. આ કામગીરીની જિલ્લા વિકાસ અધિકારીએ નોંધ લઇને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા.

મહીસાગર: આગામી 15 ઑગસ્ટે ભારતના 74મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ગંદકીમુક્ત ભારત' અભિયાનનું આહ્વાન કરી લોકોને તેમાં જોડાવવા અપીલ કરી છે.

મહીસાગરમાં 15 ઑગસ્ટ સુધી ગંદકીમુક્ત ભારતને અનુલક્ષીને મોટા ધરોળા ગામે સ્વચ્છતા અભિયાન
મહીસાગરમાં 15 ઑગસ્ટ સુધી ગંદકીમુક્ત ભારતને અનુલક્ષીને મોટા ધરોળા ગામે સ્વચ્છતા અભિયાન

ત્યારે મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શનમાં અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. જાદવના સુચારૂ આયોજનમાં મોટા ધરોળા ગામમાં 'ગંદકીમુક્ત ભારત' અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જે અંતર્ગત ગ્રામજનોએ ગામમાંથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરી તેમાંથી એક વખત વાપરી શકાય તેવા પ્લાસ્ટિકને અલગ કરી ગ્રામજનોએ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો મંત્ર સાર્થક કર્યો હતો. આ કામગીરીની જિલ્લા વિકાસ અધિકારીએ નોંધ લઇને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.