ETV Bharat / state

સરકારની ખેડૂત અકસ્માત વીમા સહાય યોજના દીપ્તિબેન માટે બની આર્શિવાદરૂપ, 6 લાખની મળી સહાય - government schemes for farmers in india

મહીસાગર: સરકાર દ્વારા વિવિધ ખેડૂતલક્ષી સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેમાંની એક યોજના છે ખેડૂત અકસ્માત વીમા યોજના. આ યોજના અંતર્ગત ખેડૂતનું અકસ્માતમાં મૃત્યુ થાય તો સરકાર દ્વારા તેના પરિવારજનને બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. મહીસાગર જિલ્લાના દીપ્તિબેન પટેલે અકસ્માતમાં પોતાના પરિવારજનો ગુમાવતા આ યોજનાને લીધે તેમને જીવન જીવવાનો સહારો મળ્યો છે.

ખેડૂત અકસ્માત વીમા સહાય યોજના અંતર્ગત દીપ્તિબેનને મળી છ લાખ રૂપિયાની સહાય
author img

By

Published : Nov 22, 2019, 11:20 AM IST

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરણીયા ગામમાં રહેતા 33 વર્ષના દીપ્તિબેન પટેલના પતિ ખેડૂત હતા. તેઓ તેમના માતા-પિતાને સારવાર અર્થે નડિયાદ લઈ ગયા હતા જ્યાંથી પરત ફરતા તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં તેમનું મોત થયું હતું.

આ અણધારી આફતથી દીપ્તિબેન અને તેમના બે સંતાન પર નાની ઉંમરે આભ તૂટી પડ્યું હતું. તેઓ નિરાધાર થઇ ગયા હતા. તેવામાં તેમને ખબર પડી કે સરકાર દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિ જો ખેડૂત ખાતેદાર હોય તો અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતના પરિવારને ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત બે લાખ રૂપિયાની સહાય અને જો અકસ્માત દરમ્યાન કાયમી અપંગતા આવે તો એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે.

સરકારની ખેડૂત અકસ્માત વીમા સહાય યોજના દીપ્તિબેન માટે બની આર્શિવાદરૂપ, 6 લાખની મળી સહાય

આ સરકારી યોજનાનો લાભ દીપ્તિબેનને મળે તે માટે તેમના પરિવાર દ્વારા મહીસાગર જિલ્લાના વહીવટી તંત્રનો સંપર્ક કરવામાં આવ્યો અને તે માટે જરૂરી પુરાવા રજૂ કરવામાં આવ્યા. આ પુરાવાના આધારે દીપ્તિ બેન પટેલને તેમના પતિ હિતેશભાઈ પટેલ, સસરા લક્ષ્મીદાસ પટેલ તેમજ સાસુ દિવાળીબેન પટેલ આ ત્રણે વ્યક્તિના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થવાના કારણે એક વ્યક્તિના બે લાખ રૂપિયા સહાય મુજબ ત્રણ વ્યક્તિની છ લાખ રૂપિયા સહાય મળી. આ સહાય મળતાં આજે દીપ્તિબેનને પોતાના સંતાનો સાથે જિંદગી સારી રીતે જીવી રહ્યાં છે અને સરકારનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરણીયા ગામમાં રહેતા 33 વર્ષના દીપ્તિબેન પટેલના પતિ ખેડૂત હતા. તેઓ તેમના માતા-પિતાને સારવાર અર્થે નડિયાદ લઈ ગયા હતા જ્યાંથી પરત ફરતા તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં તેમનું મોત થયું હતું.

આ અણધારી આફતથી દીપ્તિબેન અને તેમના બે સંતાન પર નાની ઉંમરે આભ તૂટી પડ્યું હતું. તેઓ નિરાધાર થઇ ગયા હતા. તેવામાં તેમને ખબર પડી કે સરકાર દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિ જો ખેડૂત ખાતેદાર હોય તો અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતના પરિવારને ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત બે લાખ રૂપિયાની સહાય અને જો અકસ્માત દરમ્યાન કાયમી અપંગતા આવે તો એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે.

સરકારની ખેડૂત અકસ્માત વીમા સહાય યોજના દીપ્તિબેન માટે બની આર્શિવાદરૂપ, 6 લાખની મળી સહાય

આ સરકારી યોજનાનો લાભ દીપ્તિબેનને મળે તે માટે તેમના પરિવાર દ્વારા મહીસાગર જિલ્લાના વહીવટી તંત્રનો સંપર્ક કરવામાં આવ્યો અને તે માટે જરૂરી પુરાવા રજૂ કરવામાં આવ્યા. આ પુરાવાના આધારે દીપ્તિ બેન પટેલને તેમના પતિ હિતેશભાઈ પટેલ, સસરા લક્ષ્મીદાસ પટેલ તેમજ સાસુ દિવાળીબેન પટેલ આ ત્રણે વ્યક્તિના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થવાના કારણે એક વ્યક્તિના બે લાખ રૂપિયા સહાય મુજબ ત્રણ વ્યક્તિની છ લાખ રૂપિયા સહાય મળી. આ સહાય મળતાં આજે દીપ્તિબેનને પોતાના સંતાનો સાથે જિંદગી સારી રીતે જીવી રહ્યાં છે અને સરકારનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે.

Intro:મહીસાગર-
સરકાર દ્વારા ખેડૂત લક્ષી તેમજ ખેડૂતોના પરિવારના ઉત્થાન માટે વિવિધ સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે
અને જેમની એક યોજના છે ખેડૂત અકસ્માત વીમા યોજના અને આ યોજના અંતર્ગત ખેડૂતનું અકસ્માતમાં મોત થાય તો
સરકાર દ્વારા તેના પરિવારજન ને બે લાખ રૂપિયાની સહાય આપવમાં આવે છે અને આટલી મોટી સહાય મેળવાથી ખેડૂત
પરિવારને જીવન ગુજારવામાં રાહત મળે છે. તો આજે જમીની હકીકતમાં મળીયે ખેડૂત વીમા અકસ્માત વીમા યોજનાના
લાભર્થીને.


Body: આ છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરણીયા ગામમાં રહેતા 33 વર્ષના દીપ્તિ બેન પટેલ જેમના પતિ
હિતેશ ભાઈ પટેલ શિક્ષક હતા અને સાથે સાથે ખેડૂત પણ હતા. દીપ્તિ બેનના પતિ હિતેશ ભાઈ લક્ષ્મીદાસ પટેલ જેઓ
પોતાના માતા દિવાળી બેન અને પિતા લક્ષ્મીદાસને સારવાર અર્થે નડિયાદ લઈ ગયા હતા અને નડિયાદથી પોતાના ઘરે
વિરણીયા પરત આવી રહ્યા હતા ત્યારે ઠાસરા પાસે તેમની કાર ને માર્ગ અકસ્માત નડ્યો હતો જેમાં દીપ્તિ બેન ના પતિ
હિતેશ ભાઈ પટેલ અને તેમનાં પિતા લક્ષ્મીદાસ પટેલ તેમજ માતા દિવાળી બેન પટેલનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું
જેના કારણે દીપ્તિ બેન અને તેમના બે સંતાન પર નાની ઉંમરે આભ તૂટી પડ્યું અને સમગ્ર પરિવાર પર પણ મોટી આફત
આવી પડી. આટલું મોટું દુઃખ આવી પડતા પરિવાર ચિંતામાં હતો તેવામાં તેમને ખબર પડી કે અકસ્માતમાં મૃત્યુ પામેલ
વ્યક્તિ જો ખેડૂત ખાતેદાર હોય તો અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતના પરિવારને સરકાર ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા
યોજના અંતર્ગત બે લાખ રૂપિયાની સહાય અને જો અકસ્માત દરમ્યાન કાયમી અપંગતા આવે તો એક લાખ રૂપિયાની સહાય
સરકાર દ્વારા આપવામાં આવે છે.
Conclusion: આ સરકારી યોજનાનો લાભ દીપ્તિ બેન પટેલ ને મળે તે માટે તેમના પરિવાર દ્વારા મહીસાગર જિલ્લા વહીવટી
તંત્રનો સંપર્ક કરવામાં આવ્યો અને તે માટે જરૂરી પુરાવા રજૂ કરવામાં આવ્યા અને તે આધાર પુરાવા થકી દીપ્તિ બેન
પટેલને તેમના પતિ હિતેશ ભાઈ પટેલ, સસરા લક્ષ્મીદાસ પટેલ તેમજ સાસુ દિવાળી બેન પટેલ આ ત્રણે વ્યક્તિના માર્ગ
અકસ્માતમાં મૃત્યુ થવાના કારણે એક વ્યક્તિના બે લાખ રૂપિયા સહાય મુજબ ત્રણ વ્યક્તિની છ લાખ રૂપિયા સહાય સરકારની
ખેડૂત અકસ્માત વીમા સહાય યોજના અંતર્ગત મળી. આ સહાય મળતા આજે દીપ્તિ બેન પટેલને પોતાના પતિનો સહારો તો
હવે નથી રહ્યો પણ સરકારનો સહારો મળતા પોતાના પરિવાર સાથે પોતાની જિંદગી સારી રીતે જીવી રહ્યાં છે અને સરકારનો
આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે.

બાઈટ :-૧ દીપ્તિ બેન પટેલ (લાભાર્થી)

બાઈટ :-૨ બાબુભાઇ પટેલ ( લાભર્થી દીપ્તિ બેનના કાકા)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.