ETV Bharat / state

મહીસાગરમાં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા, 14 ડિસ્ચાર્જ

author img

By

Published : Aug 6, 2020, 8:17 PM IST

મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલ લેવામાં આવી રહ્યા છે. ગુરુવારે જિલ્લામાં વધુ 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ સંખ્યા 471 પર પહોંચી છે.

મહીસાગરમાં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા
મહીસાગરમાં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા

લુણાવાડા: ગુરુવારે નોંધાયેલા 11 કોરોના પોઝિટિવ કેસમાં જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં 3 કેસ અને તાલુકામાં 1 કેસ, સંતરામપુરમાં 2, બાલાસિનોરમાં 4 અને વિરપુરમાં 1 કેસ નોંધાયા છે. હાલ જિલ્લામાં (કોવિડ-19) ના 99 દર્દીઓ સારવાર હેઠળ છે. ગુરુવારે 14 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આમ અત્યાર સુધીમાં 343 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના કારણે કુલ 29 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 17 દર્દીઓ કે.એસ.પી. હોસ્પિટલ-બાલાસિનોર, 32 દર્દીઓ હોમ આઈસોલેશન તેમજ અન્ય 50 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 93 દર્દીઓ સ્ટેબલ અને 6 દર્દીઓ ઓક્સિજન પર છે.

લુણાવાડા: ગુરુવારે નોંધાયેલા 11 કોરોના પોઝિટિવ કેસમાં જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં 3 કેસ અને તાલુકામાં 1 કેસ, સંતરામપુરમાં 2, બાલાસિનોરમાં 4 અને વિરપુરમાં 1 કેસ નોંધાયા છે. હાલ જિલ્લામાં (કોવિડ-19) ના 99 દર્દીઓ સારવાર હેઠળ છે. ગુરુવારે 14 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આમ અત્યાર સુધીમાં 343 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના કારણે કુલ 29 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 17 દર્દીઓ કે.એસ.પી. હોસ્પિટલ-બાલાસિનોર, 32 દર્દીઓ હોમ આઈસોલેશન તેમજ અન્ય 50 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 93 દર્દીઓ સ્ટેબલ અને 6 દર્દીઓ ઓક્સિજન પર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.