ETV Bharat / state

મહીસાગરમાં પાણીની સમસ્યાને લઈ યોજાઇ બેઠક - gujaratinews

મહીસાગર: જિલ્લા કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર આર.બી. બારડના અધ્યક્ષ સ્થાને પીવાના પાણી અંગે પાણી પુરવઠો તથા અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લામાં ટીમો બનાવી પાણીની ચકાસણી કરી તાત્કાલિક આયોજન કરી પાણી અંગેના પ્રશ્નનો ઝડપી ઉકેલ લાવવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

મહીસાગર જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાને લઈ બેઠક મળી
author img

By

Published : May 22, 2019, 2:02 AM IST

બેઠકમાં અધયક્ષ સ્થાને કલેક્ટર આર.બી. બારડે જણાવ્યું હતું કે, ગત વર્ષે જિલ્લામાં થયેલ ઓછા વરસાદને કારણે ગામોમાં પીવાના પાણીની તંગી રહેવાની સંભાવનાઓ છે. ઉનાળામાં પીવાના પાણીની મુશકેલીઓ ન સર્જાય તે માટે વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાઓ તેમજ જુથ પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત છે. ગામની અંદરની વિતરણ વ્યવસ્થા ગ્રામ પંચાયતો દ્વારા કરવાની રહેશે. પાણી પુરવઠા વિભાગ દ્વારા જે યોજના સુચારૂ રીતે સંચાલન થાય તે માટે સરપંચએ જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. જેમાં બેદરકારી દાખવવામાં આવશે તે પંચાયત ધારાની કલમો મુજબ જે તે ગ્રામ પંચાયત ઉપર પીવાના પાણીની જરૂરીયાત પુરી ન પાડવા માટે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગામોએ વ્યક્તિગત પાણી પુરવઠા યોજના જુથ પાણી પુરવઠા યોજનાના પાણીનો બગાડ ન થાય તથા ગ્રામજનો દ્વારા ખેતી જેવી કામગીરી માટે ઉપયોગમાં ન લેવાય તે માટે સઘન કાર્યવાહી પંચાયતને કરવાની રહેશે. સરકાર દ્વારા કરવામાં આવેલ હેન્ડપંપો પર મોટર બેસાડવાની પણ ફરિયાદો મળે છે. જે હેન્ડપંપો ઉપર મોટર બેસાડવામાં આવી હોય તે તાત્કાલિક દૂર કરી હેન્ડપંપનો સ્થાનિક રહીશોને પુરતો લાભ મળે તે માટે સરપંચ ગ્રામ પંચાયત કાર્યવાહી કરવાની રહેશે. જિલ્લાના ગામોમાં બંધ પડેલા હેન્ડપંપોને રીપેર કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં, કાર્ય પાલક ઇજનેર (પાણી પુરવઠા) અધિકારી, મામલતદારો તેમજ અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

બેઠકમાં અધયક્ષ સ્થાને કલેક્ટર આર.બી. બારડે જણાવ્યું હતું કે, ગત વર્ષે જિલ્લામાં થયેલ ઓછા વરસાદને કારણે ગામોમાં પીવાના પાણીની તંગી રહેવાની સંભાવનાઓ છે. ઉનાળામાં પીવાના પાણીની મુશકેલીઓ ન સર્જાય તે માટે વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાઓ તેમજ જુથ પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત છે. ગામની અંદરની વિતરણ વ્યવસ્થા ગ્રામ પંચાયતો દ્વારા કરવાની રહેશે. પાણી પુરવઠા વિભાગ દ્વારા જે યોજના સુચારૂ રીતે સંચાલન થાય તે માટે સરપંચએ જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. જેમાં બેદરકારી દાખવવામાં આવશે તે પંચાયત ધારાની કલમો મુજબ જે તે ગ્રામ પંચાયત ઉપર પીવાના પાણીની જરૂરીયાત પુરી ન પાડવા માટે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગામોએ વ્યક્તિગત પાણી પુરવઠા યોજના જુથ પાણી પુરવઠા યોજનાના પાણીનો બગાડ ન થાય તથા ગ્રામજનો દ્વારા ખેતી જેવી કામગીરી માટે ઉપયોગમાં ન લેવાય તે માટે સઘન કાર્યવાહી પંચાયતને કરવાની રહેશે. સરકાર દ્વારા કરવામાં આવેલ હેન્ડપંપો પર મોટર બેસાડવાની પણ ફરિયાદો મળે છે. જે હેન્ડપંપો ઉપર મોટર બેસાડવામાં આવી હોય તે તાત્કાલિક દૂર કરી હેન્ડપંપનો સ્થાનિક રહીશોને પુરતો લાભ મળે તે માટે સરપંચ ગ્રામ પંચાયત કાર્યવાહી કરવાની રહેશે. જિલ્લાના ગામોમાં બંધ પડેલા હેન્ડપંપોને રીપેર કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં, કાર્ય પાલક ઇજનેર (પાણી પુરવઠા) અધિકારી, મામલતદારો તેમજ અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

R_GJ_MSR_01_21-MAY-19_BETHAK FOR WATER_SCRIPT_ PHOTO_RAKESH

મહીસાગર જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી 
લુણાવાડા,
   મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર આર.બી. બારડના અધ્યક્ષ સ્થાને પીવાના પાણી અંગે પાણી પુરવઠો તથા અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લામાં જ્યાં જરૂર જણાય ત્યાં ટીમો બનાવી પાણીની ચકાસણી કરી તાતકાલીક આયોજન કરી પાણી અંગેના ત્વરીત ઝડપી ઉકેલ લાવવા બેઠકમાં ચર્ચા કરાઇ  હતી.
    આ બેઠકમાં અધયક્ષ સ્થાને કલેક્ટર આર.બી. બારડે જણાવ્યું હતું કે. ગત વર્ષે જિલ્લામાં થયેલ ઓછા વરસાદને કારણે ગામોમાં પીવાના પાણીની તંગી  રહેવાની સંભાવનાઓ રહેલ છે.  આગામી ઉનાળામાં પીવાના પાણીની મુશકેલીઓ ન સર્જાય તે માટે જ્યાં વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાઓ તેમજ જુથ પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત છે. તેમજ ગામો એ ગામની અંદરની વિતરણ વ્યવસ્થા ગ્રામ પંચાયતો દ્વારા કરવાની રહેશે. પાણી પુરવઠા વિભાગના દ્વારા જે યોજના સુચારૂ રીતે સંચાલન થાય તે માટે સરપંચએ જરૂરી કાર્યવાહી  કરવાની થાય છે તેમ જણાવી જેમાં બેદરકારી દાખવવામાં આવશે તે  પંચાયત ધારાની કલમો મુજબ જે તે ગ્રામ પંચાયત ઉપર પીવાના પાણી જેવી જીવન જરૂરીયાત પુરી ન પાડવા માટેની નિષ્કાળજી બદલ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. 
          વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગામોએ વ્યક્તિગત પાણી પુરવઠા  યોજના જુથ પાણી પુરવઠા યોજનાના પાણીનો બગાડ ન થાય તથા ગ્રામજનો દ્વારા ખેતી જેવી કામગીરી  માટે ઉપયોગમાં ન લેવાય તે માટે સઘન કાર્યવાહી પંચાયતને કરવાની રહેશે. તેમજ સરકાર દ્વારા કરવામાં આવેલ હેન્ડપંપો ઉપર મોટર બેસાડવાની પણ  ફરીયાદો મળે છે. જે હેન્ડપંપો ઉપર મોટર બેસાડવામાં આવેલ હોય તે તાત્કાલિક દૂર કરી હેન્ડપંપનો સ્થાનિક રહીશોને પુરતો લાભ મળે તે જે તે સરપંચ ગ્રામ પંચાયત કાર્યવાહી કરવાની રહેશે આવા હેન્ડપંપો ઉપર  બેસાડેલ મોટર તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવશે.ઉપરાંત જિલ્લાના ગામોમાં બંધ પડેલ હેન્ડપંપો તાકીદે રીપેર કરવા જણાવ્યું હતું 
  આ બેઠકમાં, કાર્ય પાલક ઇજનેર (પાણી પુરવઠા) અધિકારી, મામલતદારો તેમજ અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.