મહીસાગરમાં ખેડૂતોએ હજારો હેક્ટરમાં ડાંગરની વાવણી કરી છે. આગામી દિવસોમાં વરસાદ સારો આવશે તેવી આશાથી ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી દીધી છે. પરંતુ છેલ્લા પંદર દિવસથી વરસાદ ન આવતા ડાંગરની ખેતી પાણીના અભાવે સુકાઈ રહી છે. આકાશમાંથી સૂર્યની ગરમી અને અસહ્ય ઉકળાટથી પાક નષ્ટ બનવાને આરે છે. જેને લઈને ખેડૂતો ચિંતામાં ડૂબ્યા છે. ગત સમયે ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોએ ઉત્સાહથી ડાંગર, મકાઈ, કપાસ તેમજ દિવેલાની રોપણી કરી હતી. ત્યારે હવે વરસાદ લંબાતા ખેડૂતોને મોટું નુકસાન થતું જોવાઈ રહ્યું છે.
મહીસાગરમાં વરસાદના અભાવે ચોમાસુ ખેતી નિષ્ફળ જવાને આરે
મહીસાગર: જિલ્લામાં વરસાદ નહિવત થવાના કારણે જિલ્લાના વિરપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે થોડા સમય પહેલા વાવણીલાયક વરસાદ થતાં મહીસાગરમાં બાલાસિનોર, લુણાવાડા, વિરપુર, કડાણા અને સંતરામપુરના અનેક વિસ્તારમાં ખેડૂતોએ કપાસ, ડાંગર, મકાઈ અને ચોમાસુ બાજરીની વાવણીનો શુભારંભ કર્યો હતો. ત્યારે ચાલુ વર્ષે પણ જિલ્લાના ખેડૂતો વરસાદના આગમનની આતુરતાથી રાહ જોતા હતા. ત્યારે વરસાદ સારો થતા ખેડૂતોએ વાવણી કરી હતી.
મહીસાગરના 6 તાલુકા મળીને કુલ 265 જેટલા ચેકડેમો છે, પરંતુ વરસાદ ન પડતા તે સૂકી હાલતમાં પડ્યા છે. જ્યારે કુવાઓના સ્તર નીચા ગયા છે. જેથી ખેડૂતોને ચોમાસુ પાકની ખેતીની ઉપજ મેળવવી મુશ્કેલ બની છે. તો બીજીબાજુ ખેતી માટે વીજળી ન મળતી હોવાની ખેડૂતોની ફરિયાદ યથાવત છે. આમ જિલ્લામાં પાણીના અભાવે ખેડૂતો ડાંગર તેમજ અન્ય પાકોની નુકશાની વેઠી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાક વિમામાં પણ જે લાભ મળવો જોઈએ એ પણ મળતો નથી.
મહીસાગરમાં ખેડૂતોએ હજારો હેક્ટરમાં ડાંગરની વાવણી કરી છે. આગામી દિવસોમાં વરસાદ સારો આવશે તેવી આશાથી ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી દીધી છે. પરંતુ છેલ્લા પંદર દિવસથી વરસાદ ન આવતા ડાંગરની ખેતી પાણીના અભાવે સુકાઈ રહી છે. આકાશમાંથી સૂર્યની ગરમી અને અસહ્ય ઉકળાટથી પાક નષ્ટ બનવાને આરે છે. જેને લઈને ખેડૂતો ચિંતામાં ડૂબ્યા છે. ગત સમયે ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોએ ઉત્સાહથી ડાંગર, મકાઈ, કપાસ તેમજ દિવેલાની રોપણી કરી હતી. ત્યારે હવે વરસાદ લંબાતા ખેડૂતોને મોટું નુકસાન થતું જોવાઈ રહ્યું છે.
મહીસાગરના 6 તાલુકા મળીને કુલ 265 જેટલા ચેકડેમો છે, પરંતુ વરસાદ ન પડતા તે સૂકી હાલતમાં પડ્યા છે. જ્યારે કુવાઓના સ્તર નીચા ગયા છે. જેથી ખેડૂતોને ચોમાસુ પાકની ખેતીની ઉપજ મેળવવી મુશ્કેલ બની છે. તો બીજીબાજુ ખેતી માટે વીજળી ન મળતી હોવાની ખેડૂતોની ફરિયાદ યથાવત છે. આમ જિલ્લામાં પાણીના અભાવે ખેડૂતો ડાંગર તેમજ અન્ય પાકોની નુકશાની વેઠી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાક વિમામાં પણ જે લાભ મળવો જોઈએ એ પણ મળતો નથી.
Body: મહિસાગર જિલ્લામાં ખેડૂતોએ હજારો હેક્ટરમાં ડાંગરની ખેતી વાવી છે. આવનાર દિવસોમાં વરસાદ સારો આવશે તેવી આશાએ
ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી દીધી છે પરંતુ છેલ્લા પંદર દિવસથી વરસાદ ન આવતા ડાંગરની ખેતી પાણીના અભાવે સુકાઈ રહી છે. આકાશમાંથી સૂર્યની ગરમી અને અસહ્ય ઉકળાટ થી પાક નષ્ટ બનવાને આરે છે જેથી ખેડૂતો ચિંતામાં ડૂબ્યા છે.
ગત સમયમાં ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોએ ઉત્સાહથી ડાંગર, મકાઈ, હુંડિયું, કપાસ, દિવેલા ની રોપણી કરી હતી. ત્યારે હવે વરસાદ લંબાતા ખેડૂતોને મોટું નુકસાન થતું જોવાઈ રહ્યું છે. મહિસાગર જિલ્લાના 6 તાલુકામાં મળી કુલ 265 જેટલા
ચેકડેમો છે પરંતુ વરસાદ ન પડતા સૂકી હાલતમાં પડ્યા છે
અને કુવાઓના સ્તર નીચા ગયા છે જેથી ખેડૂતોને ચોમાસુ
પાકની ખેતીની ઉપજ મેળવવી મુશ્કેલ બની છે.
Conclusion:તો બીજીબાજુ ખેતી માટે વીજળી ન મળતી હોવાની ખેડૂતોની ફરિયાદ યથાવત છે. આમ જિલ્લામાં પાણીના અભાવે ખેડૂતો
ડાંગર તેમજ અન્ય પાકોની નુકશાની વેઠી રહયા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાક વિમામાં પણ જે લાભ મળવો જોઈએ એ પણ અમને મળતો નથી. જો બે ચાર દિવસમાં વરસાદ ન પડેતો ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવશે.
બાઈટ:- અનુપસિંહ પી.રાઠોડ (ખેડૂત) ગામ.સુતારીયા જી.મહીસાગર