- હાર્દિક પટેલ વિરૂદ્ધ નોંધાઈ હતી જાહેરનામાના ભંગની ફરિયાદ
- વિધાનસભા ચૂંટણી દરમિયાન સભામાં જાહેરનામાના ભંગની નોંધાઈ હતી ફરિયાદ
- હાર્દિક પટેલ સંતરામપુર કોર્ટમાં બુધવારે હાજર રહ્યા
મહીસાગરઃ 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન જાહેરનામાના ભંગની ફરિયાદ અનુસંધાને સંતરામપુર કોર્ટમાં હાર્દિક પટેલ હાજર થયા હતા. જે બાદ હાર્દિક પટેલ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરી કહ્યું હતું કે, તેમણે અહીં સભા કરેલી અને આના અનુસંધાને સરકારે અમારી ઉપર જાહેરનામાના ભંગની ફરિયાદ કરી હતી એના અનુસંધાને આજે કોર્ટની અંદર હાજર રહ્યા, કાયદો અને ન્યાયતંત્ર મારા માટે સર્વોપરી છે અને એનું અમે માન સન્માન કરીએ છીએ. પરંતુ સરકારે હંમેશા અમારી સાથે દ્વેષ અને વિરોધાભાસની ભાવના સાથે પરેશાન કરવાનું કામ કર્યું છે.
સરકારની તમામ ખોટી અને ગેરનિતીઓ સામે લડાઇ ચાલુ રાખીશુઃ હાર્દિક પટેલ
વધુમાં જણાવ્યું કે, ન્યાયતંત્ર પર ભરોસો રાખીને અમે તમામ પ્રકિયા પૂર્ણ કરવાના પ્રયાસ કરીશું. અમને ભરોસો છે કે જ્યાં ખોટું નથી થયું ત્યાં ન્યાય મળશે આવનારા દિવસમાં સરકારની તમામ તાનાશાહી સામે સરકારની તમામ ખોટી અને ગેરનિતીઓ સામે અમે અમારી લડાઇ ચાલુ રાખીશું. આવનારી જે તારીખ છે 19/1/2021 ત્યારે પણ હું સંતરામપુર હાજર રહીશ અને અહીંના સ્થાનિક લોકોને પણ મળીશ. અહીંની પરિસ્થિતિથી વાકેફ થઇ જે તે ગામડા અને શહેરોમાં જે પરેશાની હશે તે સમજવાનો પ્રયાસ કરીશ.