ETV Bharat / state

મહીસાગરમાં 8 દર્દીઓએ કોરોનાને આપી માત

કોરોના વાઇરસ સામેની લડાઈમાં જાગૃતિ અને સાવધાની બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયું છે. ત્યારે મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેક પગલાંઓ ભરવામાં આવી રહ્યાં છે.

author img

By

Published : May 31, 2020, 8:22 PM IST

ETV BHARAT
રવિવારે મહીસાગરમાં 8 કોરોના દર્દીને ડિસ્ચાર્જ કરાયા

મહીસાગરઃ જિલ્લામાં 31 મે સુધીમાં કોરોનાના 121 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી રવિવરે 08 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી આ તમામ 8 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રવિવારે મહીસાગરમાં 8 કોરોના દર્દીને ડિસ્ચાર્જ કરાયા

ડિસ્ચાર્જમાં કડાણા તાલુકાના સરસવા ગામના 35 અને 28 વર્ષીય પુરૂષ તથા 19 અને 32 વર્ષીય સ્ત્રીઓ અને અમથાણી ગામના 33 અને 36 વર્ષીય પુરુષ તેમજ 46 અને 39 વર્ષીય સ્ત્રીઓ સામેલ છે.

મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 77 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ ઉપરાંત જિલ્લામાં 02 વ્યક્તિઓએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ જિલ્લામાં 3,829 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

જિલ્લામાં કોરોના પોઝિટિવ 32 દર્દીઓ કે.એસ.પી. હોસ્પિટલ ખાતે તેમજ 07 દર્દી ગોત્રી મેડિકલ કૉલેજ ખાતે અને 1 દર્દી વડોદરાની ટ્રીકલર હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા છે.

મહીસાગરઃ જિલ્લામાં 31 મે સુધીમાં કોરોનાના 121 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી રવિવરે 08 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી આ તમામ 8 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રવિવારે મહીસાગરમાં 8 કોરોના દર્દીને ડિસ્ચાર્જ કરાયા

ડિસ્ચાર્જમાં કડાણા તાલુકાના સરસવા ગામના 35 અને 28 વર્ષીય પુરૂષ તથા 19 અને 32 વર્ષીય સ્ત્રીઓ અને અમથાણી ગામના 33 અને 36 વર્ષીય પુરુષ તેમજ 46 અને 39 વર્ષીય સ્ત્રીઓ સામેલ છે.

મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 77 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ ઉપરાંત જિલ્લામાં 02 વ્યક્તિઓએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ જિલ્લામાં 3,829 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

જિલ્લામાં કોરોના પોઝિટિવ 32 દર્દીઓ કે.એસ.પી. હોસ્પિટલ ખાતે તેમજ 07 દર્દી ગોત્રી મેડિકલ કૉલેજ ખાતે અને 1 દર્દી વડોદરાની ટ્રીકલર હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.