ETV Bharat / state

મુનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો, 77 યૂનિટ બ્લડ કલેક્શન થયું

author img

By

Published : Jun 20, 2020, 5:09 PM IST

કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી વચ્ચે જિલ્લાના કોઈ પણ બીમારીના દર્દી તેમજ થેલેસેમિયાના દર્દીને લોહીના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે કડાણા તાલુકામાં આવેલા મુનપુર આરોગ્ય કેન્દ્ર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલના સહયોગથી મુનપુરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો, 77 યુનિટ બ્લડ કલેક્શન થયું
મુનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો, 77 યુનિટ બ્લડ કલેક્શન થયું

મહીસાગર: જિલ્લાના કડાણા તાલુકામાં આવેલા મુનપુર આરોગ્ય કેન્દ્ર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલના સહયોગથી મુનપુરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીની રાહબરીમાં મુનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ગોધરા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુનપુરની ટીમ દ્વારા યોજવામાં આવેલા આ રક્તદાન કેમ્પમાં 77 જેટલા રકતદાતાઓએ પોતાના રક્તનું દાન કરીને કોરોના સામેની લડતમાં કોરોના વોરિયર બની અનેરું યોગદાન આપી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું.

આ રક્તદાન માટે કેમ્પમાં રક્તદાતાઓ આવ્યા ત્યારે તેમને થર્મલ ગનથી આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. સાથે તેમના હાથ સાફ કરવા માટે હેન્ડવોશ તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે સિનિયર મેડિકલ ઓફિસર બિરેન્દ્રસીંગે રક્તદાન કેમ્પમાં કોરોનાને ધ્યાને લઇ સાવચેતીના તમામ પગલાઓ સુનિશ્ચિત કરવાની સાથે રક્તદાતાઓની બેડશીટ બદલવાની અને તમામ સામગ્રી જંતુ રહિત રહે તેનું સુચારું આયોજન કર્યું હતું.

રક્તદાન એ શ્રેષ્ઠ અમૂલ્ય દાન છે. જે કોરોનાના દર્દી અને થેલેસેમિયાનાં દર્દીઓને પણ જરૂર પડે તો આ સંગ્રહ કરેલા રક્તનો પ્રવાહ પહોંચાડી શકાય તે માટે આ મહામારીનાં કપરા સમય વચ્ચે આ રક્તદાન શિબિર ઘણી જ ઉપયોગી બની લોકો માટે સાર્થક પુરવાર થશે.

મહીસાગર: જિલ્લાના કડાણા તાલુકામાં આવેલા મુનપુર આરોગ્ય કેન્દ્ર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલના સહયોગથી મુનપુરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીની રાહબરીમાં મુનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ગોધરા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુનપુરની ટીમ દ્વારા યોજવામાં આવેલા આ રક્તદાન કેમ્પમાં 77 જેટલા રકતદાતાઓએ પોતાના રક્તનું દાન કરીને કોરોના સામેની લડતમાં કોરોના વોરિયર બની અનેરું યોગદાન આપી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું.

આ રક્તદાન માટે કેમ્પમાં રક્તદાતાઓ આવ્યા ત્યારે તેમને થર્મલ ગનથી આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. સાથે તેમના હાથ સાફ કરવા માટે હેન્ડવોશ તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે સિનિયર મેડિકલ ઓફિસર બિરેન્દ્રસીંગે રક્તદાન કેમ્પમાં કોરોનાને ધ્યાને લઇ સાવચેતીના તમામ પગલાઓ સુનિશ્ચિત કરવાની સાથે રક્તદાતાઓની બેડશીટ બદલવાની અને તમામ સામગ્રી જંતુ રહિત રહે તેનું સુચારું આયોજન કર્યું હતું.

રક્તદાન એ શ્રેષ્ઠ અમૂલ્ય દાન છે. જે કોરોનાના દર્દી અને થેલેસેમિયાનાં દર્દીઓને પણ જરૂર પડે તો આ સંગ્રહ કરેલા રક્તનો પ્રવાહ પહોંચાડી શકાય તે માટે આ મહામારીનાં કપરા સમય વચ્ચે આ રક્તદાન શિબિર ઘણી જ ઉપયોગી બની લોકો માટે સાર્થક પુરવાર થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.