ETV Bharat / state

જાણો દર્દીઓની નિ:શુલ્કપણે સેવા કરતા અંજારની સાંઈ આશિર્વાદ હોસ્પિટલ વિશે

author img

By

Published : Jul 1, 2021, 10:12 PM IST

Updated : Jul 2, 2021, 2:11 PM IST

સામાન્ય રીતે લોકો ડૉક્ટરને ભગવાનનું રૂપ માનતા હોય છે. હાલ વર્તમાનમાં મોટાભાગના ડૉકટર્સ મુડીવાદી થઈ ગયા છે અને મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિલટ ચલાવી રહ્યા છે. આ વચ્ચે માનવતા જીવંત હોવાનું પ્રતિતિ કરાવતી અંજારની સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )માં દર્દીઓની સેવા કરીને મિશાલ કાયમ કરી છે.

sai ashirwad hospital
sai ashirwad hospital
  • દર્દીઓની નિ:શુલ્ક સેવા કરતી હોસ્પિટલ
  • નિરાધાર વૃદ્ધોને આજીવન રાશન પૂરું પાડવામાં આવશે
  • ધોતી કુર્તો પહેરીને સારવાર કરતાં ડૉક્ટરની અનોખી મિશાલ
    sai ashirwad hospital
    સાંઈ આશીર્વાદ હોસ્પિટલમાં OPD અને દવાઓ છેલ્લા 5 વર્ષોથી નિ:શુલ્ક આપવામાં આવી રહી છે

કચ્છ : જિલ્લાના અંજાર તાલુકામાં મુન્દ્રા રોડ પર નાની નાગલપર સીમમાં આવતી સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )ના ડૉ. હિતેશ ઠક્કર (M.S.) ધોતી કુર્તામાં દર્દીઓની સેવા કરતા જોવા મળે છે. કોઈપણ હોસ્પિટલમાં દર્દીઓ જાય ત્યારે તેમને ડૉક્ટરને સફેદ કોટમાં જોતાં હોય છે, પરંતુ આ ડૉક્ટર ધોતી કુર્તામાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

sai ashirwad hospital
માનવતા જીવંત હોવાનું પ્રતિતિ કરાવતી અંજારની સાંઈ આશીર્વાદ હોસ્પિટલ

છેલ્લા 5 વર્ષથી નિ:શુલ્ક સારવાર આપવામાં આવી રહી છે

સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )માં ગુરૂવારના રોજ OPD અને દવાઓ છેલ્લા 5 વર્ષોથી નિ:શુલ્ક આપવામાં આવી રહી છે. ગત 2 વર્ષથી કોઈપણ પ્રકારના વાહન તથા ઘરેલુ અકસ્માતની તમામ સારવાર અને દવાઓ નિ:શુલ્ક આપવામાં આવી રહી છે.

દવા પીધેલા દર્દીની સારવાર નિ:શુલ્કપણે કરવામાં આવે છે

ફેબ્રુઆરી મહિનામાં ગામના એક વ્યકિતએ આર્થિક તંગીના કારણે દવા પી લીધી હતી, જેની સારવાર ખૂબ ખર્ચાળ હોય છે. આ સારવારનો ખર્ચ 50,000 જેટલો થયો હતો, પરંતુ સારવાર આપ્યા બાદ પણ તે દર્દી જીવી ન શકતા ડૉ. હિતેશ વ્યથિત થયા હતા. સારવાર અર્થે લીધેલી રકમ દર્દીના પરિવારને પરત આપી દીધી હતી. આ સાથે જ દિવસ બાદ જે કોઈ પણ દવા પીધેલા દર્દી આવશે, તેની સારવાર નિ:શુલ્કપણે કરી આપવામાં આવશે તેવું નક્કી કર્યું હતું.

Doctor with dhoti kurti
ધોતી કુર્તો પહેરીને સારવાર કરતાં ડૉક્ટરની અનોખી મિશાલ

કચ્છના અનેક વિસ્તારોમાંથી નિ:શુલ્ક સારવાર લેવા માટે અહીં લોકો આવતા હોય છે

આ સેવાકિય કાર્યમાં તેમની સાથે તેમના પત્ની યામિની ઠકકર પણ જોડાયા છે. ડૉકટર હિતેશની સેવાકીય પ્રવૃત્તિ અંગે જાણ થતાં માત્ર અંજાર તાલુકાના જ નહીં, પરંતુ કચ્છ જિલ્લાના અનેક વિસ્તારોમાંથી ગરીબ લોકો સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )માં સારવાર લેવા આવે છે.

વૃદ્ધો માટે એક આશ્રય સ્થાન બન્યું હોસ્પિટલ

સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )માં ડૉક્ટર દંપતી દ્વારા એકદમ નિરાધાર વૃદ્ધોને દર મહિને રાશન પહોંચાડવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિ તેમને જીવશે, ત્યાં સુધી અવિરતપણે ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલમાં જ એક રૂમ ઉભું કરવામાં આવ્યું છે. જેમાં એકદમ નિરાધાર હોય તેવા વૃદ્ધોને આશ્રય આપવામાં આવે છે.

sai ashirwad hospital
નિરાધાર વૃદ્ધોને આજીવન રાશન પૂરું પાડવામાં આવશે

કોરોનાકાળમાં પણ અહીં દિવસ-રાત સેવા કરવામાં આવી હતી

આ ઉપરાંત સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )માં સર્પદંશની સારવાર પણ આપવામાં આવે છે તથા કોરોના કાળમાં પણ અહીં દર્દીઓની દિવસરાત સારવાર કરવામાં આવી હતી. સવારથી લઈને રાત સુધીના ભોજનની વ્યવસ્થા પણ નિ:શુલ્કપણે કરવામાં આવી હતી.

જાણો શું કહે છે સેવાભાવી ડૉક્ટર?

સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )ના સેવાભાવી ડૉક્ટર હિતેશ ઠક્કરે ETV BHARAT સાથેની વાતચીતનમાં જણાવ્યું હતું કે, માનવ સેવા કરવી એ જ મારો ઉદ્દેશ્ય છે. જેથી સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )માં આવતા તમામ દર્દીઓ અને તેમના પરિવારને જમવાનું પણ નિ:શુલ્ક આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જે ઓપરેશન અન્ય ડૉકટર્સ 25,000માં કરે છે, તે દવા તથા તમામ મેડિકલ સુવિધાઓ સહિત 10,000માં કરવામાં આવે છે. સિઝેરિયન ડિલિવરીની ફી 50,000 જેટલી થાય છે, પરંતુ સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )માં દવા, એનેસ્થેસિયા, હોસ્પિટલના રૂમનું ભાડું, કન્સલ્ટિંગ ચાર્જ વગેરે તમામ સેવા મળી માત્ર 15,000માં સિઝેરિયન ઓપરેશન કરવામાં આવે છે. જો એક મહિના પહેલા નામ નોંધાયેલું હોય તો નોર્મલ ડિલિવરી તદન નિ:શુલ્ક કરવામાં આવે છે.

જાણો દર્દીઓની નિ:શુલ્કપણે સેવા કરતા અંજારની સાંઈ આશિર્વાદ હોસ્પિટલ વિશે

આ પણ વાંચો -

  • દર્દીઓની નિ:શુલ્ક સેવા કરતી હોસ્પિટલ
  • નિરાધાર વૃદ્ધોને આજીવન રાશન પૂરું પાડવામાં આવશે
  • ધોતી કુર્તો પહેરીને સારવાર કરતાં ડૉક્ટરની અનોખી મિશાલ
    sai ashirwad hospital
    સાંઈ આશીર્વાદ હોસ્પિટલમાં OPD અને દવાઓ છેલ્લા 5 વર્ષોથી નિ:શુલ્ક આપવામાં આવી રહી છે

કચ્છ : જિલ્લાના અંજાર તાલુકામાં મુન્દ્રા રોડ પર નાની નાગલપર સીમમાં આવતી સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )ના ડૉ. હિતેશ ઠક્કર (M.S.) ધોતી કુર્તામાં દર્દીઓની સેવા કરતા જોવા મળે છે. કોઈપણ હોસ્પિટલમાં દર્દીઓ જાય ત્યારે તેમને ડૉક્ટરને સફેદ કોટમાં જોતાં હોય છે, પરંતુ આ ડૉક્ટર ધોતી કુર્તામાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

sai ashirwad hospital
માનવતા જીવંત હોવાનું પ્રતિતિ કરાવતી અંજારની સાંઈ આશીર્વાદ હોસ્પિટલ

છેલ્લા 5 વર્ષથી નિ:શુલ્ક સારવાર આપવામાં આવી રહી છે

સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )માં ગુરૂવારના રોજ OPD અને દવાઓ છેલ્લા 5 વર્ષોથી નિ:શુલ્ક આપવામાં આવી રહી છે. ગત 2 વર્ષથી કોઈપણ પ્રકારના વાહન તથા ઘરેલુ અકસ્માતની તમામ સારવાર અને દવાઓ નિ:શુલ્ક આપવામાં આવી રહી છે.

દવા પીધેલા દર્દીની સારવાર નિ:શુલ્કપણે કરવામાં આવે છે

ફેબ્રુઆરી મહિનામાં ગામના એક વ્યકિતએ આર્થિક તંગીના કારણે દવા પી લીધી હતી, જેની સારવાર ખૂબ ખર્ચાળ હોય છે. આ સારવારનો ખર્ચ 50,000 જેટલો થયો હતો, પરંતુ સારવાર આપ્યા બાદ પણ તે દર્દી જીવી ન શકતા ડૉ. હિતેશ વ્યથિત થયા હતા. સારવાર અર્થે લીધેલી રકમ દર્દીના પરિવારને પરત આપી દીધી હતી. આ સાથે જ દિવસ બાદ જે કોઈ પણ દવા પીધેલા દર્દી આવશે, તેની સારવાર નિ:શુલ્કપણે કરી આપવામાં આવશે તેવું નક્કી કર્યું હતું.

Doctor with dhoti kurti
ધોતી કુર્તો પહેરીને સારવાર કરતાં ડૉક્ટરની અનોખી મિશાલ

કચ્છના અનેક વિસ્તારોમાંથી નિ:શુલ્ક સારવાર લેવા માટે અહીં લોકો આવતા હોય છે

આ સેવાકિય કાર્યમાં તેમની સાથે તેમના પત્ની યામિની ઠકકર પણ જોડાયા છે. ડૉકટર હિતેશની સેવાકીય પ્રવૃત્તિ અંગે જાણ થતાં માત્ર અંજાર તાલુકાના જ નહીં, પરંતુ કચ્છ જિલ્લાના અનેક વિસ્તારોમાંથી ગરીબ લોકો સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )માં સારવાર લેવા આવે છે.

વૃદ્ધો માટે એક આશ્રય સ્થાન બન્યું હોસ્પિટલ

સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )માં ડૉક્ટર દંપતી દ્વારા એકદમ નિરાધાર વૃદ્ધોને દર મહિને રાશન પહોંચાડવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિ તેમને જીવશે, ત્યાં સુધી અવિરતપણે ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલમાં જ એક રૂમ ઉભું કરવામાં આવ્યું છે. જેમાં એકદમ નિરાધાર હોય તેવા વૃદ્ધોને આશ્રય આપવામાં આવે છે.

sai ashirwad hospital
નિરાધાર વૃદ્ધોને આજીવન રાશન પૂરું પાડવામાં આવશે

કોરોનાકાળમાં પણ અહીં દિવસ-રાત સેવા કરવામાં આવી હતી

આ ઉપરાંત સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )માં સર્પદંશની સારવાર પણ આપવામાં આવે છે તથા કોરોના કાળમાં પણ અહીં દર્દીઓની દિવસરાત સારવાર કરવામાં આવી હતી. સવારથી લઈને રાત સુધીના ભોજનની વ્યવસ્થા પણ નિ:શુલ્કપણે કરવામાં આવી હતી.

જાણો શું કહે છે સેવાભાવી ડૉક્ટર?

સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )ના સેવાભાવી ડૉક્ટર હિતેશ ઠક્કરે ETV BHARAT સાથેની વાતચીતનમાં જણાવ્યું હતું કે, માનવ સેવા કરવી એ જ મારો ઉદ્દેશ્ય છે. જેથી સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )માં આવતા તમામ દર્દીઓ અને તેમના પરિવારને જમવાનું પણ નિ:શુલ્ક આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જે ઓપરેશન અન્ય ડૉકટર્સ 25,000માં કરે છે, તે દવા તથા તમામ મેડિકલ સુવિધાઓ સહિત 10,000માં કરવામાં આવે છે. સિઝેરિયન ડિલિવરીની ફી 50,000 જેટલી થાય છે, પરંતુ સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )માં દવા, એનેસ્થેસિયા, હોસ્પિટલના રૂમનું ભાડું, કન્સલ્ટિંગ ચાર્જ વગેરે તમામ સેવા મળી માત્ર 15,000માં સિઝેરિયન ઓપરેશન કરવામાં આવે છે. જો એક મહિના પહેલા નામ નોંધાયેલું હોય તો નોર્મલ ડિલિવરી તદન નિ:શુલ્ક કરવામાં આવે છે.

જાણો દર્દીઓની નિ:શુલ્કપણે સેવા કરતા અંજારની સાંઈ આશિર્વાદ હોસ્પિટલ વિશે

આ પણ વાંચો -

Last Updated : Jul 2, 2021, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.