કચ્છના માંડવી બંદરે સામાન્ય રીતે તૈયાર થતા જહાજો કાર્ગો હેન્ડલીંગ માટે ઉપયોગમાં લેવાતા હોય છે, પરંતુ પ્રથમવાર દુબઇના શ્રીમંત વ્યકિતએ ફીશરીંગ માટે લાકડાના વિશાળ જહાજ બનાવવા માટેનો આર્ડર આપ્યો છે. જેનું કામ 17 મહિનાથી ચાલુ છે અને હજુ 4 મહિના બાદ કામ પૂર્ણ થઇ દુબઇ જશે. માંડવીમાં 180થી190 ફુટ લંબાઇ સુધીના જહાજ બન્યા છે, પરંતુ 204 ફુટ લંબાઇ ધરાવતું જહાજ પ્રથમવાર તૈયાર થઇ રહ્યું છે, જેને લઇ માંડવીના વાહણવટ્ટા કારીગરો ઉત્સાહીત છે.
આ જહાજની વિશેષતા એ છે કે, તેની 204 ફુટ લંબાઇ છે, જયારે 45 ફુટ પહોળાઈ છે. વહાણ 18 ફુંટ ઉંચાઈ ધરાવે છે જેને 40 કારીગરો દિવસના 8 કલાક કામ કરીને તૈયાર કરી રહ્યા છે. જહાજ પર 12/6 લગ 60 ફુટ લાંબી 8 ફશીંગ બોટ રહી શકે તેવી વ્યવસ્થા હશે અને અંદર ટર્બો ઇન્જીન ડાયનીગ હોલ અને બેડરૂમ સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
કચ્છનું માંડવી બંદર એક સમયે ધંધા વ્યાપાર અર્થે ધમધતુ હતું તો ત્યાર બાદ માંડવીમાં તૈયાર થતા માલવાહક જહાજોની ભારે માંગ હતી. માંડવીમાં અગાઉ તૈયાર થયેલા જહાજનો ઉલ્લેખ ક્રાન્તી જેવું હિન્દી ફિલ્મોમાં પણ થયો છે. ત્યારે વધુ એક ઐતિહાસીક કહી શકાય તેવું જહાજ તૈયાર થતા કારીગરો રોમાંચીત છે.
આ જહાજનું કામ ઇબ્રાહીમ મિસ્ત્રી કરી રહ્યા છે ,જેમની 5 પેઢીથી જહાજ બનાવવાનું કામ કરે છે.તો અબ્દુલ રજાક ઉસ્તાદી દુબઈ વાળા એ આ જહાજ બનાવવા માટેનો ઓર્ડર આપ્યો છે.માંડવીમાં અંદાજિત 100 જેટલા આવા જહાજો તૈયાર થયા હશે જેનો ચોક્કસ કોઇ આંક નથી,પરંતુ લાંબા સમયથી આ ધંધામાં મંદી હતી અને ધણા જહાજો તૈયાર થયા વગર પડ્યા હતા.